દિલ્હી અપડેટ: પોલીસ સામે સાહિલની કબુલાત, ઈગ્નોર કરતી હતી માટે સાક્ષી પર કર્યો હુમલો! હુમલાને લઈ સાહિલને નથી પછતાવો, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-05-30 13:18:44

દિલ્હીમાં 16 વર્ષની દીકરીની 20 વર્ષના છોકરાએ ખુલ્લેઆમ હત્યા કરી દીધી હતી. સાહિલ નામના વ્યક્તિએ સાક્ષીની ચપ્પાના ઘા મારી હત્યા કરી દીધી હતી ઉપરાંત માથા પર પથ્થર પણ માર્યો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટના રવિવારની છે. હત્યાને અંજામ આપ્યા બાદ આરોપી સાહિલ ફરાર થઈ ગયો હતો. પરંતુ પોલીસે થોડા સમયની અંદર જ તેને પકડી પાડ્યો હતો. કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો અને બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસે સાહિલની પૂછપરછ પણ કરી હતી પરંતુ મળતી માહિતી અનુસાર સાહિલને પોતાના કર્યા પર કોઈ પછતાવો નથી.

  

બ્રેક થવાને કારણે સાહિલે કરી હત્યા!      

મહિલાઓ પર હુમલા થવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે દિલ્હીથી એક એવા સમાચાર સામે આવ્યા હતા જેણે આખા દેશના રૂંવાડા ઉભા કરી દીધા હતા. દિલ્હીમાં ખુલ્લેઆમ 20 વર્ષના છોકરાએ 16 વર્ષની છોકરીની બેરહેમીથી હત્યા કરી દીધી હતી. પહેલા ચપ્પાના ઘા માર્યા અને તે બાદ પથ્થરથી માથા પર હુમલો કર્યો હતો. પોલીસે આરોપીની ધરપકજ કરી લીધી છે. પોલીસ સમક્ષ આરોપીએ ગુન્હાની કબુલાત કરી લીધી છે. પૂછપરછ દરમિયાન સાહિલે કહ્યું કે તેને તેના ગુનાનો કોઈ અફસોસ નથી. ઘટના સમયે તે ખૂબ જ ગુસ્સામાં હતો. તેનું કારણએ પણ છે કે સાક્ષી ઘણા દિવસોથી તેને ઈગ્નોર કરી રહી હતી. 


સાહિલને નથી કોઈ પસ્તાવો!

વધુમાં પોલીસે કહ્યું કે સાક્ષી બ્રેક કરવા માગતી હતી. ઘણા દિવસોથી સાક્ષી તેને ઈગ્નોર કરતી હતી. બ્રેકઅપ કરવાનું હતું જેને કારણે તેણે સાહિલથી અંતર બનાવી લીધું હતું, જે તેને સહન ન થયું હતું. ઘટનાના જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં પણ સાહિલ ગુસ્સામાં દેખાઈ રહ્યો છે. 20થી વધુ વખત સાહિલે ચપ્પાથી ઘા કર્યા અને તે બાદ પથ્થરથી મોઢા પર હુમલો કર્યો. ઘટનાને અંજામ આપી સાહિલ ફરાર થઈ ગયો હતો. દિલ્હી પોલીસે ઉત્તરપ્રદેશના બુલદશહરથી સાહિલની ધરપકડ કરી હતી. પોલીસ સમક્ષ આરોપીએ ગુન્હો કબૂલ કરી લીધો છે. અચાનક બ્રેકઅપ થવાને કારણે તેને ગુસ્સો આવ્યો હતો. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.