દિલ્હીનું આજે રજૂ થઈ શકે છે બજેટ, કેન્દ્રએ આપી મંજૂરી! વિધાનસભામાં કેજરીવાલે કેન્દ્ર પર સાધ્યું નિશાન, કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-03-22 09:25:14

દિલ્હી સરકાર બુધવાર સવારે 11 વાગ્યે વિધાનસભામાં બજેટ રજૂ કરવાની છે. મળતી માહિતી અનુસાર ગૃહવિભાગે મંગળવારે બજેટ રજૂ કરવાની મંજૂરી આપી દીધી છે. વિધાનસભા સદનમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે દેર આયે દુરુસ્ત આયે. કેન્દ્ર સરકારે પહેલા જ બજેટને જો મંજૂરી આપી દીધી હોત તો આટલો હોબાળો ન થાત.  


ગૃહમંત્રાલયે બજેટ પેશ કરવાની આપી મંજૂરી! 

આમ તો દિલ્હીનું બજેટ સોમવારે રજૂ થવાનું હતું. પરંતુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આરોપ લગાવતા કહ્યું હતું કે કેન્દ્ર સરકારે દિલ્હીના બજેટ પર રોક લગાવી દીધી છે. મળતી માહિતી અનુસાર ગૃહમંત્રાલયે દિલ્હી સરકાર પાસેથી વિજ્ઞાપનને લઈ અનેક ખુલાસા માગ્યા હતા. દિલ્હી સરકારે આનો જવાબ આપવાનું ટાળ્યું હતું. જેને કારણે બજેટને પેશ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી.

  

અરવિંદ કેજરીવાલે કેન્દ્ર પર સાધ્યું નિશાન 

બજેટની મંજૂરી ન મળતા અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો હતો જેમાં બજેટ પેશ કરવાની મંજૂરી આપવાની વાત કરી હતી. તે ઉપરાંત વિધાનસભામાં પણ અરવિંદ કેજરીવાલે ચર્ચા કરી હતી જેમાં કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. કેજરીવાલે નિશાન સાધતા કહ્યું હતું કે બજેટ પર કેન્દ્રની આપત્તિ અસંવૈધાનિક છે અને નિરાધાર છે. દેશના 75 વર્ષોના ઈતિહાસમાં કોઈ પણ સરકારના બજેટને રોકવામાં આવ્યું નથી. 





પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.