ડેડીયાપાડાના ધારાસભ્ય Chaitar Vasava હજી જેલમાં રહેશે! જાણો શા માટે જામીન મળ્યા બાદ પણ નથી આવી રહ્યા જેલની બહાર?


  • Published By :
  • Published Date : 2024-01-23 12:23:30

સોમવારે ચૈતર વસાવાને શરતી જામીન મળ્યા હતા. જામીન માટે રાખવામાં આવી શરત અનુસાર તે નર્મદા જિલ્લાની હદમાં એન્ટર નહીં કરી શકે. ચૈતર વસાવાનો કેસ જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી નર્મદા જિલ્લાની હદમાં પ્રવેશ નહીં કરી શકે. આ શરતે જામીન તેમને આપવામાં આવી છે. પરંતુ હવે એવી માહિતી સામે આવી છે કે ચૈતર વસાવા જેલમાં રહેશે કારણ કે તેમના પત્ની શકુન્તલાબેન વસાવાને જામીન નથી મળ્યા. સજોડે બહાર આવશે તેવી માહિતી સામે આવી છે જેને કારણે જામીન મળ્યા બાદ પણ ચૈતર વસાવા જેલમાં રહેશે. 


કોર્ટે ચૈતર વસાવાને આપ્યા હતા શરતી જામીન 

ડેડીયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવાને શરતી જામીન આપવામાં આવ્યા છે. સોમવારે ધારાસભ્યને જામીન મળતા કાર્યકર્તાઓમાં આનંદ હતો, આદિવાસી સમાજના લોકોમાં પણ ઉત્સાહ હતો પરંતુ હવે એવી માહિતી સામે આવી છે કે જામીન મળવા છતાંય ચૈતર વસાવા બહાર નથી આવવાના. કારણ કે તેમના પત્ની શકુન્તલા વસાવાને જામીન નથી મળ્યા. શકુન્તલા વસાવા જેલમાં છે જેને કારણે ચૈતર વસાવા પણ જેલમાં જ રહેશે તેવી માહિતી સામે આવી છે. 


શકુન્તલા વસાવાને નથી મળ્યા જામીન

જામીન અરજીની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થવાની છે તેવી માહિતી સામે આવી છે. આવતીકાલે એટલે બુધવારે સુપ્રીમ કોર્ટમાં શકુન્તલા બેન વસાવાના જામીન અરજી પર સુનાવણી થવાની છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને 40 દિવસ બાદ કોર્ટે શરતી જામીન આપ્યા છે. પરંતુ તે જેલની બહાર નહીં આવે કારણ કે તેમના પત્નીને જામીન મળ્યા નથી. ચૈતર વસાવાના પત્ની શકુન્તલાબેન પણ જેલમાં બંધ છે અને તેમના જામીન અરજી પર કાલે સુનાવણી થવાની છે. પત્નીને જામીન મળ્યા બાદ જ ચૈતર વસાવા સજોડે જેલની બહાર આવશે તેવી વાત સામે આવી છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.