દિલ્હી અપડેટ: પોલીસ સામે સાહિલની કબુલાત, ઈગ્નોર કરતી હતી માટે સાક્ષી પર કર્યો હુમલો! હુમલાને લઈ સાહિલને નથી પછતાવો, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-05-30 13:18:44

દિલ્હીમાં 16 વર્ષની દીકરીની 20 વર્ષના છોકરાએ ખુલ્લેઆમ હત્યા કરી દીધી હતી. સાહિલ નામના વ્યક્તિએ સાક્ષીની ચપ્પાના ઘા મારી હત્યા કરી દીધી હતી ઉપરાંત માથા પર પથ્થર પણ માર્યો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટના રવિવારની છે. હત્યાને અંજામ આપ્યા બાદ આરોપી સાહિલ ફરાર થઈ ગયો હતો. પરંતુ પોલીસે થોડા સમયની અંદર જ તેને પકડી પાડ્યો હતો. કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો અને બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસે સાહિલની પૂછપરછ પણ કરી હતી પરંતુ મળતી માહિતી અનુસાર સાહિલને પોતાના કર્યા પર કોઈ પછતાવો નથી.

  

બ્રેક થવાને કારણે સાહિલે કરી હત્યા!      

મહિલાઓ પર હુમલા થવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે દિલ્હીથી એક એવા સમાચાર સામે આવ્યા હતા જેણે આખા દેશના રૂંવાડા ઉભા કરી દીધા હતા. દિલ્હીમાં ખુલ્લેઆમ 20 વર્ષના છોકરાએ 16 વર્ષની છોકરીની બેરહેમીથી હત્યા કરી દીધી હતી. પહેલા ચપ્પાના ઘા માર્યા અને તે બાદ પથ્થરથી માથા પર હુમલો કર્યો હતો. પોલીસે આરોપીની ધરપકજ કરી લીધી છે. પોલીસ સમક્ષ આરોપીએ ગુન્હાની કબુલાત કરી લીધી છે. પૂછપરછ દરમિયાન સાહિલે કહ્યું કે તેને તેના ગુનાનો કોઈ અફસોસ નથી. ઘટના સમયે તે ખૂબ જ ગુસ્સામાં હતો. તેનું કારણએ પણ છે કે સાક્ષી ઘણા દિવસોથી તેને ઈગ્નોર કરી રહી હતી. 


સાહિલને નથી કોઈ પસ્તાવો!

વધુમાં પોલીસે કહ્યું કે સાક્ષી બ્રેક કરવા માગતી હતી. ઘણા દિવસોથી સાક્ષી તેને ઈગ્નોર કરતી હતી. બ્રેકઅપ કરવાનું હતું જેને કારણે તેણે સાહિલથી અંતર બનાવી લીધું હતું, જે તેને સહન ન થયું હતું. ઘટનાના જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં પણ સાહિલ ગુસ્સામાં દેખાઈ રહ્યો છે. 20થી વધુ વખત સાહિલે ચપ્પાથી ઘા કર્યા અને તે બાદ પથ્થરથી મોઢા પર હુમલો કર્યો. ઘટનાને અંજામ આપી સાહિલ ફરાર થઈ ગયો હતો. દિલ્હી પોલીસે ઉત્તરપ્રદેશના બુલદશહરથી સાહિલની ધરપકડ કરી હતી. પોલીસ સમક્ષ આરોપીએ ગુન્હો કબૂલ કરી લીધો છે. અચાનક બ્રેકઅપ થવાને કારણે તેને ગુસ્સો આવ્યો હતો. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.