ડેડીયાપાડાના ધારાસભ્ય Chaitar Vasava આવ્યા જેલની બહાર, સમર્થકોએ કર્યું ધારાસભ્યનું સ્વાગત, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-02-01 13:47:36

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને થોડા સમય પહેલા શરતી જામીન મળ્યા હતા. ચૈતર વસાવાને તો જામીન મળી ગયા હતા પરંતુ તેમના પત્ની શકુન્તલા વસાવાને જામીન ન મળ્યા હતા. શકુન્તલા વસાવાને જામીન ન મળ્યા હતા જેને લઈ ચૈતર વસાવા પણ જેલમાં રહ્યા હતા. 40થી વધારે દિવસો સુધી ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં રહ્યા હતા ત્યારે આજે તે જેલમુક્ત થયા છે. મોટી સંખ્યામાં ધારાસભ્યને લેવા માટે તેમના સમર્થકો જેલ બહાર આવ્યા હતા. ઈસુદાન ગઢવી પણ ડેડીયાપાડા હાજર હતા. 

 


ચૈતર વસાવા વિરૂદ્ધ કરવામાં આવી હતી પોલીસ ફરિયાદ 

આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. લોકસભા ચૂંટણીને લઈ અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે ચૈતર વસાવા ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. લોકસભા ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટી રાહત મળી છે. ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી જેલમાં હતા. વનકર્મીને માર મારવા તેમજ હવામાં ફાયરિંગ કરવાનો ગુન્હો ચૈતર વસાવા વિરૂદ્ધ કરવામાં આવ્યો હતો. 


ઈસુદાન ગઢવી, યુવરાજસિંહ સહિત સમર્થકો છે ઉપસ્થિત! 

ચૈતર વસાવા વિરૂદ્ધ જ્યારથી કેસ થયો ત્યારથી તે ફરાર હતા. પરંતુ થોડા સમય પહેલા પોલીસ સમક્ષ તે હાજર થયા અને તે વખતે મોટી સંખ્યામાં તેમના સમર્થકો ત્યાં હાજર હતા. થોડા દિવસો પહેલા ચૈતર વસાવાને જામીન મળી ગયા પરંતુ તેમના પત્ની શકુન્તલા વસાવાને જામીન ન મળ્યા હતા જેને કારણે તે પણ જામીન મળવા છતાંય જેલમાં હતા. ચૈતર વસાવાના પત્નીના જામીન અંગેની અરજીની સુનાવણી આજે થવાની છે. આજે ચૈતર વસાવા જેલની બહાર આવ્યા છે. વર્ષા વસાવા, ઈસુદાન ગઢવી, યુવરાજસિંહ જાડેજા સહિત ચૈતર વસાવાના સમર્થકો ધારાસભ્યના સ્વાગત માટે હાજર હતા.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.