દિલ્હી અપડેટ: પોલીસ સામે સાહિલની કબુલાત, ઈગ્નોર કરતી હતી માટે સાક્ષી પર કર્યો હુમલો! હુમલાને લઈ સાહિલને નથી પછતાવો, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-05-30 13:18:44

દિલ્હીમાં 16 વર્ષની દીકરીની 20 વર્ષના છોકરાએ ખુલ્લેઆમ હત્યા કરી દીધી હતી. સાહિલ નામના વ્યક્તિએ સાક્ષીની ચપ્પાના ઘા મારી હત્યા કરી દીધી હતી ઉપરાંત માથા પર પથ્થર પણ માર્યો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટના રવિવારની છે. હત્યાને અંજામ આપ્યા બાદ આરોપી સાહિલ ફરાર થઈ ગયો હતો. પરંતુ પોલીસે થોડા સમયની અંદર જ તેને પકડી પાડ્યો હતો. કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો અને બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસે સાહિલની પૂછપરછ પણ કરી હતી પરંતુ મળતી માહિતી અનુસાર સાહિલને પોતાના કર્યા પર કોઈ પછતાવો નથી.

  

બ્રેક થવાને કારણે સાહિલે કરી હત્યા!      

મહિલાઓ પર હુમલા થવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે દિલ્હીથી એક એવા સમાચાર સામે આવ્યા હતા જેણે આખા દેશના રૂંવાડા ઉભા કરી દીધા હતા. દિલ્હીમાં ખુલ્લેઆમ 20 વર્ષના છોકરાએ 16 વર્ષની છોકરીની બેરહેમીથી હત્યા કરી દીધી હતી. પહેલા ચપ્પાના ઘા માર્યા અને તે બાદ પથ્થરથી માથા પર હુમલો કર્યો હતો. પોલીસે આરોપીની ધરપકજ કરી લીધી છે. પોલીસ સમક્ષ આરોપીએ ગુન્હાની કબુલાત કરી લીધી છે. પૂછપરછ દરમિયાન સાહિલે કહ્યું કે તેને તેના ગુનાનો કોઈ અફસોસ નથી. ઘટના સમયે તે ખૂબ જ ગુસ્સામાં હતો. તેનું કારણએ પણ છે કે સાક્ષી ઘણા દિવસોથી તેને ઈગ્નોર કરી રહી હતી. 


સાહિલને નથી કોઈ પસ્તાવો!

વધુમાં પોલીસે કહ્યું કે સાક્ષી બ્રેક કરવા માગતી હતી. ઘણા દિવસોથી સાક્ષી તેને ઈગ્નોર કરતી હતી. બ્રેકઅપ કરવાનું હતું જેને કારણે તેણે સાહિલથી અંતર બનાવી લીધું હતું, જે તેને સહન ન થયું હતું. ઘટનાના જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં પણ સાહિલ ગુસ્સામાં દેખાઈ રહ્યો છે. 20થી વધુ વખત સાહિલે ચપ્પાથી ઘા કર્યા અને તે બાદ પથ્થરથી મોઢા પર હુમલો કર્યો. ઘટનાને અંજામ આપી સાહિલ ફરાર થઈ ગયો હતો. દિલ્હી પોલીસે ઉત્તરપ્રદેશના બુલદશહરથી સાહિલની ધરપકડ કરી હતી. પોલીસ સમક્ષ આરોપીએ ગુન્હો કબૂલ કરી લીધો છે. અચાનક બ્રેકઅપ થવાને કારણે તેને ગુસ્સો આવ્યો હતો. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.