નોટબંધી ભલે આર્થિક નીતિની બાબત હોય, નિર્ણયની રીત અંગે તપાસ કરી શકીએ: સુપ્રીમ કોર્ટ


  • Published By :
  • Published Date : 2022-12-06 21:31:15

મોદી સરકારના નોટબંધીના નિર્ણયને લઈ આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં કોર્ટે 2016માં સરકારના રૂ. 500 અને રૂ. 1000 ની નોટોને બંધ કરવાના કેન્દ્રના નિર્ણયને પડકારતી અરજીઓ અંગે દલીલો સાંભળી હતી.  સુપ્રીમ કોર્ટ આર્થિક નીતિના માપદંડની ન્યાયિક સમીક્ષા કરી શકતી નથી તેવી RBIની દલીલને સર્વોચ્ચ અદાલતે બાજુ પર રાખી હતી. ન્યાયાધીશ બીવી નાગરથનાએ જણાવ્યું હતું કે, "કોર્ટ નિર્ણયની યોગ્યતાઓમાં જશે નહીં. પરંતુ, કારણ કે તે એક આર્થિક નિર્ણય હતો તેથી તેનો અર્થ એ નથી કે કોર્ટ હાથ જોડીને બેસી જશે. અમે હંમેશા નિર્ણય કઈ રીતે લેવામાં આવ્યો તેની તપાસ કરી શકીએ છીએ."


5 જજોની બેંચે દલીલો સાંભળી 


જે રીતે નિર્ણય લેવાયો હતો તેનો બચાવ કરતા, આરબીઆઈના વરિષ્ઠ વકીલ જયદીપ ગુપ્તાએ જસ્ટિસ એસ અબ્દુલ નઝીરની આગેવાની હેઠળની પાંચ જજોની બેંચ સમક્ષ રજૂઆત કરી હતી. સુનાવણી દરમિયાન આરબીઆઈ તરફથી હાજર થયેલા અગ્રણી વકીલ જયદીપ ગુપ્તાએ સર્વોચ્ચ અદાલતને નકલી ચલણને નિયંત્રિત કરવા માટે નોટબંધીની નિતીને વાકેફ કરાવી હતી. લગભગ પાંચ કલાક ચાલેલી સુનાવણીમાં કોર્ટે તે મજુરો અને ઘરના નોકરોનું પણ ધ્યાન રાખ્યું જેમણે 500 રૂપિયા અને 1000 રૂપિયાની નોટો પાછી આપવા માટે તેમને બેંકમાં લાંબી કતારોમાં ઉભું રહેવું પડ્યું હતું. 


RBIના વકીલોએ શું કહ્યું?


આરબીઆઈનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ ઓન રેકોર્ડ એચએસ પરિહાર અને એડવોકેટ કુલદીપ પરિહાર અને ઈક્ષિતા પરિહાર દ્વારા પણ કરવામાં આવ્યું હતું, એક વધારાના સોગંદનામામાં જણાવ્યું છે કે ભારતીય રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા જનરલ રેગ્યુલેશન્સ, 1949 સાથે વાંચવામાં આવેલા આરબીઆઈ એક્ટની કલમ 26 ની જોગવાઈઓના પાલનમાં, આરબીઆઈના સેન્ટ્રલ બોર્ડની બેઠક 8મી નવેમ્બર 2016ના રોજ યોજાઈ હતી અને વિગતવાર ચર્ચા-વિચારણા કર્યા બાદ બોર્ડે તારણ કાઢ્યું હતું કે મોટા જાહેર હિતમાં હાલમાં રૂ. 500 અને રૂ. 1000ની ચલણી નોટોની કાયદેસરની ટેન્ડરની સ્થિતિ પાછી ખેંચી લેવું તે યોગ્ય રહેશે. આરબીઆઈએ તેની એફિડેવિટમાં કહ્યું કે ઠરાવ પસાર થયા બાદ, 8 નવેમ્બર 2016ના દિવસે સરકારને તે અંગે જાણ કરવામાં આવી હતી.


ચિદમ્બરમ પણ કોર્ટમાં હાજર રહ્યા


અરજદાર વતી હાજર રહેલા, વરિષ્ઠ વકીલ ચિદમ્બરમે મુદ્દો ઉઠાવ્યો હતો કે સંસદસભ્યોએ નોટબંધીની નીતિને અટકાવી દીધી હોત પરંતુ સરકારે કાયદાકીય માર્ગને અનુસર્યો ન હતો.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.