દિલ્હી કોચિંગક્લાસ અગ્નિકાંડ કેસ: જ્યાં કોચિંગ ક્લાસ ચાલતા હતા ત્યાં ન હતી ફાયર સેફ્ટી! હાઈકોર્ટે પાઠવી નોટિસ અને માગ્યો જવાબ


  • Published By :
  • Published Date : 2023-06-17 14:15:16

થોડા દિવસો પહેલા દિલ્હીમાં એક કોચિંગ સેન્ટરમાં આગ લાગવાની ઘટના બની હતી. વિદ્યાર્થીઓએ પોતાનો જીવ બચાવવા માટે જીવને જોખમમાં મૂક્યો હતો. અનેક વિદ્યાર્થીઓએ ત્રીજા માળથી કૂદકો માર્યો હતો. ત્યારે આ મામલે હાઈકોર્ટે જાતે હસ્તક્ષેપ કર્યું છે અને આ મામલે જવાબ માંગ્યો છે. સ્થાનિક પ્રશાસન પાસેથી કોર્ટે જવાબ માગ્યો છે અને આ મામલે પોલીસ દ્વારા એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. મળતી માહિતી અનુસાર આ મામલે 3 જૂલાઈએ સુનાવણી હાથ ધરવામાં આવશે.    


ત્રીજા માળે આવેલા કોચિંગ સેન્ટરમાં લાગી હતી આગ! 

ઘણા વર્ષો પહેલા ગુજરાતના સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ સર્જાયો હતો. આ ઘટનામાં અનેક વિદ્યાર્થીઓના મોત થઈ ગયા હતા. ત્યારે આવી જ દુર્ઘટના રાજધાની દિલ્હીમાં થોડા દિવસો પહેલા બની હતી. મુખર્જીનગર ત્રીજા માળે આવેલા કોચિંગ ક્લાસમાં અચાનક આગ ફાટી નિકળતા વિદ્યાર્થીઓના જીવ બચાવવા દોરડાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો . અંદાજીત 70થી વધારે  વિદ્યાર્થીઓ ઘાયલ થયાં છે. ત્રીજા માળેથી વિદ્યાર્થીઓ કૂદકા મારી રહ્યા હતા. જ્યારે આગ લાગી ત્યારે કોચિંગ સેન્ટરમાં 500 જેટલા વિદ્યાર્થીઓ હાજર હતા. શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોય તેવું પ્રાથમિક અનુમાન હતું ત્યારે આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.   


હાઈકોર્ટે આ મામલે માગ્યો જવાબ!

મળતી માહિતી અનુસાર પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી હાઈકોર્ટે જાતે જ હસ્તક્ષેપ કર્યો છે અને સ્થાનિક તંત્ર પાસેથી આ મામલે જવાબ માંગ્યો છે. શુક્રવારે હાઈકોર્ટે દિલ્હી સરકાર, સ્ટેટ ફાયર વિભાગ સર્વિસ, નગર નિગમ તેમજ સ્થાનિય પોલીસ પ્રશાસનને નોટિસ પાઠવી છે અને સ્પષ્ટીકરણ માગ્યું છે. મળતી માહિતી અનુસાર આ મામલે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે. જ્યારે આ મામલે તપાસ કરવામાં આવી ત્યારે સામે આવ્યું કે બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીની ઉચિત વ્યવસ્થા ન હતી. બિલ્ડીંગ પર લાગેલી ટાંકીમાં પાણી ન હતું. તે સિવાય સ્મોક ડિટેક્ટર પણ ન હતું. ત્યારે આ મામલે કોર્ટે જવાબ માગ્યો છે.    



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.