દિલ્હીનું આજે રજૂ થઈ શકે છે બજેટ, કેન્દ્રએ આપી મંજૂરી! વિધાનસભામાં કેજરીવાલે કેન્દ્ર પર સાધ્યું નિશાન, કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-03-22 09:25:14

દિલ્હી સરકાર બુધવાર સવારે 11 વાગ્યે વિધાનસભામાં બજેટ રજૂ કરવાની છે. મળતી માહિતી અનુસાર ગૃહવિભાગે મંગળવારે બજેટ રજૂ કરવાની મંજૂરી આપી દીધી છે. વિધાનસભા સદનમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે દેર આયે દુરુસ્ત આયે. કેન્દ્ર સરકારે પહેલા જ બજેટને જો મંજૂરી આપી દીધી હોત તો આટલો હોબાળો ન થાત.  


ગૃહમંત્રાલયે બજેટ પેશ કરવાની આપી મંજૂરી! 

આમ તો દિલ્હીનું બજેટ સોમવારે રજૂ થવાનું હતું. પરંતુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આરોપ લગાવતા કહ્યું હતું કે કેન્દ્ર સરકારે દિલ્હીના બજેટ પર રોક લગાવી દીધી છે. મળતી માહિતી અનુસાર ગૃહમંત્રાલયે દિલ્હી સરકાર પાસેથી વિજ્ઞાપનને લઈ અનેક ખુલાસા માગ્યા હતા. દિલ્હી સરકારે આનો જવાબ આપવાનું ટાળ્યું હતું. જેને કારણે બજેટને પેશ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી.

  

અરવિંદ કેજરીવાલે કેન્દ્ર પર સાધ્યું નિશાન 

બજેટની મંજૂરી ન મળતા અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો હતો જેમાં બજેટ પેશ કરવાની મંજૂરી આપવાની વાત કરી હતી. તે ઉપરાંત વિધાનસભામાં પણ અરવિંદ કેજરીવાલે ચર્ચા કરી હતી જેમાં કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. કેજરીવાલે નિશાન સાધતા કહ્યું હતું કે બજેટ પર કેન્દ્રની આપત્તિ અસંવૈધાનિક છે અને નિરાધાર છે. દેશના 75 વર્ષોના ઈતિહાસમાં કોઈ પણ સરકારના બજેટને રોકવામાં આવ્યું નથી. 





ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.