દિલ્હીનું આજે રજૂ થઈ શકે છે બજેટ, કેન્દ્રએ આપી મંજૂરી! વિધાનસભામાં કેજરીવાલે કેન્દ્ર પર સાધ્યું નિશાન, કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-03-22 09:25:14

દિલ્હી સરકાર બુધવાર સવારે 11 વાગ્યે વિધાનસભામાં બજેટ રજૂ કરવાની છે. મળતી માહિતી અનુસાર ગૃહવિભાગે મંગળવારે બજેટ રજૂ કરવાની મંજૂરી આપી દીધી છે. વિધાનસભા સદનમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે દેર આયે દુરુસ્ત આયે. કેન્દ્ર સરકારે પહેલા જ બજેટને જો મંજૂરી આપી દીધી હોત તો આટલો હોબાળો ન થાત.  


ગૃહમંત્રાલયે બજેટ પેશ કરવાની આપી મંજૂરી! 

આમ તો દિલ્હીનું બજેટ સોમવારે રજૂ થવાનું હતું. પરંતુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આરોપ લગાવતા કહ્યું હતું કે કેન્દ્ર સરકારે દિલ્હીના બજેટ પર રોક લગાવી દીધી છે. મળતી માહિતી અનુસાર ગૃહમંત્રાલયે દિલ્હી સરકાર પાસેથી વિજ્ઞાપનને લઈ અનેક ખુલાસા માગ્યા હતા. દિલ્હી સરકારે આનો જવાબ આપવાનું ટાળ્યું હતું. જેને કારણે બજેટને પેશ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી.

  

અરવિંદ કેજરીવાલે કેન્દ્ર પર સાધ્યું નિશાન 

બજેટની મંજૂરી ન મળતા અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો હતો જેમાં બજેટ પેશ કરવાની મંજૂરી આપવાની વાત કરી હતી. તે ઉપરાંત વિધાનસભામાં પણ અરવિંદ કેજરીવાલે ચર્ચા કરી હતી જેમાં કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. કેજરીવાલે નિશાન સાધતા કહ્યું હતું કે બજેટ પર કેન્દ્રની આપત્તિ અસંવૈધાનિક છે અને નિરાધાર છે. દેશના 75 વર્ષોના ઈતિહાસમાં કોઈ પણ સરકારના બજેટને રોકવામાં આવ્યું નથી. 





રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.