નોટબંધી કેસ: એટર્ની જનરલે એફિડેવિટ તૈયાર કરવા વધુ સમય માંગ્યો, બંધારણીય બેંચે કહ્યું કે આ શરમજનક સ્થિતિ


  • Published By :
  • Published Date : 2022-11-09 16:36:02

સુપ્રીમ કોર્ટે નોટબંધી કેસની સુનાવણી ટાળી દીધી છે. વર્ષ 2016માં 500 અને 1,000 રૂપિયાની નોટોને બંધ કરવાના કેન્દ્રના નિર્ણયને પડકાર આપનારી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ હવે 24 નવેમ્બરે સુનાવણી કરશે. 


એટર્ની જનરલે કોર્ટ પાસે સમય માંગ્યો 


સરકાર વતી એટર્ની જનરલ આર વેંકટરમણીએ વ્યાપક એફિડેવિટ તૈયાર કરવા માટે એક સપ્તાહનો સમય માંગ્યો છે. નોટબંધી કેસની સુનાવણી કરી રહેલા પાંચ જજો, જસ્ટિસ અબ્દુલ નઝીર, જસ્ટિસ બીઆર ગવઈ, એએસ બોપન્ના, વી રામાસુબ્રમણ્યમ અને બીવી નાગરથનાની બેન્ચે કેન્દ્ર સરકાર પાસેથી જાણકારી માંગી છે કે નોટબંધી લાગુ કરતાં પહેલાં શું-શું પ્રક્રિયા અપનાવવામાં આવી હતી. આનો જવાબ આપવા માટે એટર્ની જનરલે સુપ્રીમ કોર્ટ પાસે થોડા દિવસનો સમય માંગ્યો છે.


કેન્દ્ર સરકારના વલણથી નારાજ સુપ્રીમ


ડિમોનેટાઇઝેશન કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ કેન્દ્રથી અસંતુષ્ટ અને નારાજ જોવા મળી હતી. એટર્ની જનરલે જવાબ દાખલ કરવા માટે વધુ સમય માંગવા પર સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે કહ્યું કે આ શરમજનક સ્થિતિ છે. આ પહેલા ક્યારેય એવું બન્યું નથી કે બંધારણીય બેંચ સુનાવણી કર્યા વિના આ મામલામાં આગામી તારીખ નક્કી કરે. ચિદમ્બરમે પણ સરકારના વલણને શરમજનક ગણાવ્યું હતું.


ગત સુનાવણીમાં કોર્ટે શું કહ્યું હતું?


નોટબંધીને લઈને પાછલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે તેની બંધારણિય વૈધતાને લઈને મોટું પગલું ઉઠાવ્યું. જસ્ટિસ સૈયદ અબ્દુલ નઝીરની આગેવાનીવાળી 5 જજોની બંધારણીય પીઠે કેન્દ્ર અને ભારતીય રિઝર્વ બેંક પાસેથી નોટબંધીના નિર્ણય અંગે જવાબ માંગ્યો.


કોર્ટે કેન્દ્ર અને આરબીઆઈ પાસેથી 500 અને 1000 રૂપિયાની નોટોને બંધ કરવાના નિર્ણયને લઈને 9 નવેમ્બરે થનારી સુનાવણી પહેલા વ્યાપક સોગંદનામું દાખલ કરવા માટે કહ્યું હતું. તદ્દપરાંત પીઠે કેન્દ્રને 7 નવેમ્બર 2016એ આરબીઆઈના નામે લખેલો પત્ર અને આગલા દિવસે નોટબંધીના નિર્ણય સાથે સંબંધિત ફાઈલોને તૈયાર રાખવા માટે પણ કહ્યું હતું.


સમગ્ર કેસ શું છે?


કેન્દ્ર સરકારે વર્ષ 2016માં નોટબંધીની જાહેરાત કરી હતી. આ અંતર્ગત દેશમાં 500 અને 100 રૂપિયાની કરન્સી નોટને રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજીઓ દાખલ કરવામાં આવી હતી. સૌથી પહેલા વિવેક નારાણ શર્માએ કેન્દ્ર સરકારના નોટબંધીના નિર્ણયને કોર્ટમાં અરજી દાખલ કરી પડકાર્યો હતો. 2016 બાદથી નોટબંધી વિરૂદ્ધ 57 અન્ય અરજીઓ નોંધવામાં આવી.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.