અરવલ્લીમાં અનેક સરકારી શાળાઓને બંધ કરવાનો કરવામાં આવ્યો નિર્ણય, બાળકોની પૂરતી સંખ્યા ના હોવાથી લેવાયો નિર્ણય?


  • Published By :
  • Published Date : 2024-08-02 13:14:18

બાળકો દેશનું ભવિષ્ય કહેવાય છે.. બાળકો આગળ વધશે તો સમાજ આગળ વધશે.. અને સમાજ આગળ વધશે તો દેશ આગળ વધશે... અનેક  શાળાઓ એવી છે જ્યાં આજે પણ એક જ શિક્ષક છે.. અરવલ્લીથી સમાચાર સામે આવ્યા જેમાં અનેક સરકારી શાળાઓને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે કારણ કે વિદ્યાર્થીઓ ત્યાં ના હતા. શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ છે, ખરાબ લાગશે પરંતુ આ કડવી વાસ્તવિક્તા છે.. 

અરવલ્લીમાં અનેક સરકારી શાળાઓ કરવામાં આવી બંધ!

ગામડાઓના બાળકો ભણી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે, તેની વાતો કરવામાં આવી રહી છે. પરંતુ આજે પણ અનેક સરકારી શાળાઓ એવી છે જે માત્ર એક શિક્ષકને કારણે ચાલી રહી છે.. અનેક ગામોમાં શાળાઓ બંધ કરવામાં આવી. 20થી ઓછા વિદ્યાર્થીઓ હતી તેવી શાળાઓને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોડાસાના સાકરીયા કંપા,કરશનપુરા કંપા, મુન્શીવાડામાં ધો 1થી 5 વર્ગ બંધ કરવામાં આવ્યા છે. બાયડ તાલુકાના બાદરપુરા,વટવટીયા શાળા બંધ કરવામાં આવી છે.. 


સરકારી શાળામાં શું કામ ભણવા નથી આવતા બાળકો? 

તે ઉપરાંત માલપુરના પીપલાણા અને ધનસુરાની હમીરપુર 6 થી 7 શાળા બંધ કરવામાં આવી છે. ભિલોડાના મોતીપુરા અને મેઘરજની માળ કંપા પ્રાથમિક શાળા બંધ કરવામાં આવી છે.. મહત્વનું છે કે આજે એવી અનેક સરકારી શાળાઓ હશે જે રામ ભરોસે ચાલતી હશે.. ગામડાઓમાં બાળકો તો હોય છે પરંતુ સરકારી શાળામાં ભણવા માટે બાળકો આવતા નથી. શું એટલી ખરાબ હાલત થઈ જઈ છે સરકારી શાળાની કે લોકો પોતાના બાળકોને ત્યાં ભણાવાનું પસંદ નથી કરતા..  


બાળકોના અભાવથી કરવામાં આવી શાળાને બંધ!

મહત્વનું છે કે જ્યારે કોઈ પણ શાળા બંધ થાય છે ત્યારે ત્યાં ભણતા બાળકોનો વિદ્યાભ્યાસ બંધ થાય છે.. આગળ વધવાની તકો બંધ થાય છે. સવાલ થાય કે સરકારી શાળામાં સુવિધાઓ ના મળતી હોવાથી લોકો પ્રાઈવેટ શાળામાં જવાનું પસંદ કરે છે? મહત્વનું છે કે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ ટાટ પાસ ઉમેદવાર ઘણા સમયથી કરી રહ્યા છે. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.