ધોરાજી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાની હાર


  • Published By :
  • Published Date : 2022-12-08 11:41:56

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી કરવામાં આવી રહી છે. 182 બેઠક માટે મતદાન યોજાયું હતું. જેનું પરિણામ આજે આવી રહ્યું છે. જેમાં કોંગ્રેસને ઘણી ઓછી સીટ મળી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ ગુજરાતની રાજનીતિમાં પ્રથમ વખત ભાગ લઈ સારૂ પ્રદર્શન કર્યું છે. કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ હાર્યા છે. ત્યારે ધોરાજી બેઠક પરથી લલિત વસોયાને હારનો સામનો કરવો પડ્યો છે. 

રાજકીય ગરમાવો / લલિત વસોયા જશે ભાજપમાં? સામાજિક કાર્યક્રમની પત્રિકામાં  કોંગ્રેસના નહીં ભાજપના નેતાઓના નામ - GSTV

લલિત વસોયાએ સ્વીકારી પોતાની હાર

ભાજપને આ વખતે અંદાજીત 150 જેટલી સીટો મળી રહી છે. જ્યારે કોંગ્રેસને માત્ર 20 સીટ મળી છે. આમ આદમી પાર્ટીને 8 સીટો મળી છે જ્યારે અપક્ષને 5 સીટ મળી છે. આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસનું ખરાબ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. કોંગ્રેસના ફાળે એકદમ ઓછી સીટો આવી છે. ત્યારે ધોરાજીના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોાએ પોતાની હાર સ્વીકારી છે. પોતાનું નિવેદન આપતા લલિત વસોયાએ કહ્યું છે મારી બેઠક પર આમ આદમી પાર્ટી કોંગ્રેસને નુકસાન કરી રહી છે. હું સ્પષ્ટપણે માનું છું કે આમ આદમી પાર્ટીને કારણે હું ધોરાજી-ઉપલેટા બેઠક હારી રહ્યો છું. 




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી