નોટબંધીના 6 વર્ષ, કોંગ્રેસ પ્રમુખ ખડગે અને રાહુલ ગાંધીએ ટ્વીટરના માધ્યમથી સરકાર પર કર્યા પ્રહારો


  • Published By :
  • Published Date : 2022-11-08 17:50:50


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર, 2016ના દિવસે સાંજે 8 વાગ્યે નોટબંધીની જાહેરાત કરી હતી. મોદીએ 500 અને 1000 રૂપિયાની નોટોને બંધ કરવાની ઘોષણા કરતા દેશભરમાં હડકંપ મચી ગયો હતો. આજે નોટબંધીની છઠ્ઠી વર્ષગાંઠ છે ત્યારે કોંગ્રેસે મોદી સરકારને નિષ્ફળ ગણાવી આકરા પ્રહારો કર્યા છે. 


શું આ ડિઝાસ્ટર માટે PM મોદી માફી માંગશે?-ખડગે


કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વીટ કરી નોટબંધી દરમિયાન લાંબી લાઈનમાં ઉભા રહેવાથી કે અતિ કામના ભારણથી મોતને ભેટેલા 150 જેટલા સામાન્ય લોકો અને બેંકકર્મીઓને શ્રધ્ધાંજલિ અર્પી હતી. ખડગે આ ડિઝાસ્ટર માટે પીએમ મોદીની માફીની માગ કરી હતી.  ખડગેએ નોટબંધીને 'સામુહિક અને કાયદેસરની લૂંટ' ગણાવી હતી, નોટબંધીના કારણે MSME અને અસંગઠિત સેક્ટરમાં 3.72 કરોડ લોકોએ તેમની નોકરીઓ ગુમાવી હોવાનો પણ સરકાર પર આરોપ લગાવ્યો હતો. ખડગેએ તેમના ટ્વીટ સાથે એક અહેવાલ શેર કર્યો હતો જેમાં સૂચવવામાં આવ્યું હતું કે, આજે ચલણમાં રોકડ રૂ. 30.88 લાખ કરોડ છે, જે નવેમ્બર 2016માં માત્ર રૂ. 17.97 લાખ કરોડ હતી. 


રાહુલ ગાંધીએ પણ કર્યા આકરા પ્રહારો 


કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ પણ ટ્વીટરના માધ્યમથી તેમનો વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, કાળું નાણું નથી આવ્યું, માત્ર ગરીબી આવી છે, અર્થંતંત્ર કેશલેસ નહીં, પણ નબળું પડ્યું છે, આતંકવાદ નહીં, કરોડો નાના વેપાર અને રોજગાર ખતમ થયો છે, 'રાજા'એ નોટબંધીમાં 50 દિવસમાં પરિણામોનો દિલાસો આપીને અર્થતંત્રને DeMo-lition કરી દીધી.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.