અરવલ્લીમાં અનેક સરકારી શાળાઓને બંધ કરવાનો કરવામાં આવ્યો નિર્ણય, બાળકોની પૂરતી સંખ્યા ના હોવાથી લેવાયો નિર્ણય?


  • Published By :
  • Published Date : 2024-08-02 13:14:18

બાળકો દેશનું ભવિષ્ય કહેવાય છે.. બાળકો આગળ વધશે તો સમાજ આગળ વધશે.. અને સમાજ આગળ વધશે તો દેશ આગળ વધશે... અનેક  શાળાઓ એવી છે જ્યાં આજે પણ એક જ શિક્ષક છે.. અરવલ્લીથી સમાચાર સામે આવ્યા જેમાં અનેક સરકારી શાળાઓને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે કારણ કે વિદ્યાર્થીઓ ત્યાં ના હતા. શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ છે, ખરાબ લાગશે પરંતુ આ કડવી વાસ્તવિક્તા છે.. 

અરવલ્લીમાં અનેક સરકારી શાળાઓ કરવામાં આવી બંધ!

ગામડાઓના બાળકો ભણી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે, તેની વાતો કરવામાં આવી રહી છે. પરંતુ આજે પણ અનેક સરકારી શાળાઓ એવી છે જે માત્ર એક શિક્ષકને કારણે ચાલી રહી છે.. અનેક ગામોમાં શાળાઓ બંધ કરવામાં આવી. 20થી ઓછા વિદ્યાર્થીઓ હતી તેવી શાળાઓને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોડાસાના સાકરીયા કંપા,કરશનપુરા કંપા, મુન્શીવાડામાં ધો 1થી 5 વર્ગ બંધ કરવામાં આવ્યા છે. બાયડ તાલુકાના બાદરપુરા,વટવટીયા શાળા બંધ કરવામાં આવી છે.. 


સરકારી શાળામાં શું કામ ભણવા નથી આવતા બાળકો? 

તે ઉપરાંત માલપુરના પીપલાણા અને ધનસુરાની હમીરપુર 6 થી 7 શાળા બંધ કરવામાં આવી છે. ભિલોડાના મોતીપુરા અને મેઘરજની માળ કંપા પ્રાથમિક શાળા બંધ કરવામાં આવી છે.. મહત્વનું છે કે આજે એવી અનેક સરકારી શાળાઓ હશે જે રામ ભરોસે ચાલતી હશે.. ગામડાઓમાં બાળકો તો હોય છે પરંતુ સરકારી શાળામાં ભણવા માટે બાળકો આવતા નથી. શું એટલી ખરાબ હાલત થઈ જઈ છે સરકારી શાળાની કે લોકો પોતાના બાળકોને ત્યાં ભણાવાનું પસંદ નથી કરતા..  


બાળકોના અભાવથી કરવામાં આવી શાળાને બંધ!

મહત્વનું છે કે જ્યારે કોઈ પણ શાળા બંધ થાય છે ત્યારે ત્યાં ભણતા બાળકોનો વિદ્યાભ્યાસ બંધ થાય છે.. આગળ વધવાની તકો બંધ થાય છે. સવાલ થાય કે સરકારી શાળામાં સુવિધાઓ ના મળતી હોવાથી લોકો પ્રાઈવેટ શાળામાં જવાનું પસંદ કરે છે? મહત્વનું છે કે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ ટાટ પાસ ઉમેદવાર ઘણા સમયથી કરી રહ્યા છે. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.