દિલ્હી:લ્યો બોલો આ નેતાએ તો ગજબ કરી!MCDની ચૂંટણીની ટિકિટ ન મળતા કાઉન્સિલર ચડી ગયા વીજળીના થાંભલા પર


  • Published By :
  • Published Date : 2022-11-13 15:35:38

પૂર્વ AAP કાઉન્સિલર રવિવારે સવારે શક્તિ પાર્ક મેટ્રો સ્ટેશન પાસે ઇલેક્ટ્રિક પોલ પર ચઢ્યા હતા. તેઓ આગામી MCD ચૂંટણીમાં ટિકિટ ન મળવાથી નારાજ છે. આ મામલાની માહિતી મળતાં જ પોલીસ ફોર્સ અને ફાયર બ્રિગેડના જવાનોની સાથે સ્થાનિક લોકોની ભારે ભીડ ઘટનાસ્થળે એકઠી થઈ ગઈ છે.


દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ કાઉન્સિલર હસીબ-ઉલ-હસન રવિવારે હાઇ ટેન્શન લાઇનના પોલ પર ચઢ્યા હતા. તેમને સમજવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Delhi MCD Election 2022 AAP, BJP, Congress Candidate List & Prediction

પૂર્વ AAP કાઉન્સિલર રવિવારે સવારે શક્તિ પાર્ક મેટ્રો સ્ટેશન પાસે ઇલેક્ટ્રિક પોલ પર ચઢ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી MCD ચૂંટણીમાં ટિકિટ ન મળવાથી તે નારાજ છે. આ મામલાની માહિતી મળતાં જ પોલીસ ફોર્સ અને ફાયર બ્રિગેડના જવાનોની સાથે સ્થાનિક લોકોની ભારે ભીડ ઘટનાસ્થળે એકઠી થઈ ગઈ છે. AAP નેતાને સમજાવીને તેમને ઉતારવાના પ્રયાસો થઈ રહ્યા છે.


આ પહેલા શનિવારે મોડી સાંજે આમ આદમી પાર્ટીએ MCD ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી બહાર પાડી હતી. જો કે AAPએ આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી.

Delhi MCD Elections 2022: AAP Releases First List Of 134 Candidates, Fields  More Than 60 Women



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.