હાર્ટ એટેકથી મોત થવાના પ્રમાણમાં થયો વધારો, હૈદરાબાદમાં બેડમિન્ટન રમતા રમતા ગયો યુવકનો જીવ


  • Published By :
  • Published Date : 2023-03-01 11:31:39

હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. નાની નાની ઉંમરે લોકો હાર્ટ એટેક આવવાથી મોતને ભેટી રહ્યા છે. હરતા-ફરતા ફિટ લાગતા લોકો ઉપરાંત સ્પોર્ટસ રમતા લોકો કાળનો કોળિયો બની રહ્યા છે. કોઈ ડાન્સ કરતા કરતા મોતને ભેટે છે તો કોઈ ક્રિકેટ રમતા રમતા મોતને ભેટે છે. ત્યારે હૈદરાબાદમાં એક યુવક બેડમિન્ટન રમી રહ્યો હતો તે દરમિયાન અચાનક હાર્ટ એકેટ આવ્યો અને તેનું મોત થઈ ગયું. પરિવારના જણાવ્યા મુજબ ઓફિસ પૂરી કર્યા બાદ શ્યામ બેડમિન્ટન રમવા જતો હતો અને મંગળવાર સાંજે આ દુર્ઘટના સર્જાઈ હતી. 


હાર્ટ એટેકના પ્રમાણમાં થયો છે વધારો 

કોરોના બાદ હાર્ટ એકેટ આવવાના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. હાર્ટ એકેટનો ભોગ ન માત્ર વડીલો બની રહ્યા છે પરંતુ યુવાનો પર પણ હાર્ટ એકેટનું જોખમ તોડાઈ રહ્યું છે. એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં અચાનક હાર્ટ એકેટ આવવાને કારણે માણસ ઢળી પડે છે અને મોતને ભેટે છે. અનેક વખત સ્પોર્ટસ રમતી વખતે આવી ઘટનાઓ બની રહી છે. બેડમિન્ટન રમતી વખતે એક યુવકનું મોત થયું છે તેવી ઘટના હૈદરાબાદમાં બની છે. એક વ્યક્તિને બેડમિન્ટન રમતી વખતે હાર્ટ એકેટ આવ્યો અને તે કાળનો કોળિયો બની ગયો. મંગળવાર સાંજે લગભગ આ ઘટના બની હતી. જેમાં હાર્ટ એટેક આવ્યો અને તે બેભાન થઈ ગયો. સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પરંતુ ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. 


ડાન્સ કરતા કરતા યુવકનું થયું મોત 

થોડા દિવસ પહેલા પણ આવો હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો હતો જેમાં યુવક સંબંધીના લગ્નમાં ડાન્સ કરી રહ્યો હતો તે દરમિયાન તે અચાનક પડી ગયો અને તેનું મોત થઈ ગયું. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો હતો જેમાં યુવક ડાન્સ કરી રહ્યો હતો અને આસપાસ ઉભેલા લોકો તાળી પાડી રહ્યા હતા. પરંતુ અચાનક ડાન્સ કરતા કરતા યુવકને હાર્ટ એટેક આવ્યો અને તે નીચે પડી ગયો. તે સિવાય વધુ એક કિસ્સામાં પણ આવું જ બન્યું હતું. પીઠીની વિધી ચાલી રહી હતી તે દરમિયાન યુવકને હાર્ટ એટેક આવ્યો જે બાદ તેમનું મોત થઈ ગયું. સતત વધતા હાર્ટ એટેકના કેસને લઈ ચિંતા વધી રહી છે. કોણ ક્યારે કાળનો કોળિયો બનશે તે જાણવું અશક્ય છે.    




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.