પ્રધાનમંત્રીની હત્યા કરવા ડોન દાઉદે ગુંડાને આપી સોપારી, મુંબઈમાં ફરિયાદ નોંધાઈ


  • Published By :
  • Published Date : 2022-11-22 19:04:47

દેશના પ્રધાનમંત્રી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના કારણે ગુજરાતની સતત મુલાકાત લઈ રહ્યા છે. આવતીકાલે પણ તેઓ ગુજરાતના ચાર જિલ્લાના પ્રવાસે આવશે ત્યારે મુંબઈથી પોલીસને સોશિયલ મીડિયાના મારફતે સંદેશ મળ્યો છે કે પ્રધાનમંત્રીના જીવને જોખમ છે. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમે પ્રધાનમંત્રી મોદીની હત્યા કરવા માટે ષડયંત્ર કર્યું છે.


કેવી રીતે ષડયંત્રનો થયો પર્દાફાશ?

મુંબઈ પોલીસને વોટ્સએપના માધ્યમે એક મેસેજ મળ્યો હતો જેમાં માહિતી આપવામાં આવી હતી કે દાઉદ ઈબ્રાહિમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હત્યા કરવા બે વ્યક્તિને સોપારી આપી છે. મુંબઈ પોલીસે માહિતી મેળવીને વરલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને માહિતી આપનારની તપાસમાં લાગી ગઈ છે. મેસેજમાં માહિતી આપવામાં આવી છે કે દાઉદ ઈબ્રાહિમે આતંકી અહમદ અને મુસ્તાકને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મારવાની સોપારી આપી છે. 




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.