દિલ્લીઃ કેન્દ્રીય મંત્રી અમિત શાહના ઘરે ભાજપની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય


  • Published By :
  • Published Date : 2022-11-08 20:22:10

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે થોડી જ વાર છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરવાની શરૂઆત કરી દીધી છે. કોંગ્રેસે 1 લિસ્ટ જ્યારે આમ આદમી પાર્ટીએ 11 જેટલી લિસ્ટ બહાર પાડી છે. ત્યારે ભાજપનું પ્રથમ લિસ્ટ ક્યારે જાહેર થશે તે મામલે સમાચાર આવી રહ્યા છે.

 

 સતત બીજા દિવસે ગુજરાત મામલે બેઠક

સતત બીજા દિવસે દિલ્લીમાં ગુજરાત ભાજપના કયા ઉમેદવારોને ચૂંટણી લડાવવી તે મામલે બેઠક ચાલી રહી છે. ઉમેદવારો મામલે દિલ્લી સ્થિત અમિત શાહના નિવાસસ્થાને બેઠકો ચાલી રહી છે. આજે સતત બીજા દિવસે મંથન ચાલી રહ્યું છે જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ સ્ટેટ જનરલ સેક્રેટરી રત્નાકર અને મનસુખ માંડવિયા ઉપસ્થિત છે. ભાજપના કયા ઉમેદવારોને મોકો આપવો કે કોની ટિકિટ કાપવી તે મામલે મંથન થઈ રહ્યું છે. ગઈકાલે પણ સાત કલાક બેઠક ચાલી હતી અને આજે સતત બીજા દિવસે પણ બેઠક યોજવામાં આવી હતી.

 

10 નવેમ્બરે ભાજપ પોતાના ઉમેદવારો જાહેર કરી શકેઃ સૂત્ર

કોંગ્રેસે પોતાના 43 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દીધું છે. જ્યારે આમ આદમી પાર્ટીએ 150થી વધુ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દીધું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી આગામી 10 નવેમ્બરે પોતાના ઉમેદવારોની પહેલી લિસ્ટ જાહેર કરે તેવા સૂત્રોના માધ્યમથી સમાચાર આવી રહ્યા છે



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.