ધોરાજી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાની હાર


  • Published By :
  • Published Date : 2022-12-08 11:41:56

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી કરવામાં આવી રહી છે. 182 બેઠક માટે મતદાન યોજાયું હતું. જેનું પરિણામ આજે આવી રહ્યું છે. જેમાં કોંગ્રેસને ઘણી ઓછી સીટ મળી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ ગુજરાતની રાજનીતિમાં પ્રથમ વખત ભાગ લઈ સારૂ પ્રદર્શન કર્યું છે. કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ હાર્યા છે. ત્યારે ધોરાજી બેઠક પરથી લલિત વસોયાને હારનો સામનો કરવો પડ્યો છે. 

રાજકીય ગરમાવો / લલિત વસોયા જશે ભાજપમાં? સામાજિક કાર્યક્રમની પત્રિકામાં  કોંગ્રેસના નહીં ભાજપના નેતાઓના નામ - GSTV

લલિત વસોયાએ સ્વીકારી પોતાની હાર

ભાજપને આ વખતે અંદાજીત 150 જેટલી સીટો મળી રહી છે. જ્યારે કોંગ્રેસને માત્ર 20 સીટ મળી છે. આમ આદમી પાર્ટીને 8 સીટો મળી છે જ્યારે અપક્ષને 5 સીટ મળી છે. આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસનું ખરાબ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. કોંગ્રેસના ફાળે એકદમ ઓછી સીટો આવી છે. ત્યારે ધોરાજીના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોાએ પોતાની હાર સ્વીકારી છે. પોતાનું નિવેદન આપતા લલિત વસોયાએ કહ્યું છે મારી બેઠક પર આમ આદમી પાર્ટી કોંગ્રેસને નુકસાન કરી રહી છે. હું સ્પષ્ટપણે માનું છું કે આમ આદમી પાર્ટીને કારણે હું ધોરાજી-ઉપલેટા બેઠક હારી રહ્યો છું. 




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.