દિલ્હીના શિક્ષણ મંત્રી આવશે ગુજરાત, શિક્ષણ નીતિને લઈ કરી શકે છે મોટી જાહેરાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 10:55:23

ગુજરાત વિધાનસભા નજીક આવતા તમામ રાજકીય પાર્ટી સક્રિય થઈ ગઈ છે. ગુજરાતમાં દરેક પાર્ટી જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહી છે. આમ આદમી પાર્ટી ચૂંટણીને લઈ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. આપના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે અવારનવાર આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ 2 દિવસ માટે ગુજરાતની મુલાકાતે હતા ત્યારે દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.

2 દિવસ માટે સિસોદિયા બનશે ગુજરાતના મહેમાન 

મનીષ સિસોદિયાની સીબીઆઈ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. અંદાજીત 9 કલાક સુધી પૂછપરછ ચાલી હતી. CBI દ્વારા તપાસ કરવામાં આવતા અરવિંદ કેજરીવાલે આડકતરી રીતે ભાજપ પર પ્રહાર કર્યા હતા. આમ આદમી પાર્ટીને લાગતું હતું કે મનીષ સિસોદિયાને ગિરફતાર કરવામાં આવશે. પરંતુ તેમની ગિરફતારી નથી કરવામાં આવી. ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે મનીષ સિસોદિયા ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 

  

દિલ્હી મોડલની આડકતરી રીતે કરી વાત 

મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે દરેક પરિવાર પોતાના બાળકોના સારા ભવિષ્ય માટે સારી શાળાઓ બનાવતી સરકાર પસંદ કરશે. અરવિંદ કેજરીવાલે વચન આપ્યું છે કે ગુજરાતની તમામ શાળા દિલ્હી શાળાની જેમ બનાવીશું. પ્રચારમાં શાળાની વાત આવતા એવું લાગુ રહ્યું છે કે સી.આર.પાટીલે આપેલી ચેલેન્જનો તે સ્વીકાર કરી શકે છે.  




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.