રક્ષા મંત્રી રાજનાથ સિંહ કોરોના સંક્રમિત, કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોમ ક્વોરન્ટાઈન થયા


  • Published By :
  • Published Date : 2023-04-20 14:44:10

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ કોરોના વાયરસથી સંક્રમિત જણાયા છે. તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા હાલ તેમને તેમના નિવાસસ્થાને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. તબીબોની એક ટીમે તેમની તપાસ કરી છે, અને તેમને કેટલાક દિવસો માટે આરામ કરવાની સલાહ આપી છે. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે રક્ષા મંત્રી રાજનાથ સિંહમાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળ્યા છે.


તમામ કાર્યક્રમો રદ્દ


અત્રે ઉલ્લેખનિય છે કે રાજનાથ સિંહને આજે ગુરૂવારે જ ભારતીય હવાઈ દળ (એરફોર્સ)ની કમાન્ડર કોન્ફરન્સમાં જવાનું હતું, પરંતું તેઓ સંક્રમિત થતા હવે આ તેમનો આ સમગ્ર કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.