દિલ્લીઃ PM મોદીએ 3 હજાર 24 EWS ફ્લેટનું ઉદ્ઘાટન કર્યું


  • Published By :
  • Published Date : 2022-11-02 17:35:32

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્લીના કાલકાજી વિસ્તારમાં સ્લમ વિસ્તારમાં પુનર્વસન યોજના અંતર્ગત 3 હજાર 24 EWS ફ્લેટનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાભાર્થીઓને ઈડબલ્યુએસ ફ્લેટની ચાવીઓ સોંપી હતી.

કાલકાજીમાં બનાવવામાં આવેલા આવાસનું નિર્માણ દિલ્લી વિકાસ ઓથોરિટી દ્વારા કરવામં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાણકારી આપી હતી કે કેંપમાં રહેતા એવા લોકો કે જેની પાસે રહેવા માટે ઘર નથી તેમને ઘર આપવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટ પાછળ સરકારનો ઉદ્દેશ્ય હતો કે ઝુંપડામાં રહેતા લોકોને સારું ઘર મળે અને સારી સ્વાસ્થ્ય વ્યવસ્થા આપવામાં આવે. 


કેવો છે ડીડીએનો પૂરો પ્રોજેક્ટ?

DDAએ કાલકાજી એક્સટેન્શન, જેલોરવાલા બાગ અને કઠપુતળી કોલોનીમાં એમ ત્રણ પ્રોજેક્ટ શરૂ કર્યા છે. કાલકાજી વિસ્તારની યોજનામાં ભૂમિહીન શિભિર, નવજીવન શિબિર અને જવાહર શિબિર નામની 3 ઝુંપડીના વિસ્તારોના લોકોને પુનર્વસન યોજના અંતર્ગત રહેવા માટે ઘર અપાવ્યા છે.   



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.