દિલ્હી:લ્યો બોલો આ નેતાએ તો ગજબ કરી!MCDની ચૂંટણીની ટિકિટ ન મળતા કાઉન્સિલર ચડી ગયા વીજળીના થાંભલા પર


  • Published By :
  • Published Date : 2022-11-13 15:35:38

પૂર્વ AAP કાઉન્સિલર રવિવારે સવારે શક્તિ પાર્ક મેટ્રો સ્ટેશન પાસે ઇલેક્ટ્રિક પોલ પર ચઢ્યા હતા. તેઓ આગામી MCD ચૂંટણીમાં ટિકિટ ન મળવાથી નારાજ છે. આ મામલાની માહિતી મળતાં જ પોલીસ ફોર્સ અને ફાયર બ્રિગેડના જવાનોની સાથે સ્થાનિક લોકોની ભારે ભીડ ઘટનાસ્થળે એકઠી થઈ ગઈ છે.


દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ કાઉન્સિલર હસીબ-ઉલ-હસન રવિવારે હાઇ ટેન્શન લાઇનના પોલ પર ચઢ્યા હતા. તેમને સમજવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Delhi MCD Election 2022 AAP, BJP, Congress Candidate List & Prediction

પૂર્વ AAP કાઉન્સિલર રવિવારે સવારે શક્તિ પાર્ક મેટ્રો સ્ટેશન પાસે ઇલેક્ટ્રિક પોલ પર ચઢ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી MCD ચૂંટણીમાં ટિકિટ ન મળવાથી તે નારાજ છે. આ મામલાની માહિતી મળતાં જ પોલીસ ફોર્સ અને ફાયર બ્રિગેડના જવાનોની સાથે સ્થાનિક લોકોની ભારે ભીડ ઘટનાસ્થળે એકઠી થઈ ગઈ છે. AAP નેતાને સમજાવીને તેમને ઉતારવાના પ્રયાસો થઈ રહ્યા છે.


આ પહેલા શનિવારે મોડી સાંજે આમ આદમી પાર્ટીએ MCD ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી બહાર પાડી હતી. જો કે AAPએ આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી.

Delhi MCD Elections 2022: AAP Releases First List Of 134 Candidates, Fields  More Than 60 Women



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.