ડેડીયાપાડાના ધારાસભ્ય Chaitar Vasava હજી જેલમાં રહેશે! જાણો શા માટે જામીન મળ્યા બાદ પણ નથી આવી રહ્યા જેલની બહાર?


  • Published By :
  • Published Date : 2024-01-23 12:23:30

સોમવારે ચૈતર વસાવાને શરતી જામીન મળ્યા હતા. જામીન માટે રાખવામાં આવી શરત અનુસાર તે નર્મદા જિલ્લાની હદમાં એન્ટર નહીં કરી શકે. ચૈતર વસાવાનો કેસ જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી નર્મદા જિલ્લાની હદમાં પ્રવેશ નહીં કરી શકે. આ શરતે જામીન તેમને આપવામાં આવી છે. પરંતુ હવે એવી માહિતી સામે આવી છે કે ચૈતર વસાવા જેલમાં રહેશે કારણ કે તેમના પત્ની શકુન્તલાબેન વસાવાને જામીન નથી મળ્યા. સજોડે બહાર આવશે તેવી માહિતી સામે આવી છે જેને કારણે જામીન મળ્યા બાદ પણ ચૈતર વસાવા જેલમાં રહેશે. 


કોર્ટે ચૈતર વસાવાને આપ્યા હતા શરતી જામીન 

ડેડીયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવાને શરતી જામીન આપવામાં આવ્યા છે. સોમવારે ધારાસભ્યને જામીન મળતા કાર્યકર્તાઓમાં આનંદ હતો, આદિવાસી સમાજના લોકોમાં પણ ઉત્સાહ હતો પરંતુ હવે એવી માહિતી સામે આવી છે કે જામીન મળવા છતાંય ચૈતર વસાવા બહાર નથી આવવાના. કારણ કે તેમના પત્ની શકુન્તલા વસાવાને જામીન નથી મળ્યા. શકુન્તલા વસાવા જેલમાં છે જેને કારણે ચૈતર વસાવા પણ જેલમાં જ રહેશે તેવી માહિતી સામે આવી છે. 


શકુન્તલા વસાવાને નથી મળ્યા જામીન

જામીન અરજીની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થવાની છે તેવી માહિતી સામે આવી છે. આવતીકાલે એટલે બુધવારે સુપ્રીમ કોર્ટમાં શકુન્તલા બેન વસાવાના જામીન અરજી પર સુનાવણી થવાની છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને 40 દિવસ બાદ કોર્ટે શરતી જામીન આપ્યા છે. પરંતુ તે જેલની બહાર નહીં આવે કારણ કે તેમના પત્નીને જામીન મળ્યા નથી. ચૈતર વસાવાના પત્ની શકુન્તલાબેન પણ જેલમાં બંધ છે અને તેમના જામીન અરજી પર કાલે સુનાવણી થવાની છે. પત્નીને જામીન મળ્યા બાદ જ ચૈતર વસાવા સજોડે જેલની બહાર આવશે તેવી વાત સામે આવી છે.  



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે