દિલ્હી: આઝાદ માર્કેટ વિસ્તારમાં બિલ્ડીંગ ધરાશાયી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 11:51:39

બિલ્ડીંગ ઘરાશાઈ થવાના અનેક કિસ્સાઓ બનતા હોય છે. જેને કારણે જાનહાની પણ સર્જાતિ હોય છે. આવા બનાવમાં અનેક લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે. ત્યારે આવી જ ઘટના દિલ્હીના આઝાદ માર્કેટ વિસ્તારમાં બની છે. નિર્માણ પામી રહેલી 4 માળની ઈમારત પડી જતા અનેક મજૂરો ઈજાગસ્ત થયા છે.

  

નિર્માણ પામેલી ઈમારત થઈ ઘરાશાઈ 

અનેક કારણો સર બિલ્ડીંગ ઘરાશાઈ થતી હોય છે. જર્જરિત ઈમારતો તો જર્જરિત થાય છે પરંતુ નિર્માણ પામી રહેલી ઈમારતો પણ ઘરાશાઈ થઈ જતી હોય છે. હાદસા દરમિયાન અનેક લોકોના જીવ પણ જતા હોય છે. નિર્માણ પામી રહેલી બિલ્ડીંગમાં મજૂરો કામ કરતા ઘણી વખત ઘાયલ થતા હોય છે. પોતાના જીવને જોખમમાં નાખી કન્ટ્રક્શન સાઈટ પર મજૂરો આપણ સપનાનું ઘર બનાવતા હોય છે. ત્યારે દિલ્હીના આઝાદના શિશ મહેલ વિસ્તારમાં નિર્માણ પામી રહેલી 4 માળની ઈમારત પડતા અનેક મજૂરો ફસાયા હતા જેમાંથી અમુક મજૂરોની હાલત ગંભીર છે. તમામ મજૂરોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 



સ્થાનિકોએ મહેકાવી માનવતા  

હાદસો થતા રેસ્ક્યું ટીમે ફસાયેલા મજૂરોને બહાર કાઢવા કાર્યવાહી હાથ ધરી હતી. સ્થાનિક લોકો પણ રેસ્ક્યુ ટીમની સાથે આવી મજૂરોનો જીવ બચાવવા પ્રયાસ કર્યો હતો. સ્થાનિક લોકો પણ આ કાર્યમાં જોડાતા માનવતાનું ઉત્તમ દ્રશ્ય જોવા મળ્યું હતું.





ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.