દિલ્લીઃ કેન્દ્રીય મંત્રી અમિત શાહના ઘરે ભાજપની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય


  • Published By :
  • Published Date : 2022-11-08 20:22:10

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે થોડી જ વાર છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરવાની શરૂઆત કરી દીધી છે. કોંગ્રેસે 1 લિસ્ટ જ્યારે આમ આદમી પાર્ટીએ 11 જેટલી લિસ્ટ બહાર પાડી છે. ત્યારે ભાજપનું પ્રથમ લિસ્ટ ક્યારે જાહેર થશે તે મામલે સમાચાર આવી રહ્યા છે.

 

 સતત બીજા દિવસે ગુજરાત મામલે બેઠક

સતત બીજા દિવસે દિલ્લીમાં ગુજરાત ભાજપના કયા ઉમેદવારોને ચૂંટણી લડાવવી તે મામલે બેઠક ચાલી રહી છે. ઉમેદવારો મામલે દિલ્લી સ્થિત અમિત શાહના નિવાસસ્થાને બેઠકો ચાલી રહી છે. આજે સતત બીજા દિવસે મંથન ચાલી રહ્યું છે જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ સ્ટેટ જનરલ સેક્રેટરી રત્નાકર અને મનસુખ માંડવિયા ઉપસ્થિત છે. ભાજપના કયા ઉમેદવારોને મોકો આપવો કે કોની ટિકિટ કાપવી તે મામલે મંથન થઈ રહ્યું છે. ગઈકાલે પણ સાત કલાક બેઠક ચાલી હતી અને આજે સતત બીજા દિવસે પણ બેઠક યોજવામાં આવી હતી.

 

10 નવેમ્બરે ભાજપ પોતાના ઉમેદવારો જાહેર કરી શકેઃ સૂત્ર

કોંગ્રેસે પોતાના 43 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દીધું છે. જ્યારે આમ આદમી પાર્ટીએ 150થી વધુ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દીધું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી આગામી 10 નવેમ્બરે પોતાના ઉમેદવારોની પહેલી લિસ્ટ જાહેર કરે તેવા સૂત્રોના માધ્યમથી સમાચાર આવી રહ્યા છે



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.