દિલ્હીના શિક્ષણ મંત્રી આવશે ગુજરાત, શિક્ષણ નીતિને લઈ કરી શકે છે મોટી જાહેરાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 10:55:23

ગુજરાત વિધાનસભા નજીક આવતા તમામ રાજકીય પાર્ટી સક્રિય થઈ ગઈ છે. ગુજરાતમાં દરેક પાર્ટી જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહી છે. આમ આદમી પાર્ટી ચૂંટણીને લઈ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. આપના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે અવારનવાર આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ 2 દિવસ માટે ગુજરાતની મુલાકાતે હતા ત્યારે દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.

2 દિવસ માટે સિસોદિયા બનશે ગુજરાતના મહેમાન 

મનીષ સિસોદિયાની સીબીઆઈ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. અંદાજીત 9 કલાક સુધી પૂછપરછ ચાલી હતી. CBI દ્વારા તપાસ કરવામાં આવતા અરવિંદ કેજરીવાલે આડકતરી રીતે ભાજપ પર પ્રહાર કર્યા હતા. આમ આદમી પાર્ટીને લાગતું હતું કે મનીષ સિસોદિયાને ગિરફતાર કરવામાં આવશે. પરંતુ તેમની ગિરફતારી નથી કરવામાં આવી. ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે મનીષ સિસોદિયા ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 

  

દિલ્હી મોડલની આડકતરી રીતે કરી વાત 

મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે દરેક પરિવાર પોતાના બાળકોના સારા ભવિષ્ય માટે સારી શાળાઓ બનાવતી સરકાર પસંદ કરશે. અરવિંદ કેજરીવાલે વચન આપ્યું છે કે ગુજરાતની તમામ શાળા દિલ્હી શાળાની જેમ બનાવીશું. પ્રચારમાં શાળાની વાત આવતા એવું લાગુ રહ્યું છે કે સી.આર.પાટીલે આપેલી ચેલેન્જનો તે સ્વીકાર કરી શકે છે.  




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે