દિલ્લીઃ PM મોદીએ 3 હજાર 24 EWS ફ્લેટનું ઉદ્ઘાટન કર્યું


  • Published By :
  • Published Date : 2022-11-02 17:35:32

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્લીના કાલકાજી વિસ્તારમાં સ્લમ વિસ્તારમાં પુનર્વસન યોજના અંતર્ગત 3 હજાર 24 EWS ફ્લેટનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાભાર્થીઓને ઈડબલ્યુએસ ફ્લેટની ચાવીઓ સોંપી હતી.

કાલકાજીમાં બનાવવામાં આવેલા આવાસનું નિર્માણ દિલ્લી વિકાસ ઓથોરિટી દ્વારા કરવામં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાણકારી આપી હતી કે કેંપમાં રહેતા એવા લોકો કે જેની પાસે રહેવા માટે ઘર નથી તેમને ઘર આપવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટ પાછળ સરકારનો ઉદ્દેશ્ય હતો કે ઝુંપડામાં રહેતા લોકોને સારું ઘર મળે અને સારી સ્વાસ્થ્ય વ્યવસ્થા આપવામાં આવે. 


કેવો છે ડીડીએનો પૂરો પ્રોજેક્ટ?

DDAએ કાલકાજી એક્સટેન્શન, જેલોરવાલા બાગ અને કઠપુતળી કોલોનીમાં એમ ત્રણ પ્રોજેક્ટ શરૂ કર્યા છે. કાલકાજી વિસ્તારની યોજનામાં ભૂમિહીન શિભિર, નવજીવન શિબિર અને જવાહર શિબિર નામની 3 ઝુંપડીના વિસ્તારોના લોકોને પુનર્વસન યોજના અંતર્ગત રહેવા માટે ઘર અપાવ્યા છે.   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.