દિલ્હી કોચિંગક્લાસ અગ્નિકાંડ કેસ: જ્યાં કોચિંગ ક્લાસ ચાલતા હતા ત્યાં ન હતી ફાયર સેફ્ટી! હાઈકોર્ટે પાઠવી નોટિસ અને માગ્યો જવાબ


  • Published By :
  • Published Date : 2023-06-17 14:15:16

થોડા દિવસો પહેલા દિલ્હીમાં એક કોચિંગ સેન્ટરમાં આગ લાગવાની ઘટના બની હતી. વિદ્યાર્થીઓએ પોતાનો જીવ બચાવવા માટે જીવને જોખમમાં મૂક્યો હતો. અનેક વિદ્યાર્થીઓએ ત્રીજા માળથી કૂદકો માર્યો હતો. ત્યારે આ મામલે હાઈકોર્ટે જાતે હસ્તક્ષેપ કર્યું છે અને આ મામલે જવાબ માંગ્યો છે. સ્થાનિક પ્રશાસન પાસેથી કોર્ટે જવાબ માગ્યો છે અને આ મામલે પોલીસ દ્વારા એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. મળતી માહિતી અનુસાર આ મામલે 3 જૂલાઈએ સુનાવણી હાથ ધરવામાં આવશે.    


ત્રીજા માળે આવેલા કોચિંગ સેન્ટરમાં લાગી હતી આગ! 

ઘણા વર્ષો પહેલા ગુજરાતના સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ સર્જાયો હતો. આ ઘટનામાં અનેક વિદ્યાર્થીઓના મોત થઈ ગયા હતા. ત્યારે આવી જ દુર્ઘટના રાજધાની દિલ્હીમાં થોડા દિવસો પહેલા બની હતી. મુખર્જીનગર ત્રીજા માળે આવેલા કોચિંગ ક્લાસમાં અચાનક આગ ફાટી નિકળતા વિદ્યાર્થીઓના જીવ બચાવવા દોરડાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો . અંદાજીત 70થી વધારે  વિદ્યાર્થીઓ ઘાયલ થયાં છે. ત્રીજા માળેથી વિદ્યાર્થીઓ કૂદકા મારી રહ્યા હતા. જ્યારે આગ લાગી ત્યારે કોચિંગ સેન્ટરમાં 500 જેટલા વિદ્યાર્થીઓ હાજર હતા. શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોય તેવું પ્રાથમિક અનુમાન હતું ત્યારે આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.   


હાઈકોર્ટે આ મામલે માગ્યો જવાબ!

મળતી માહિતી અનુસાર પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી હાઈકોર્ટે જાતે જ હસ્તક્ષેપ કર્યો છે અને સ્થાનિક તંત્ર પાસેથી આ મામલે જવાબ માંગ્યો છે. શુક્રવારે હાઈકોર્ટે દિલ્હી સરકાર, સ્ટેટ ફાયર વિભાગ સર્વિસ, નગર નિગમ તેમજ સ્થાનિય પોલીસ પ્રશાસનને નોટિસ પાઠવી છે અને સ્પષ્ટીકરણ માગ્યું છે. મળતી માહિતી અનુસાર આ મામલે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે. જ્યારે આ મામલે તપાસ કરવામાં આવી ત્યારે સામે આવ્યું કે બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીની ઉચિત વ્યવસ્થા ન હતી. બિલ્ડીંગ પર લાગેલી ટાંકીમાં પાણી ન હતું. તે સિવાય સ્મોક ડિટેક્ટર પણ ન હતું. ત્યારે આ મામલે કોર્ટે જવાબ માગ્યો છે.    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.