દિલ્લીઃ PM મોદીએ 3 હજાર 24 EWS ફ્લેટનું ઉદ્ઘાટન કર્યું


  • Published By :
  • Published Date : 2022-11-02 17:35:32

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્લીના કાલકાજી વિસ્તારમાં સ્લમ વિસ્તારમાં પુનર્વસન યોજના અંતર્ગત 3 હજાર 24 EWS ફ્લેટનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાભાર્થીઓને ઈડબલ્યુએસ ફ્લેટની ચાવીઓ સોંપી હતી.

કાલકાજીમાં બનાવવામાં આવેલા આવાસનું નિર્માણ દિલ્લી વિકાસ ઓથોરિટી દ્વારા કરવામં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાણકારી આપી હતી કે કેંપમાં રહેતા એવા લોકો કે જેની પાસે રહેવા માટે ઘર નથી તેમને ઘર આપવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટ પાછળ સરકારનો ઉદ્દેશ્ય હતો કે ઝુંપડામાં રહેતા લોકોને સારું ઘર મળે અને સારી સ્વાસ્થ્ય વ્યવસ્થા આપવામાં આવે. 


કેવો છે ડીડીએનો પૂરો પ્રોજેક્ટ?

DDAએ કાલકાજી એક્સટેન્શન, જેલોરવાલા બાગ અને કઠપુતળી કોલોનીમાં એમ ત્રણ પ્રોજેક્ટ શરૂ કર્યા છે. કાલકાજી વિસ્તારની યોજનામાં ભૂમિહીન શિભિર, નવજીવન શિબિર અને જવાહર શિબિર નામની 3 ઝુંપડીના વિસ્તારોના લોકોને પુનર્વસન યોજના અંતર્ગત રહેવા માટે ઘર અપાવ્યા છે.   



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.