દિલ્હી:વિદેશ મંત્રાલયનો ડ્રાઈવર પાકિસ્તાનને ગુપ્ત માહિતી મોકલતો હતો, પોલીસે ધરપકડ કરી


  • Published By :
  • Published Date : 2022-11-18 17:33:38

દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે શુક્રવારે વિદેશ મંત્રાલયમાં કામ કરતા ડ્રાઈવરની જાસૂસીના આરોપમાં ધરપકડ કરી છે.


દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે શુક્રવારે વિદેશ મંત્રાલયમાં કામ કરતા ડ્રાઈવરની જાસૂસીના આરોપમાં ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ડ્રાઈવર ગુપ્ત માહિતી લીક કરતો હતો. આ સિવાય એ વાત પણ સામે આવી રહી છે કે તેને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI દ્વારા હની ટ્રેપ દ્વારા ફસાવવામાં  આવ્યો હતો.


પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે તેમને ગુપ્ત માહિતી મળી હતી કે વિદેશ મંત્રાલયનો ડ્રાઇવર પાકિસ્તાનમાં એક મહિલાને ગુપ્ત માહિતી મોકલે છે. આ મહિલા ISIની એજન્ટ છે.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.