દિલ્હી:લ્યો બોલો આ નેતાએ તો ગજબ કરી!MCDની ચૂંટણીની ટિકિટ ન મળતા કાઉન્સિલર ચડી ગયા વીજળીના થાંભલા પર


  • Published By :
  • Published Date : 2022-11-13 15:35:38

પૂર્વ AAP કાઉન્સિલર રવિવારે સવારે શક્તિ પાર્ક મેટ્રો સ્ટેશન પાસે ઇલેક્ટ્રિક પોલ પર ચઢ્યા હતા. તેઓ આગામી MCD ચૂંટણીમાં ટિકિટ ન મળવાથી નારાજ છે. આ મામલાની માહિતી મળતાં જ પોલીસ ફોર્સ અને ફાયર બ્રિગેડના જવાનોની સાથે સ્થાનિક લોકોની ભારે ભીડ ઘટનાસ્થળે એકઠી થઈ ગઈ છે.


દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ કાઉન્સિલર હસીબ-ઉલ-હસન રવિવારે હાઇ ટેન્શન લાઇનના પોલ પર ચઢ્યા હતા. તેમને સમજવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Delhi MCD Election 2022 AAP, BJP, Congress Candidate List & Prediction

પૂર્વ AAP કાઉન્સિલર રવિવારે સવારે શક્તિ પાર્ક મેટ્રો સ્ટેશન પાસે ઇલેક્ટ્રિક પોલ પર ચઢ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી MCD ચૂંટણીમાં ટિકિટ ન મળવાથી તે નારાજ છે. આ મામલાની માહિતી મળતાં જ પોલીસ ફોર્સ અને ફાયર બ્રિગેડના જવાનોની સાથે સ્થાનિક લોકોની ભારે ભીડ ઘટનાસ્થળે એકઠી થઈ ગઈ છે. AAP નેતાને સમજાવીને તેમને ઉતારવાના પ્રયાસો થઈ રહ્યા છે.


આ પહેલા શનિવારે મોડી સાંજે આમ આદમી પાર્ટીએ MCD ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી બહાર પાડી હતી. જો કે AAPએ આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી.

Delhi MCD Elections 2022: AAP Releases First List Of 134 Candidates, Fields  More Than 60 Women



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.