પ્રધાનમંત્રીની હત્યા કરવા ડોન દાઉદે ગુંડાને આપી સોપારી, મુંબઈમાં ફરિયાદ નોંધાઈ


  • Published By :
  • Published Date : 2022-11-22 19:04:47

દેશના પ્રધાનમંત્રી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના કારણે ગુજરાતની સતત મુલાકાત લઈ રહ્યા છે. આવતીકાલે પણ તેઓ ગુજરાતના ચાર જિલ્લાના પ્રવાસે આવશે ત્યારે મુંબઈથી પોલીસને સોશિયલ મીડિયાના મારફતે સંદેશ મળ્યો છે કે પ્રધાનમંત્રીના જીવને જોખમ છે. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમે પ્રધાનમંત્રી મોદીની હત્યા કરવા માટે ષડયંત્ર કર્યું છે.


કેવી રીતે ષડયંત્રનો થયો પર્દાફાશ?

મુંબઈ પોલીસને વોટ્સએપના માધ્યમે એક મેસેજ મળ્યો હતો જેમાં માહિતી આપવામાં આવી હતી કે દાઉદ ઈબ્રાહિમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હત્યા કરવા બે વ્યક્તિને સોપારી આપી છે. મુંબઈ પોલીસે માહિતી મેળવીને વરલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને માહિતી આપનારની તપાસમાં લાગી ગઈ છે. મેસેજમાં માહિતી આપવામાં આવી છે કે દાઉદ ઈબ્રાહિમે આતંકી અહમદ અને મુસ્તાકને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મારવાની સોપારી આપી છે. 




ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.