દિલ્હીના શિક્ષણ મંત્રી આવશે ગુજરાત, શિક્ષણ નીતિને લઈ કરી શકે છે મોટી જાહેરાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 10:55:23

ગુજરાત વિધાનસભા નજીક આવતા તમામ રાજકીય પાર્ટી સક્રિય થઈ ગઈ છે. ગુજરાતમાં દરેક પાર્ટી જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહી છે. આમ આદમી પાર્ટી ચૂંટણીને લઈ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. આપના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે અવારનવાર આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ 2 દિવસ માટે ગુજરાતની મુલાકાતે હતા ત્યારે દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.

2 દિવસ માટે સિસોદિયા બનશે ગુજરાતના મહેમાન 

મનીષ સિસોદિયાની સીબીઆઈ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. અંદાજીત 9 કલાક સુધી પૂછપરછ ચાલી હતી. CBI દ્વારા તપાસ કરવામાં આવતા અરવિંદ કેજરીવાલે આડકતરી રીતે ભાજપ પર પ્રહાર કર્યા હતા. આમ આદમી પાર્ટીને લાગતું હતું કે મનીષ સિસોદિયાને ગિરફતાર કરવામાં આવશે. પરંતુ તેમની ગિરફતારી નથી કરવામાં આવી. ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે મનીષ સિસોદિયા ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 

  

દિલ્હી મોડલની આડકતરી રીતે કરી વાત 

મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે દરેક પરિવાર પોતાના બાળકોના સારા ભવિષ્ય માટે સારી શાળાઓ બનાવતી સરકાર પસંદ કરશે. અરવિંદ કેજરીવાલે વચન આપ્યું છે કે ગુજરાતની તમામ શાળા દિલ્હી શાળાની જેમ બનાવીશું. પ્રચારમાં શાળાની વાત આવતા એવું લાગુ રહ્યું છે કે સી.આર.પાટીલે આપેલી ચેલેન્જનો તે સ્વીકાર કરી શકે છે.  




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.