Dediapadaના MLA Chaitar vasava જેલમાં છે તો એમના સમર્થકો શું કરી રહ્યા છે? 7 જાન્યુઆરીએ આવી રહ્યા છે Arvind Kejriwal, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-01 12:07:57

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. ડેડીયાપાડાના ધારાસભ્ય ભલે જેલમાં છે પરંતુ તેમના સમાચાર પ્રતિદિન સામે આવતા હોય છે જેને લઈ તેઓ હંમેશા સમાચારોમાં રહે છે. એવું માનીએ કે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના તારણહાર છે ગુજરાત માટે તો કદાચ અતિશયોક્તિ નહીં કહેવાય. ચૈતર વસાવાના સમર્થનમાં અનેક વખત ડેડીયાપાડામાં રેલી કાઢવામાં આવે છે તો કોઈ વખત એવા મેસેજ સામે આવે છે કે લોકસભાની ચૂંટણી ચૈતર વસાવા લડવાના છે. આ બધા વચ્ચે ડેડીયાપાડા આપના પ્રભારી તેજસ પટેલનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે પોસ્ટર વહેંચી રહ્યા છે. 

લોકસભાની ચૂંટણી લડશે ચૈતર વસાવા

જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ ભરૂચ લોકસભા સીટ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. લોકસભા વખતે વસાવા Vs વસાવાની જંગ જોવા મળી શકે છે કારણ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડવાના છે. ચૈતર વસાવા ભલે જેલમાં છે પરંતુ અનેક વખત તેમના સંદેશા સામે આવે છે. થોડા સમય પહેલા એવી માહિતી સામે આવી હતી કે લોકસભા ચૂંટણી ચૈતર વસાવા ગમે ત્યાં કેમ ન હોય પરંતુ તે લડવાના છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને કામ પર લાગી જવા માટે કહી દેવાયું છે.


આપએ એસટી બસ ડેપોમાં કર્યું પેમ્પ્લેટનું વિતરણ

ચૈતર વસાવા ભલે અત્યારે જેલમાં છે પરંતુ તેમના કાર્યકર્તાઓ તેમના વતી કામ કરી રહ્યા છે. ચૈતર વસાવાને ન્યાય મળે તે માટે રેલી પણ કાઢી હતી. લોકસભા ચૂંટણી આપના ધારાસભ્ય લડવાના છે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ બધા વચ્ચે આપે ડેડીયાપાડામાં આપના દ્વારા નવું આયોજન શરૂ કરવામાં આવ્યું છે. આપ દ્વારા પેમ્પ્લેટ આપવામાં આવી રહ્યા છે જેમાં ચૈતર વસાવા દ્વારા કરવામાં આવેલા કામો હોય તે દર્શાવવામાં આવ્યા છે. મહત્વનું છે કે 7 જાન્યુઆરીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ડેડિયાપાડા આવી રહ્યા છે જ્યાં તેઓ રેલીને સંબોધિત કરવાના છે.    




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.