Dediapadaના MLA Chaitar vasava જેલમાં છે તો એમના સમર્થકો શું કરી રહ્યા છે? 7 જાન્યુઆરીએ આવી રહ્યા છે Arvind Kejriwal, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-01 12:07:57

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. ડેડીયાપાડાના ધારાસભ્ય ભલે જેલમાં છે પરંતુ તેમના સમાચાર પ્રતિદિન સામે આવતા હોય છે જેને લઈ તેઓ હંમેશા સમાચારોમાં રહે છે. એવું માનીએ કે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના તારણહાર છે ગુજરાત માટે તો કદાચ અતિશયોક્તિ નહીં કહેવાય. ચૈતર વસાવાના સમર્થનમાં અનેક વખત ડેડીયાપાડામાં રેલી કાઢવામાં આવે છે તો કોઈ વખત એવા મેસેજ સામે આવે છે કે લોકસભાની ચૂંટણી ચૈતર વસાવા લડવાના છે. આ બધા વચ્ચે ડેડીયાપાડા આપના પ્રભારી તેજસ પટેલનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે પોસ્ટર વહેંચી રહ્યા છે. 

લોકસભાની ચૂંટણી લડશે ચૈતર વસાવા

જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ ભરૂચ લોકસભા સીટ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. લોકસભા વખતે વસાવા Vs વસાવાની જંગ જોવા મળી શકે છે કારણ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડવાના છે. ચૈતર વસાવા ભલે જેલમાં છે પરંતુ અનેક વખત તેમના સંદેશા સામે આવે છે. થોડા સમય પહેલા એવી માહિતી સામે આવી હતી કે લોકસભા ચૂંટણી ચૈતર વસાવા ગમે ત્યાં કેમ ન હોય પરંતુ તે લડવાના છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને કામ પર લાગી જવા માટે કહી દેવાયું છે.


આપએ એસટી બસ ડેપોમાં કર્યું પેમ્પ્લેટનું વિતરણ

ચૈતર વસાવા ભલે અત્યારે જેલમાં છે પરંતુ તેમના કાર્યકર્તાઓ તેમના વતી કામ કરી રહ્યા છે. ચૈતર વસાવાને ન્યાય મળે તે માટે રેલી પણ કાઢી હતી. લોકસભા ચૂંટણી આપના ધારાસભ્ય લડવાના છે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ બધા વચ્ચે આપે ડેડીયાપાડામાં આપના દ્વારા નવું આયોજન શરૂ કરવામાં આવ્યું છે. આપ દ્વારા પેમ્પ્લેટ આપવામાં આવી રહ્યા છે જેમાં ચૈતર વસાવા દ્વારા કરવામાં આવેલા કામો હોય તે દર્શાવવામાં આવ્યા છે. મહત્વનું છે કે 7 જાન્યુઆરીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ડેડિયાપાડા આવી રહ્યા છે જ્યાં તેઓ રેલીને સંબોધિત કરવાના છે.    




જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે