નોટબંધીના 6 વર્ષ, કોંગ્રેસ પ્રમુખ ખડગે અને રાહુલ ગાંધીએ ટ્વીટરના માધ્યમથી સરકાર પર કર્યા પ્રહારો


  • Published By :
  • Published Date : 2022-11-08 17:50:50


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર, 2016ના દિવસે સાંજે 8 વાગ્યે નોટબંધીની જાહેરાત કરી હતી. મોદીએ 500 અને 1000 રૂપિયાની નોટોને બંધ કરવાની ઘોષણા કરતા દેશભરમાં હડકંપ મચી ગયો હતો. આજે નોટબંધીની છઠ્ઠી વર્ષગાંઠ છે ત્યારે કોંગ્રેસે મોદી સરકારને નિષ્ફળ ગણાવી આકરા પ્રહારો કર્યા છે. 


શું આ ડિઝાસ્ટર માટે PM મોદી માફી માંગશે?-ખડગે


કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વીટ કરી નોટબંધી દરમિયાન લાંબી લાઈનમાં ઉભા રહેવાથી કે અતિ કામના ભારણથી મોતને ભેટેલા 150 જેટલા સામાન્ય લોકો અને બેંકકર્મીઓને શ્રધ્ધાંજલિ અર્પી હતી. ખડગે આ ડિઝાસ્ટર માટે પીએમ મોદીની માફીની માગ કરી હતી.  ખડગેએ નોટબંધીને 'સામુહિક અને કાયદેસરની લૂંટ' ગણાવી હતી, નોટબંધીના કારણે MSME અને અસંગઠિત સેક્ટરમાં 3.72 કરોડ લોકોએ તેમની નોકરીઓ ગુમાવી હોવાનો પણ સરકાર પર આરોપ લગાવ્યો હતો. ખડગેએ તેમના ટ્વીટ સાથે એક અહેવાલ શેર કર્યો હતો જેમાં સૂચવવામાં આવ્યું હતું કે, આજે ચલણમાં રોકડ રૂ. 30.88 લાખ કરોડ છે, જે નવેમ્બર 2016માં માત્ર રૂ. 17.97 લાખ કરોડ હતી. 


રાહુલ ગાંધીએ પણ કર્યા આકરા પ્રહારો 


કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ પણ ટ્વીટરના માધ્યમથી તેમનો વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, કાળું નાણું નથી આવ્યું, માત્ર ગરીબી આવી છે, અર્થંતંત્ર કેશલેસ નહીં, પણ નબળું પડ્યું છે, આતંકવાદ નહીં, કરોડો નાના વેપાર અને રોજગાર ખતમ થયો છે, 'રાજા'એ નોટબંધીમાં 50 દિવસમાં પરિણામોનો દિલાસો આપીને અર્થતંત્રને DeMo-lition કરી દીધી.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.