દિલ્હીના નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તા! ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય.


  • Published By :
  • Published Date : 2025-02-20 11:53:27

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. અત્યાર સુધી દિલ્લીમાં હોવા છત્તા દિલ્લીમાં જેનુ રાજ ન હતુ એવી ભાજપ સરકારે હવે અહીં પોતાનુ શાસન સ્થાપ્યુ છે. 

દિલ્લી વિધાનસભાની ચૂંટણીના પરિણામ સ્વરુપ ભારતીય જનતા પાર્ટીની જીત થતા ફક્ત દિલ્લી જ નહી પણ સમગ્ર ભારત એ જાણવા ઉત્સુક છે કે કોણ હશે દિલ્લીનાં નવા મુખ્યમંત્રી.

ત્યારે દિલ્લીનાં રામલીલા મેદાનમાં ભાવી મુખ્યમંત્રીની શપથવિધિ માટે ભવ્ય સમારોહ યોજાયો છે. ગઈ કાલે તારીખ 19 ફેબ્રુઆરીનાં રોજ રામલીલા મેદાનમાં વિધાયક દળની બેઠક યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રીનુ નામ જાહેર કરવામાં આવ્યુ અને આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તાની શપથ વિધી થશે. શપથ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી, ફિલ્મ સ્ટાર્સ, સાધુ સંતો તેમજ અનેક હસ્તીઓ હાજર રહેશે. તેમજ કેજરીવાલને પણ શપથ સમારોહમાં આવવા આમંત્રણ આપવામાં આવ્યુ હતુ.


ઓપી ધનખડ અને રવિશંકર પ્રસાદ ગઈ કાલની ધારાસભ્ય દળની બેઠકના નિરીક્ષક રહ્યા હતા. 

રામલીલા મેદાનમાં રેખા ગુપ્તાને દિલ્લીનાં મુખ્યમંત્રી પદનું સિંહાસન સોંપાયુ છે. 

કેજરીવાલનાં દિલ્લીમાં હવે રેખાબેન કરશે રાજ.


નવા સીએમનાં નામની અટકળોમાં મુખ્ય બે નામો લેવાઈ રહ્યા હતાં જેમાં એક હતાં પ્રવેશ વર્મા કે જેમણે કેજરીવાલને મ્હાત આપી છે અને બીજુ નામ હતુ રેખા ગુપ્તા કે જેઓ ભાજપનાં મહિલા મોરચાનાં ઉપાધ્યક્ષ છે તો કદાચ જો મુખ્યમંત્રીનો ચહેરો એક મહિલા હોય તો તે રેખા ગુપ્તા હોઈ શકે છે એવા અનુમાનો લગાવાઈ રહ્યા હતા. આ બે નામ દિલ્લી મુખ્યમંત્રીની ખુરશી માટે સૌથી વધારે દાવાદાર માનવામાં આવી રહ્યા હતા. મોટા ભાગે ભાજપનાં નિર્ણયો, આપણી અટકળો અને અનુમાનો કરતા અલગ રહ્યા છે. પરંતુ આ વખતે જે અનુમાનો લગાવાઈ રહ્યા હતા એ સાચા ઠર્યા છે. અને દિલ્લીના સીએમ તરીકે રેખાબેન ગુપ્તાની નિયુક્તિ થઇ છે

રેખા ગુપ્તા દિલ્લીના ચોથા મહિલા મુખ્યમંત્રી છે

આજે રામલીલા મેદાનમાં રેખા ગુપ્તા મુખ્યમંત્રી તરીકેના શપથ લેશે



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.