પ્રધાનમંત્રીની હત્યા કરવા ડોન દાઉદે ગુંડાને આપી સોપારી, મુંબઈમાં ફરિયાદ નોંધાઈ


  • Published By :
  • Published Date : 2022-11-22 19:04:47

દેશના પ્રધાનમંત્રી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના કારણે ગુજરાતની સતત મુલાકાત લઈ રહ્યા છે. આવતીકાલે પણ તેઓ ગુજરાતના ચાર જિલ્લાના પ્રવાસે આવશે ત્યારે મુંબઈથી પોલીસને સોશિયલ મીડિયાના મારફતે સંદેશ મળ્યો છે કે પ્રધાનમંત્રીના જીવને જોખમ છે. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમે પ્રધાનમંત્રી મોદીની હત્યા કરવા માટે ષડયંત્ર કર્યું છે.


કેવી રીતે ષડયંત્રનો થયો પર્દાફાશ?

મુંબઈ પોલીસને વોટ્સએપના માધ્યમે એક મેસેજ મળ્યો હતો જેમાં માહિતી આપવામાં આવી હતી કે દાઉદ ઈબ્રાહિમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હત્યા કરવા બે વ્યક્તિને સોપારી આપી છે. મુંબઈ પોલીસે માહિતી મેળવીને વરલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને માહિતી આપનારની તપાસમાં લાગી ગઈ છે. મેસેજમાં માહિતી આપવામાં આવી છે કે દાઉદ ઈબ્રાહિમે આતંકી અહમદ અને મુસ્તાકને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મારવાની સોપારી આપી છે. 




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.