દિલ્હીના નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તા! ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય.


  • Published By :
  • Published Date : 2025-02-20 11:53:27

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. અત્યાર સુધી દિલ્લીમાં હોવા છત્તા દિલ્લીમાં જેનુ રાજ ન હતુ એવી ભાજપ સરકારે હવે અહીં પોતાનુ શાસન સ્થાપ્યુ છે. 

દિલ્લી વિધાનસભાની ચૂંટણીના પરિણામ સ્વરુપ ભારતીય જનતા પાર્ટીની જીત થતા ફક્ત દિલ્લી જ નહી પણ સમગ્ર ભારત એ જાણવા ઉત્સુક છે કે કોણ હશે દિલ્લીનાં નવા મુખ્યમંત્રી.

ત્યારે દિલ્લીનાં રામલીલા મેદાનમાં ભાવી મુખ્યમંત્રીની શપથવિધિ માટે ભવ્ય સમારોહ યોજાયો છે. ગઈ કાલે તારીખ 19 ફેબ્રુઆરીનાં રોજ રામલીલા મેદાનમાં વિધાયક દળની બેઠક યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રીનુ નામ જાહેર કરવામાં આવ્યુ અને આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તાની શપથ વિધી થશે. શપથ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી, ફિલ્મ સ્ટાર્સ, સાધુ સંતો તેમજ અનેક હસ્તીઓ હાજર રહેશે. તેમજ કેજરીવાલને પણ શપથ સમારોહમાં આવવા આમંત્રણ આપવામાં આવ્યુ હતુ.


ઓપી ધનખડ અને રવિશંકર પ્રસાદ ગઈ કાલની ધારાસભ્ય દળની બેઠકના નિરીક્ષક રહ્યા હતા. 

રામલીલા મેદાનમાં રેખા ગુપ્તાને દિલ્લીનાં મુખ્યમંત્રી પદનું સિંહાસન સોંપાયુ છે. 

કેજરીવાલનાં દિલ્લીમાં હવે રેખાબેન કરશે રાજ.


નવા સીએમનાં નામની અટકળોમાં મુખ્ય બે નામો લેવાઈ રહ્યા હતાં જેમાં એક હતાં પ્રવેશ વર્મા કે જેમણે કેજરીવાલને મ્હાત આપી છે અને બીજુ નામ હતુ રેખા ગુપ્તા કે જેઓ ભાજપનાં મહિલા મોરચાનાં ઉપાધ્યક્ષ છે તો કદાચ જો મુખ્યમંત્રીનો ચહેરો એક મહિલા હોય તો તે રેખા ગુપ્તા હોઈ શકે છે એવા અનુમાનો લગાવાઈ રહ્યા હતા. આ બે નામ દિલ્લી મુખ્યમંત્રીની ખુરશી માટે સૌથી વધારે દાવાદાર માનવામાં આવી રહ્યા હતા. મોટા ભાગે ભાજપનાં નિર્ણયો, આપણી અટકળો અને અનુમાનો કરતા અલગ રહ્યા છે. પરંતુ આ વખતે જે અનુમાનો લગાવાઈ રહ્યા હતા એ સાચા ઠર્યા છે. અને દિલ્લીના સીએમ તરીકે રેખાબેન ગુપ્તાની નિયુક્તિ થઇ છે

રેખા ગુપ્તા દિલ્લીના ચોથા મહિલા મુખ્યમંત્રી છે

આજે રામલીલા મેદાનમાં રેખા ગુપ્તા મુખ્યમંત્રી તરીકેના શપથ લેશે



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.