નોટબંધીના 6 વર્ષ, કોંગ્રેસ પ્રમુખ ખડગે અને રાહુલ ગાંધીએ ટ્વીટરના માધ્યમથી સરકાર પર કર્યા પ્રહારો


  • Published By :
  • Published Date : 2022-11-08 17:50:50


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર, 2016ના દિવસે સાંજે 8 વાગ્યે નોટબંધીની જાહેરાત કરી હતી. મોદીએ 500 અને 1000 રૂપિયાની નોટોને બંધ કરવાની ઘોષણા કરતા દેશભરમાં હડકંપ મચી ગયો હતો. આજે નોટબંધીની છઠ્ઠી વર્ષગાંઠ છે ત્યારે કોંગ્રેસે મોદી સરકારને નિષ્ફળ ગણાવી આકરા પ્રહારો કર્યા છે. 


શું આ ડિઝાસ્ટર માટે PM મોદી માફી માંગશે?-ખડગે


કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વીટ કરી નોટબંધી દરમિયાન લાંબી લાઈનમાં ઉભા રહેવાથી કે અતિ કામના ભારણથી મોતને ભેટેલા 150 જેટલા સામાન્ય લોકો અને બેંકકર્મીઓને શ્રધ્ધાંજલિ અર્પી હતી. ખડગે આ ડિઝાસ્ટર માટે પીએમ મોદીની માફીની માગ કરી હતી.  ખડગેએ નોટબંધીને 'સામુહિક અને કાયદેસરની લૂંટ' ગણાવી હતી, નોટબંધીના કારણે MSME અને અસંગઠિત સેક્ટરમાં 3.72 કરોડ લોકોએ તેમની નોકરીઓ ગુમાવી હોવાનો પણ સરકાર પર આરોપ લગાવ્યો હતો. ખડગેએ તેમના ટ્વીટ સાથે એક અહેવાલ શેર કર્યો હતો જેમાં સૂચવવામાં આવ્યું હતું કે, આજે ચલણમાં રોકડ રૂ. 30.88 લાખ કરોડ છે, જે નવેમ્બર 2016માં માત્ર રૂ. 17.97 લાખ કરોડ હતી. 


રાહુલ ગાંધીએ પણ કર્યા આકરા પ્રહારો 


કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ પણ ટ્વીટરના માધ્યમથી તેમનો વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, કાળું નાણું નથી આવ્યું, માત્ર ગરીબી આવી છે, અર્થંતંત્ર કેશલેસ નહીં, પણ નબળું પડ્યું છે, આતંકવાદ નહીં, કરોડો નાના વેપાર અને રોજગાર ખતમ થયો છે, 'રાજા'એ નોટબંધીમાં 50 દિવસમાં પરિણામોનો દિલાસો આપીને અર્થતંત્રને DeMo-lition કરી દીધી.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.