દિલ્હી:વિદેશ મંત્રાલયનો ડ્રાઈવર પાકિસ્તાનને ગુપ્ત માહિતી મોકલતો હતો, પોલીસે ધરપકડ કરી


  • Published By :
  • Published Date : 2022-11-18 17:33:38

દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે શુક્રવારે વિદેશ મંત્રાલયમાં કામ કરતા ડ્રાઈવરની જાસૂસીના આરોપમાં ધરપકડ કરી છે.


દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે શુક્રવારે વિદેશ મંત્રાલયમાં કામ કરતા ડ્રાઈવરની જાસૂસીના આરોપમાં ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ડ્રાઈવર ગુપ્ત માહિતી લીક કરતો હતો. આ સિવાય એ વાત પણ સામે આવી રહી છે કે તેને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI દ્વારા હની ટ્રેપ દ્વારા ફસાવવામાં  આવ્યો હતો.


પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે તેમને ગુપ્ત માહિતી મળી હતી કે વિદેશ મંત્રાલયનો ડ્રાઇવર પાકિસ્તાનમાં એક મહિલાને ગુપ્ત માહિતી મોકલે છે. આ મહિલા ISIની એજન્ટ છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.