Dediapadaના MLA Chaitar vasava જેલમાં છે તો એમના સમર્થકો શું કરી રહ્યા છે? 7 જાન્યુઆરીએ આવી રહ્યા છે Arvind Kejriwal, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-01 12:07:57

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. ડેડીયાપાડાના ધારાસભ્ય ભલે જેલમાં છે પરંતુ તેમના સમાચાર પ્રતિદિન સામે આવતા હોય છે જેને લઈ તેઓ હંમેશા સમાચારોમાં રહે છે. એવું માનીએ કે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના તારણહાર છે ગુજરાત માટે તો કદાચ અતિશયોક્તિ નહીં કહેવાય. ચૈતર વસાવાના સમર્થનમાં અનેક વખત ડેડીયાપાડામાં રેલી કાઢવામાં આવે છે તો કોઈ વખત એવા મેસેજ સામે આવે છે કે લોકસભાની ચૂંટણી ચૈતર વસાવા લડવાના છે. આ બધા વચ્ચે ડેડીયાપાડા આપના પ્રભારી તેજસ પટેલનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે પોસ્ટર વહેંચી રહ્યા છે. 

લોકસભાની ચૂંટણી લડશે ચૈતર વસાવા

જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ ભરૂચ લોકસભા સીટ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. લોકસભા વખતે વસાવા Vs વસાવાની જંગ જોવા મળી શકે છે કારણ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડવાના છે. ચૈતર વસાવા ભલે જેલમાં છે પરંતુ અનેક વખત તેમના સંદેશા સામે આવે છે. થોડા સમય પહેલા એવી માહિતી સામે આવી હતી કે લોકસભા ચૂંટણી ચૈતર વસાવા ગમે ત્યાં કેમ ન હોય પરંતુ તે લડવાના છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને કામ પર લાગી જવા માટે કહી દેવાયું છે.


આપએ એસટી બસ ડેપોમાં કર્યું પેમ્પ્લેટનું વિતરણ

ચૈતર વસાવા ભલે અત્યારે જેલમાં છે પરંતુ તેમના કાર્યકર્તાઓ તેમના વતી કામ કરી રહ્યા છે. ચૈતર વસાવાને ન્યાય મળે તે માટે રેલી પણ કાઢી હતી. લોકસભા ચૂંટણી આપના ધારાસભ્ય લડવાના છે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ બધા વચ્ચે આપે ડેડીયાપાડામાં આપના દ્વારા નવું આયોજન શરૂ કરવામાં આવ્યું છે. આપ દ્વારા પેમ્પ્લેટ આપવામાં આવી રહ્યા છે જેમાં ચૈતર વસાવા દ્વારા કરવામાં આવેલા કામો હોય તે દર્શાવવામાં આવ્યા છે. મહત્વનું છે કે 7 જાન્યુઆરીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ડેડિયાપાડા આવી રહ્યા છે જ્યાં તેઓ રેલીને સંબોધિત કરવાના છે.    




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.