નોટબંધીના 6 વર્ષ, કોંગ્રેસ પ્રમુખ ખડગે અને રાહુલ ગાંધીએ ટ્વીટરના માધ્યમથી સરકાર પર કર્યા પ્રહારો


  • Published By :
  • Published Date : 2022-11-08 17:50:50


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર, 2016ના દિવસે સાંજે 8 વાગ્યે નોટબંધીની જાહેરાત કરી હતી. મોદીએ 500 અને 1000 રૂપિયાની નોટોને બંધ કરવાની ઘોષણા કરતા દેશભરમાં હડકંપ મચી ગયો હતો. આજે નોટબંધીની છઠ્ઠી વર્ષગાંઠ છે ત્યારે કોંગ્રેસે મોદી સરકારને નિષ્ફળ ગણાવી આકરા પ્રહારો કર્યા છે. 


શું આ ડિઝાસ્ટર માટે PM મોદી માફી માંગશે?-ખડગે


કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વીટ કરી નોટબંધી દરમિયાન લાંબી લાઈનમાં ઉભા રહેવાથી કે અતિ કામના ભારણથી મોતને ભેટેલા 150 જેટલા સામાન્ય લોકો અને બેંકકર્મીઓને શ્રધ્ધાંજલિ અર્પી હતી. ખડગે આ ડિઝાસ્ટર માટે પીએમ મોદીની માફીની માગ કરી હતી.  ખડગેએ નોટબંધીને 'સામુહિક અને કાયદેસરની લૂંટ' ગણાવી હતી, નોટબંધીના કારણે MSME અને અસંગઠિત સેક્ટરમાં 3.72 કરોડ લોકોએ તેમની નોકરીઓ ગુમાવી હોવાનો પણ સરકાર પર આરોપ લગાવ્યો હતો. ખડગેએ તેમના ટ્વીટ સાથે એક અહેવાલ શેર કર્યો હતો જેમાં સૂચવવામાં આવ્યું હતું કે, આજે ચલણમાં રોકડ રૂ. 30.88 લાખ કરોડ છે, જે નવેમ્બર 2016માં માત્ર રૂ. 17.97 લાખ કરોડ હતી. 


રાહુલ ગાંધીએ પણ કર્યા આકરા પ્રહારો 


કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ પણ ટ્વીટરના માધ્યમથી તેમનો વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, કાળું નાણું નથી આવ્યું, માત્ર ગરીબી આવી છે, અર્થંતંત્ર કેશલેસ નહીં, પણ નબળું પડ્યું છે, આતંકવાદ નહીં, કરોડો નાના વેપાર અને રોજગાર ખતમ થયો છે, 'રાજા'એ નોટબંધીમાં 50 દિવસમાં પરિણામોનો દિલાસો આપીને અર્થતંત્રને DeMo-lition કરી દીધી.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે