ડેડીયાપાડાના ધારાસભ્ય Chaitar Vasava આવતી કાલે આવી શકે છે જેલની બહાર, ભરૂચમાં રાજકારણ ગરમાયું!


  • Published By :
  • Published Date : 2024-01-31 15:43:57

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ જેલમાં બંધ છે અને તે ક્યારે બહાર આવશે તે સમાચાર જાણવામાં ઘણા બધા લોકોને રસ હોય તેવું લાગી રહ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગઈકાલે એટલે 30 જાન્યુઆરીએ ચૈતર વસાવાના વકીલે કોર્ટમાંથી જામીનનું બીડું લીધું છે. ત્યારે હવે સવાલ એમ થાય કે ચૈતર વસાવા તેમની પત્ની સાથે બહાર આવવાના હતા તો તેમની પત્નીને ક્યારે જામીન મળશે અને ક્યારે બંને જેલમથી બહાર આવશે. એવી માહિતી સામે આવી છે કે આવતી કાલ સવારે 10 વાગે તે જેલની બહાર આવશે. 

ચૈતર વસાવાને તો જામીન મળી ગયા છે પરંતુ... 

ધારાસભ્ય ચૈતર વસાવાની પત્ની શકુંતલા વસાવાની જામીન અરજીને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. શકુંતલા વસાવાની જામીન માટેની અરજી સેશન્સ કોર્ટ ગઇ હતી, જેની સુનાવણી હવે આગામી 1લી ફેબ્રુઆરી, 2024ના દિવસે થવાની છે. ઉલ્લેખનીય છે કે, વનકર્મીઓને ધમકાવી 60 હજાર રૂપિયા પડાવી લેવાના ગુનામાં ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 આરોપીને જામીન મળી ગયાં છે જયારે 3 ને હજી જામીન મળ્યાં નથી. શકુંતલા વસાવાની જામીન અરજી આ પહેલા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી, જેને પાછી ખેંચીને પછીથી સેશન્સ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. 


પહેલી ફેબ્રુઆરીએ ચૈતર વસાવા બહાર આવે તેવી શક્યતાઓ

એટલે કદાચ ચૈતર વસાવા એવી આશા રાખીને બેઠા છે કે 1 ફેબ્રુઆરીએ તેમની પત્ની અને આ કેશ સાથે જોડાયેલા બીજા લોકોને પણ જામીન મળી જશે. એટલે કે ભલે વકીલે જામીનનું બીડું લીધું હોય પણ ચૈતર વસાવા પહેલી ફેબ્રુઆરીએ જેલની બહાર આવશે તેવી શક્યતાઓ છે. 


ભરૂચ બેઠકનું ગરમાયું રાજકારણ!

તો બીજી તરફ ગુજરાતમાં અને ભરૂચમાં લોકસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયુ છે કારણ કે, ભરૂચ લોકસભા સીટ પર આમઆદમી પાર્ટીમાંથી ચૈતર વસાવા ચૂંટણી લડશે તેવી જાહેરાત આપ દ્વારા કરવામાં આવી છે. તો બીજી તરફ કોંગ્રેસમાંથી અહેમદ પટેલના દીકરી મુમતાજ પટેલ અને ફૈઝલ પટેલ ચૂંટણી લડવાની તૈયારીમાં છે. જેને લઈને ભાઈ બહેન આમને સામને આવશે તેવી ચર્ચાઓ થઇ રહી છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીમાંથી કોણ ચૂંટણી લડશે એ તરફ પણ સૌ કોઈની નજર છે કારણ કે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે આ વખતે સાંસદ મનસુખ વસાવાને ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ નહીં આપવામાં આવે. 

         



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.