ડેડીયાપાડાના ધારાસભ્ય Chaitar Vasava આવતી કાલે આવી શકે છે જેલની બહાર, ભરૂચમાં રાજકારણ ગરમાયું!


  • Published By :
  • Published Date : 2024-01-31 15:43:57

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ જેલમાં બંધ છે અને તે ક્યારે બહાર આવશે તે સમાચાર જાણવામાં ઘણા બધા લોકોને રસ હોય તેવું લાગી રહ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગઈકાલે એટલે 30 જાન્યુઆરીએ ચૈતર વસાવાના વકીલે કોર્ટમાંથી જામીનનું બીડું લીધું છે. ત્યારે હવે સવાલ એમ થાય કે ચૈતર વસાવા તેમની પત્ની સાથે બહાર આવવાના હતા તો તેમની પત્નીને ક્યારે જામીન મળશે અને ક્યારે બંને જેલમથી બહાર આવશે. એવી માહિતી સામે આવી છે કે આવતી કાલ સવારે 10 વાગે તે જેલની બહાર આવશે. 

ચૈતર વસાવાને તો જામીન મળી ગયા છે પરંતુ... 

ધારાસભ્ય ચૈતર વસાવાની પત્ની શકુંતલા વસાવાની જામીન અરજીને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. શકુંતલા વસાવાની જામીન માટેની અરજી સેશન્સ કોર્ટ ગઇ હતી, જેની સુનાવણી હવે આગામી 1લી ફેબ્રુઆરી, 2024ના દિવસે થવાની છે. ઉલ્લેખનીય છે કે, વનકર્મીઓને ધમકાવી 60 હજાર રૂપિયા પડાવી લેવાના ગુનામાં ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 આરોપીને જામીન મળી ગયાં છે જયારે 3 ને હજી જામીન મળ્યાં નથી. શકુંતલા વસાવાની જામીન અરજી આ પહેલા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી, જેને પાછી ખેંચીને પછીથી સેશન્સ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. 


પહેલી ફેબ્રુઆરીએ ચૈતર વસાવા બહાર આવે તેવી શક્યતાઓ

એટલે કદાચ ચૈતર વસાવા એવી આશા રાખીને બેઠા છે કે 1 ફેબ્રુઆરીએ તેમની પત્ની અને આ કેશ સાથે જોડાયેલા બીજા લોકોને પણ જામીન મળી જશે. એટલે કે ભલે વકીલે જામીનનું બીડું લીધું હોય પણ ચૈતર વસાવા પહેલી ફેબ્રુઆરીએ જેલની બહાર આવશે તેવી શક્યતાઓ છે. 


ભરૂચ બેઠકનું ગરમાયું રાજકારણ!

તો બીજી તરફ ગુજરાતમાં અને ભરૂચમાં લોકસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયુ છે કારણ કે, ભરૂચ લોકસભા સીટ પર આમઆદમી પાર્ટીમાંથી ચૈતર વસાવા ચૂંટણી લડશે તેવી જાહેરાત આપ દ્વારા કરવામાં આવી છે. તો બીજી તરફ કોંગ્રેસમાંથી અહેમદ પટેલના દીકરી મુમતાજ પટેલ અને ફૈઝલ પટેલ ચૂંટણી લડવાની તૈયારીમાં છે. જેને લઈને ભાઈ બહેન આમને સામને આવશે તેવી ચર્ચાઓ થઇ રહી છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીમાંથી કોણ ચૂંટણી લડશે એ તરફ પણ સૌ કોઈની નજર છે કારણ કે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે આ વખતે સાંસદ મનસુખ વસાવાને ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ નહીં આપવામાં આવે. 

         



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે