ધોરાજી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાની હાર


  • Published By :
  • Published Date : 2022-12-08 11:41:56

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી કરવામાં આવી રહી છે. 182 બેઠક માટે મતદાન યોજાયું હતું. જેનું પરિણામ આજે આવી રહ્યું છે. જેમાં કોંગ્રેસને ઘણી ઓછી સીટ મળી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ ગુજરાતની રાજનીતિમાં પ્રથમ વખત ભાગ લઈ સારૂ પ્રદર્શન કર્યું છે. કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ હાર્યા છે. ત્યારે ધોરાજી બેઠક પરથી લલિત વસોયાને હારનો સામનો કરવો પડ્યો છે. 

રાજકીય ગરમાવો / લલિત વસોયા જશે ભાજપમાં? સામાજિક કાર્યક્રમની પત્રિકામાં  કોંગ્રેસના નહીં ભાજપના નેતાઓના નામ - GSTV

લલિત વસોયાએ સ્વીકારી પોતાની હાર

ભાજપને આ વખતે અંદાજીત 150 જેટલી સીટો મળી રહી છે. જ્યારે કોંગ્રેસને માત્ર 20 સીટ મળી છે. આમ આદમી પાર્ટીને 8 સીટો મળી છે જ્યારે અપક્ષને 5 સીટ મળી છે. આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસનું ખરાબ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. કોંગ્રેસના ફાળે એકદમ ઓછી સીટો આવી છે. ત્યારે ધોરાજીના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોાએ પોતાની હાર સ્વીકારી છે. પોતાનું નિવેદન આપતા લલિત વસોયાએ કહ્યું છે મારી બેઠક પર આમ આદમી પાર્ટી કોંગ્રેસને નુકસાન કરી રહી છે. હું સ્પષ્ટપણે માનું છું કે આમ આદમી પાર્ટીને કારણે હું ધોરાજી-ઉપલેટા બેઠક હારી રહ્યો છું. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.