પ્રધાનમંત્રીની હત્યા કરવા ડોન દાઉદે ગુંડાને આપી સોપારી, મુંબઈમાં ફરિયાદ નોંધાઈ


  • Published By :
  • Published Date : 2022-11-22 19:04:47

દેશના પ્રધાનમંત્રી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના કારણે ગુજરાતની સતત મુલાકાત લઈ રહ્યા છે. આવતીકાલે પણ તેઓ ગુજરાતના ચાર જિલ્લાના પ્રવાસે આવશે ત્યારે મુંબઈથી પોલીસને સોશિયલ મીડિયાના મારફતે સંદેશ મળ્યો છે કે પ્રધાનમંત્રીના જીવને જોખમ છે. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમે પ્રધાનમંત્રી મોદીની હત્યા કરવા માટે ષડયંત્ર કર્યું છે.


કેવી રીતે ષડયંત્રનો થયો પર્દાફાશ?

મુંબઈ પોલીસને વોટ્સએપના માધ્યમે એક મેસેજ મળ્યો હતો જેમાં માહિતી આપવામાં આવી હતી કે દાઉદ ઈબ્રાહિમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હત્યા કરવા બે વ્યક્તિને સોપારી આપી છે. મુંબઈ પોલીસે માહિતી મેળવીને વરલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને માહિતી આપનારની તપાસમાં લાગી ગઈ છે. મેસેજમાં માહિતી આપવામાં આવી છે કે દાઉદ ઈબ્રાહિમે આતંકી અહમદ અને મુસ્તાકને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મારવાની સોપારી આપી છે. 




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.