ડેડીયાપાડાના ધારાસભ્ય Chaitar Vasava આવ્યા જેલની બહાર, સમર્થકોએ કર્યું ધારાસભ્યનું સ્વાગત, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-02-01 13:47:36

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને થોડા સમય પહેલા શરતી જામીન મળ્યા હતા. ચૈતર વસાવાને તો જામીન મળી ગયા હતા પરંતુ તેમના પત્ની શકુન્તલા વસાવાને જામીન ન મળ્યા હતા. શકુન્તલા વસાવાને જામીન ન મળ્યા હતા જેને લઈ ચૈતર વસાવા પણ જેલમાં રહ્યા હતા. 40થી વધારે દિવસો સુધી ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં રહ્યા હતા ત્યારે આજે તે જેલમુક્ત થયા છે. મોટી સંખ્યામાં ધારાસભ્યને લેવા માટે તેમના સમર્થકો જેલ બહાર આવ્યા હતા. ઈસુદાન ગઢવી પણ ડેડીયાપાડા હાજર હતા. 

 


ચૈતર વસાવા વિરૂદ્ધ કરવામાં આવી હતી પોલીસ ફરિયાદ 

આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. લોકસભા ચૂંટણીને લઈ અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે ચૈતર વસાવા ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. લોકસભા ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટી રાહત મળી છે. ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી જેલમાં હતા. વનકર્મીને માર મારવા તેમજ હવામાં ફાયરિંગ કરવાનો ગુન્હો ચૈતર વસાવા વિરૂદ્ધ કરવામાં આવ્યો હતો. 


ઈસુદાન ગઢવી, યુવરાજસિંહ સહિત સમર્થકો છે ઉપસ્થિત! 

ચૈતર વસાવા વિરૂદ્ધ જ્યારથી કેસ થયો ત્યારથી તે ફરાર હતા. પરંતુ થોડા સમય પહેલા પોલીસ સમક્ષ તે હાજર થયા અને તે વખતે મોટી સંખ્યામાં તેમના સમર્થકો ત્યાં હાજર હતા. થોડા દિવસો પહેલા ચૈતર વસાવાને જામીન મળી ગયા પરંતુ તેમના પત્ની શકુન્તલા વસાવાને જામીન ન મળ્યા હતા જેને કારણે તે પણ જામીન મળવા છતાંય જેલમાં હતા. ચૈતર વસાવાના પત્નીના જામીન અંગેની અરજીની સુનાવણી આજે થવાની છે. આજે ચૈતર વસાવા જેલની બહાર આવ્યા છે. વર્ષા વસાવા, ઈસુદાન ગઢવી, યુવરાજસિંહ જાડેજા સહિત ચૈતર વસાવાના સમર્થકો ધારાસભ્યના સ્વાગત માટે હાજર હતા.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.