ડેડીયાપાડાના ધારાસભ્ય Chaitar Vasavaએ જેલમાંથી મોકલાવ્યો સંદેશ, સમર્થકોને જણાવ્યું કે તે ક્યારે જેલમાંથી આવશે બહાર?


  • Published By :
  • Published Date : 2024-01-29 15:11:39

ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે. તેમને શરતી જામીન મળ્યા છે પરંતુ તેમના પત્નીને જામીન નથી મળ્યા, પત્નીને જામીન ન મળવાને કારણે ચૈતર વસાવા જામીન મળ્યા બાદ પણ જેલમાં છે. ધારાસભ્ય ભલે જેલમાં છે પરંતુ તેમના સમાચાર અનેક વખત સામે આવતા હોય છે. જેલમાંથી તેમણે પોતાના સમર્થકોને સંદેશો મોકલ્યો હતો કે તે લોકસભા ચૂંટણી લડશે. આ બાદ અરવિંદ કેજરીવાલ દ્વારા જાહેરાત કરવામાં આવી. આ બધા વચ્ચે એક સમાચાર સામે આવી રહ્યા છે કે ચૈતર વસાવા અઠવાડિયે જેલમાંથી બહાર આવી શકે છે. એવી માહિતી સામે આવી છે કે પહેલી તારીખે ચૈતર વસાવા બહાર આવી શકે છે. 

ચૈતર વસાવાએ પોલીસ સમક્ષ કર્યું હતું સરેન્ડર! 

ભરૂચનું રાજકારણ અનેક વખત ચર્ચામાં રહેતું હોય છે. મનસુખ વસાવા તેમજ ચૈતર વસાવા દ્વારા આપવામાં આવતા નિવેદનને કારણે આની ચર્ચાઓ થતી હોય છે. ત્યારે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે. પોલીસ ફરિયાદ થઈ તે બાદ થોડા સમય માટે ધારાસભ્ય ફરાર થઈ ગયા હતા. પરંતુ થોડા સમય પહેલા પોલીસ સમક્ષ તેમણે સરેન્ડર કર્યું હતું. મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ નેતાઓ ત્યાં હાજર હતા.


શકુન્તલા વસાવાને નથી મળ્યા જામીન!

જેલમાં રહીને ચૈતર વસાવાએ અનેક વખત સંદેશો મોકલાવ્યો છે. લોકસભા ચૂંટણી લડશે તે અંગેની જાહેરાત તેમના દ્વારા કરવામાં આવી હતી. તે ઉપરાંત જ્યારે આપના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા હતા તે વખતે તેમણે જાહેરાત કરી કે ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે. જેલમાં ચૈતર વસાવાની પત્ની પણ છે. ચૈતર વસાવાને શરતી જામીન મળી ગયા છે પરંતુ તેમના પત્ની શકુન્તલા વસાવાને જામીન નથી મળ્યા. જામીન અંગેની સુનાવણી આગામી દિવસોમાં થવાની છે. જેને કારણે જામીન મળ્યા બાદ પણ ચૈતર વસાવા જેલમાં છે. ચૈતર વસાવા અઠવાડિયામાં બહાર આવશે તેવી માહિતી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે આપી છે. 


લોકસભા ચૂંટણી પહેલા ચૈતર વસાવાએ મોકલાવ્યો સંદેશ!

યુવરાજસિંહ ચૈતર વસાવાને મળવા માટે પહોંચ્યા હતા તે વખતે ચૈતર વસાવાએ તેમના સમર્થકોને સંદેશ આપ્યો છે. તેમણે સંદેશો મોકલાવ્યા હતા કે હું આવતા અઠવાડિયે જેલમાંથી બહાર આવું છું. તમે લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી જાવ. મહત્વનું છે કે ચૈતર વસાવાના સમર્થનમાં અનેક વખત ડેડીયાપાડામાં ચૈતર વસાવાના પત્નીએ તેમજ તેમના સમર્થકોએ રેલી કાઢી છે.        



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.