દિલ્હીના શિક્ષણ મંત્રી આવશે ગુજરાત, શિક્ષણ નીતિને લઈ કરી શકે છે મોટી જાહેરાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 10:55:23

ગુજરાત વિધાનસભા નજીક આવતા તમામ રાજકીય પાર્ટી સક્રિય થઈ ગઈ છે. ગુજરાતમાં દરેક પાર્ટી જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહી છે. આમ આદમી પાર્ટી ચૂંટણીને લઈ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. આપના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે અવારનવાર આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ 2 દિવસ માટે ગુજરાતની મુલાકાતે હતા ત્યારે દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.

2 દિવસ માટે સિસોદિયા બનશે ગુજરાતના મહેમાન 

મનીષ સિસોદિયાની સીબીઆઈ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. અંદાજીત 9 કલાક સુધી પૂછપરછ ચાલી હતી. CBI દ્વારા તપાસ કરવામાં આવતા અરવિંદ કેજરીવાલે આડકતરી રીતે ભાજપ પર પ્રહાર કર્યા હતા. આમ આદમી પાર્ટીને લાગતું હતું કે મનીષ સિસોદિયાને ગિરફતાર કરવામાં આવશે. પરંતુ તેમની ગિરફતારી નથી કરવામાં આવી. ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે મનીષ સિસોદિયા ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 

  

દિલ્હી મોડલની આડકતરી રીતે કરી વાત 

મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે દરેક પરિવાર પોતાના બાળકોના સારા ભવિષ્ય માટે સારી શાળાઓ બનાવતી સરકાર પસંદ કરશે. અરવિંદ કેજરીવાલે વચન આપ્યું છે કે ગુજરાતની તમામ શાળા દિલ્હી શાળાની જેમ બનાવીશું. પ્રચારમાં શાળાની વાત આવતા એવું લાગુ રહ્યું છે કે સી.આર.પાટીલે આપેલી ચેલેન્જનો તે સ્વીકાર કરી શકે છે.  




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.