થર્ટી ફર્સ્ટ અગાઉ વધી દારૂની ડિમાન્ડ, વલસાડના પારડીમાં પોલીસે CNG ટ્રાન્સફર ટેમ્પોમાંથી ઝડપ્યો રૂ 9.54 લાખનો દારૂ


  • Published By :
  • Published Date : 2023-12-05 19:56:51

ગુજરાતમાં થર્ટી ફર્સ્ટ અગાઉ દારૂની ડિમાન્ડ વધી જાય છે, દારૂની આ માગ પૂરી કરવા બુટલેગરો વિવિધ રસ્તા અપનાવતા રહે છે. ગુજરાતમાં મુખ્યત્વે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને પડોશી સંઘ પ્રદેશ દમણ અને  દાદરા નગર હવેલી સાથે મહારાષ્ટ્રથી મોટા પ્રમાણમાં દારૂ ઘુસાડવામાં આવે છે. જો કે પોલીસ પણ સતર્ક રહીને બુટલેગરોની તમામ તરકીબોને ખોટી પાડીને દારૂનો જથ્થો પકડતી રહે છે. વલસાડ જિલ્લાની પારડી પોલીસે ગુજરાત ગેસ લિમિટેડ અને  CNG ટ્રાન્સફર લખેલા ટેમ્પોમાંથી  રૂ 9.54 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.


રૂ.14.59 લાખનો મુદ્દામાલ જપ્ત


વલસાડ જિલ્લાની પારડી પોલીસે પોલીસે ગુજરાત ગેસ લિમિટેડ અને  CNG ટ્રાન્સફર લખેલા ટેમ્પોને રોકી સઘન તપાસ કરતા ટેમ્પામાં ગુજરાત ગેસ કંપનીમાં વપરાશમાં આવતું ગેસનું LCV મશીન નહીં પરંતુ એક તૈયાર કરેલા કેબિનમાં સંતાડી લઈ જવાતો રૂ 9.54 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પારડી પોલીસે ટેમ્પોચાલકની ધરપકડ કરી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ સાથે 14.59 લાખનો મુદ્દામાલ કબજે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. 


દારૂનો જથ્થો દમણથી બરોડા લઈ જવાતો હતો


પારડી પોલીસે આ મામલે ટેમ્પાના ચાલક વિક્રમસિંહ ઠાકુરની ધરપકડ કરી છે. સાથે 2 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. ચાલક વિક્રમસિંહ માનસિંહ ઠાકુર મૂળ યુપીનો રહેવાસી છે. આ દારૂ ભરેલો ટેમ્પો આપનાર એલિસ મારવાડી અને લલ્લા નામના શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ દારૂનો જથ્થો દમણથી બરોડા લઈ જવાતો હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. થર્ટી ફર્સ્ટ અગાઉ પારડી પોલીસે ખેપિયાની દારૂ હેરાફેરી કરવાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.