દિલ્હી:લ્યો બોલો આ નેતાએ તો ગજબ કરી!MCDની ચૂંટણીની ટિકિટ ન મળતા કાઉન્સિલર ચડી ગયા વીજળીના થાંભલા પર


  • Published By :
  • Published Date : 2022-11-13 15:35:38

પૂર્વ AAP કાઉન્સિલર રવિવારે સવારે શક્તિ પાર્ક મેટ્રો સ્ટેશન પાસે ઇલેક્ટ્રિક પોલ પર ચઢ્યા હતા. તેઓ આગામી MCD ચૂંટણીમાં ટિકિટ ન મળવાથી નારાજ છે. આ મામલાની માહિતી મળતાં જ પોલીસ ફોર્સ અને ફાયર બ્રિગેડના જવાનોની સાથે સ્થાનિક લોકોની ભારે ભીડ ઘટનાસ્થળે એકઠી થઈ ગઈ છે.


દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ કાઉન્સિલર હસીબ-ઉલ-હસન રવિવારે હાઇ ટેન્શન લાઇનના પોલ પર ચઢ્યા હતા. તેમને સમજવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Delhi MCD Election 2022 AAP, BJP, Congress Candidate List & Prediction

પૂર્વ AAP કાઉન્સિલર રવિવારે સવારે શક્તિ પાર્ક મેટ્રો સ્ટેશન પાસે ઇલેક્ટ્રિક પોલ પર ચઢ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી MCD ચૂંટણીમાં ટિકિટ ન મળવાથી તે નારાજ છે. આ મામલાની માહિતી મળતાં જ પોલીસ ફોર્સ અને ફાયર બ્રિગેડના જવાનોની સાથે સ્થાનિક લોકોની ભારે ભીડ ઘટનાસ્થળે એકઠી થઈ ગઈ છે. AAP નેતાને સમજાવીને તેમને ઉતારવાના પ્રયાસો થઈ રહ્યા છે.


આ પહેલા શનિવારે મોડી સાંજે આમ આદમી પાર્ટીએ MCD ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી બહાર પાડી હતી. જો કે AAPએ આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી.

Delhi MCD Elections 2022: AAP Releases First List Of 134 Candidates, Fields  More Than 60 Women



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.