ડેડીયાપાડાના ધારાસભ્ય Chaitar Vasavaએ જેલમાંથી મોકલાવ્યો સંદેશ, સમર્થકોને જણાવ્યું કે તે ક્યારે જેલમાંથી આવશે બહાર?


  • Published By :
  • Published Date : 2024-01-29 15:11:39

ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે. તેમને શરતી જામીન મળ્યા છે પરંતુ તેમના પત્નીને જામીન નથી મળ્યા, પત્નીને જામીન ન મળવાને કારણે ચૈતર વસાવા જામીન મળ્યા બાદ પણ જેલમાં છે. ધારાસભ્ય ભલે જેલમાં છે પરંતુ તેમના સમાચાર અનેક વખત સામે આવતા હોય છે. જેલમાંથી તેમણે પોતાના સમર્થકોને સંદેશો મોકલ્યો હતો કે તે લોકસભા ચૂંટણી લડશે. આ બાદ અરવિંદ કેજરીવાલ દ્વારા જાહેરાત કરવામાં આવી. આ બધા વચ્ચે એક સમાચાર સામે આવી રહ્યા છે કે ચૈતર વસાવા અઠવાડિયે જેલમાંથી બહાર આવી શકે છે. એવી માહિતી સામે આવી છે કે પહેલી તારીખે ચૈતર વસાવા બહાર આવી શકે છે. 

ચૈતર વસાવાએ પોલીસ સમક્ષ કર્યું હતું સરેન્ડર! 

ભરૂચનું રાજકારણ અનેક વખત ચર્ચામાં રહેતું હોય છે. મનસુખ વસાવા તેમજ ચૈતર વસાવા દ્વારા આપવામાં આવતા નિવેદનને કારણે આની ચર્ચાઓ થતી હોય છે. ત્યારે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે. પોલીસ ફરિયાદ થઈ તે બાદ થોડા સમય માટે ધારાસભ્ય ફરાર થઈ ગયા હતા. પરંતુ થોડા સમય પહેલા પોલીસ સમક્ષ તેમણે સરેન્ડર કર્યું હતું. મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ નેતાઓ ત્યાં હાજર હતા.


શકુન્તલા વસાવાને નથી મળ્યા જામીન!

જેલમાં રહીને ચૈતર વસાવાએ અનેક વખત સંદેશો મોકલાવ્યો છે. લોકસભા ચૂંટણી લડશે તે અંગેની જાહેરાત તેમના દ્વારા કરવામાં આવી હતી. તે ઉપરાંત જ્યારે આપના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા હતા તે વખતે તેમણે જાહેરાત કરી કે ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે. જેલમાં ચૈતર વસાવાની પત્ની પણ છે. ચૈતર વસાવાને શરતી જામીન મળી ગયા છે પરંતુ તેમના પત્ની શકુન્તલા વસાવાને જામીન નથી મળ્યા. જામીન અંગેની સુનાવણી આગામી દિવસોમાં થવાની છે. જેને કારણે જામીન મળ્યા બાદ પણ ચૈતર વસાવા જેલમાં છે. ચૈતર વસાવા અઠવાડિયામાં બહાર આવશે તેવી માહિતી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે આપી છે. 


લોકસભા ચૂંટણી પહેલા ચૈતર વસાવાએ મોકલાવ્યો સંદેશ!

યુવરાજસિંહ ચૈતર વસાવાને મળવા માટે પહોંચ્યા હતા તે વખતે ચૈતર વસાવાએ તેમના સમર્થકોને સંદેશ આપ્યો છે. તેમણે સંદેશો મોકલાવ્યા હતા કે હું આવતા અઠવાડિયે જેલમાંથી બહાર આવું છું. તમે લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી જાવ. મહત્વનું છે કે ચૈતર વસાવાના સમર્થનમાં અનેક વખત ડેડીયાપાડામાં ચૈતર વસાવાના પત્નીએ તેમજ તેમના સમર્થકોએ રેલી કાઢી છે.        



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે