દિલ્લીઃ કેન્દ્રીય મંત્રી અમિત શાહના ઘરે ભાજપની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય


  • Published By :
  • Published Date : 2022-11-08 20:22:10

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે થોડી જ વાર છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરવાની શરૂઆત કરી દીધી છે. કોંગ્રેસે 1 લિસ્ટ જ્યારે આમ આદમી પાર્ટીએ 11 જેટલી લિસ્ટ બહાર પાડી છે. ત્યારે ભાજપનું પ્રથમ લિસ્ટ ક્યારે જાહેર થશે તે મામલે સમાચાર આવી રહ્યા છે.

 

 સતત બીજા દિવસે ગુજરાત મામલે બેઠક

સતત બીજા દિવસે દિલ્લીમાં ગુજરાત ભાજપના કયા ઉમેદવારોને ચૂંટણી લડાવવી તે મામલે બેઠક ચાલી રહી છે. ઉમેદવારો મામલે દિલ્લી સ્થિત અમિત શાહના નિવાસસ્થાને બેઠકો ચાલી રહી છે. આજે સતત બીજા દિવસે મંથન ચાલી રહ્યું છે જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ સ્ટેટ જનરલ સેક્રેટરી રત્નાકર અને મનસુખ માંડવિયા ઉપસ્થિત છે. ભાજપના કયા ઉમેદવારોને મોકો આપવો કે કોની ટિકિટ કાપવી તે મામલે મંથન થઈ રહ્યું છે. ગઈકાલે પણ સાત કલાક બેઠક ચાલી હતી અને આજે સતત બીજા દિવસે પણ બેઠક યોજવામાં આવી હતી.

 

10 નવેમ્બરે ભાજપ પોતાના ઉમેદવારો જાહેર કરી શકેઃ સૂત્ર

કોંગ્રેસે પોતાના 43 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દીધું છે. જ્યારે આમ આદમી પાર્ટીએ 150થી વધુ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દીધું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી આગામી 10 નવેમ્બરે પોતાના ઉમેદવારોની પહેલી લિસ્ટ જાહેર કરે તેવા સૂત્રોના માધ્યમથી સમાચાર આવી રહ્યા છે



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"