દિલ્હીનું આજે રજૂ થઈ શકે છે બજેટ, કેન્દ્રએ આપી મંજૂરી! વિધાનસભામાં કેજરીવાલે કેન્દ્ર પર સાધ્યું નિશાન, કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-03-22 09:25:14

દિલ્હી સરકાર બુધવાર સવારે 11 વાગ્યે વિધાનસભામાં બજેટ રજૂ કરવાની છે. મળતી માહિતી અનુસાર ગૃહવિભાગે મંગળવારે બજેટ રજૂ કરવાની મંજૂરી આપી દીધી છે. વિધાનસભા સદનમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે દેર આયે દુરુસ્ત આયે. કેન્દ્ર સરકારે પહેલા જ બજેટને જો મંજૂરી આપી દીધી હોત તો આટલો હોબાળો ન થાત.  


ગૃહમંત્રાલયે બજેટ પેશ કરવાની આપી મંજૂરી! 

આમ તો દિલ્હીનું બજેટ સોમવારે રજૂ થવાનું હતું. પરંતુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આરોપ લગાવતા કહ્યું હતું કે કેન્દ્ર સરકારે દિલ્હીના બજેટ પર રોક લગાવી દીધી છે. મળતી માહિતી અનુસાર ગૃહમંત્રાલયે દિલ્હી સરકાર પાસેથી વિજ્ઞાપનને લઈ અનેક ખુલાસા માગ્યા હતા. દિલ્હી સરકારે આનો જવાબ આપવાનું ટાળ્યું હતું. જેને કારણે બજેટને પેશ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી.

  

અરવિંદ કેજરીવાલે કેન્દ્ર પર સાધ્યું નિશાન 

બજેટની મંજૂરી ન મળતા અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો હતો જેમાં બજેટ પેશ કરવાની મંજૂરી આપવાની વાત કરી હતી. તે ઉપરાંત વિધાનસભામાં પણ અરવિંદ કેજરીવાલે ચર્ચા કરી હતી જેમાં કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. કેજરીવાલે નિશાન સાધતા કહ્યું હતું કે બજેટ પર કેન્દ્રની આપત્તિ અસંવૈધાનિક છે અને નિરાધાર છે. દેશના 75 વર્ષોના ઈતિહાસમાં કોઈ પણ સરકારના બજેટને રોકવામાં આવ્યું નથી. 





અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.