ડેડીયાપાડાના ધારાસભ્ય Chaitar Vasava હજી જેલમાં રહેશે! જાણો શા માટે જામીન મળ્યા બાદ પણ નથી આવી રહ્યા જેલની બહાર?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-23 12:23:30

સોમવારે ચૈતર વસાવાને શરતી જામીન મળ્યા હતા. જામીન માટે રાખવામાં આવી શરત અનુસાર તે નર્મદા જિલ્લાની હદમાં એન્ટર નહીં કરી શકે. ચૈતર વસાવાનો કેસ જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી નર્મદા જિલ્લાની હદમાં પ્રવેશ નહીં કરી શકે. આ શરતે જામીન તેમને આપવામાં આવી છે. પરંતુ હવે એવી માહિતી સામે આવી છે કે ચૈતર વસાવા જેલમાં રહેશે કારણ કે તેમના પત્ની શકુન્તલાબેન વસાવાને જામીન નથી મળ્યા. સજોડે બહાર આવશે તેવી માહિતી સામે આવી છે જેને કારણે જામીન મળ્યા બાદ પણ ચૈતર વસાવા જેલમાં રહેશે. 


કોર્ટે ચૈતર વસાવાને આપ્યા હતા શરતી જામીન 

ડેડીયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવાને શરતી જામીન આપવામાં આવ્યા છે. સોમવારે ધારાસભ્યને જામીન મળતા કાર્યકર્તાઓમાં આનંદ હતો, આદિવાસી સમાજના લોકોમાં પણ ઉત્સાહ હતો પરંતુ હવે એવી માહિતી સામે આવી છે કે જામીન મળવા છતાંય ચૈતર વસાવા બહાર નથી આવવાના. કારણ કે તેમના પત્ની શકુન્તલા વસાવાને જામીન નથી મળ્યા. શકુન્તલા વસાવા જેલમાં છે જેને કારણે ચૈતર વસાવા પણ જેલમાં જ રહેશે તેવી માહિતી સામે આવી છે. 


શકુન્તલા વસાવાને નથી મળ્યા જામીન

જામીન અરજીની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થવાની છે તેવી માહિતી સામે આવી છે. આવતીકાલે એટલે બુધવારે સુપ્રીમ કોર્ટમાં શકુન્તલા બેન વસાવાના જામીન અરજી પર સુનાવણી થવાની છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને 40 દિવસ બાદ કોર્ટે શરતી જામીન આપ્યા છે. પરંતુ તે જેલની બહાર નહીં આવે કારણ કે તેમના પત્નીને જામીન મળ્યા નથી. ચૈતર વસાવાના પત્ની શકુન્તલાબેન પણ જેલમાં બંધ છે અને તેમના જામીન અરજી પર કાલે સુનાવણી થવાની છે. પત્નીને જામીન મળ્યા બાદ જ ચૈતર વસાવા સજોડે જેલની બહાર આવશે તેવી વાત સામે આવી છે.  



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.