દિલ્હી: આઝાદ માર્કેટ વિસ્તારમાં બિલ્ડીંગ ધરાશાયી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 11:51:39

બિલ્ડીંગ ઘરાશાઈ થવાના અનેક કિસ્સાઓ બનતા હોય છે. જેને કારણે જાનહાની પણ સર્જાતિ હોય છે. આવા બનાવમાં અનેક લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે. ત્યારે આવી જ ઘટના દિલ્હીના આઝાદ માર્કેટ વિસ્તારમાં બની છે. નિર્માણ પામી રહેલી 4 માળની ઈમારત પડી જતા અનેક મજૂરો ઈજાગસ્ત થયા છે.

  

નિર્માણ પામેલી ઈમારત થઈ ઘરાશાઈ 

અનેક કારણો સર બિલ્ડીંગ ઘરાશાઈ થતી હોય છે. જર્જરિત ઈમારતો તો જર્જરિત થાય છે પરંતુ નિર્માણ પામી રહેલી ઈમારતો પણ ઘરાશાઈ થઈ જતી હોય છે. હાદસા દરમિયાન અનેક લોકોના જીવ પણ જતા હોય છે. નિર્માણ પામી રહેલી બિલ્ડીંગમાં મજૂરો કામ કરતા ઘણી વખત ઘાયલ થતા હોય છે. પોતાના જીવને જોખમમાં નાખી કન્ટ્રક્શન સાઈટ પર મજૂરો આપણ સપનાનું ઘર બનાવતા હોય છે. ત્યારે દિલ્હીના આઝાદના શિશ મહેલ વિસ્તારમાં નિર્માણ પામી રહેલી 4 માળની ઈમારત પડતા અનેક મજૂરો ફસાયા હતા જેમાંથી અમુક મજૂરોની હાલત ગંભીર છે. તમામ મજૂરોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 



સ્થાનિકોએ મહેકાવી માનવતા  

હાદસો થતા રેસ્ક્યું ટીમે ફસાયેલા મજૂરોને બહાર કાઢવા કાર્યવાહી હાથ ધરી હતી. સ્થાનિક લોકો પણ રેસ્ક્યુ ટીમની સાથે આવી મજૂરોનો જીવ બચાવવા પ્રયાસ કર્યો હતો. સ્થાનિક લોકો પણ આ કાર્યમાં જોડાતા માનવતાનું ઉત્તમ દ્રશ્ય જોવા મળ્યું હતું.





ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી