નોટબંધી ભલે આર્થિક નીતિની બાબત હોય, નિર્ણયની રીત અંગે તપાસ કરી શકીએ: સુપ્રીમ કોર્ટ


  • Published By :
  • Published Date : 2022-12-06 21:31:15

મોદી સરકારના નોટબંધીના નિર્ણયને લઈ આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં કોર્ટે 2016માં સરકારના રૂ. 500 અને રૂ. 1000 ની નોટોને બંધ કરવાના કેન્દ્રના નિર્ણયને પડકારતી અરજીઓ અંગે દલીલો સાંભળી હતી.  સુપ્રીમ કોર્ટ આર્થિક નીતિના માપદંડની ન્યાયિક સમીક્ષા કરી શકતી નથી તેવી RBIની દલીલને સર્વોચ્ચ અદાલતે બાજુ પર રાખી હતી. ન્યાયાધીશ બીવી નાગરથનાએ જણાવ્યું હતું કે, "કોર્ટ નિર્ણયની યોગ્યતાઓમાં જશે નહીં. પરંતુ, કારણ કે તે એક આર્થિક નિર્ણય હતો તેથી તેનો અર્થ એ નથી કે કોર્ટ હાથ જોડીને બેસી જશે. અમે હંમેશા નિર્ણય કઈ રીતે લેવામાં આવ્યો તેની તપાસ કરી શકીએ છીએ."


5 જજોની બેંચે દલીલો સાંભળી 


જે રીતે નિર્ણય લેવાયો હતો તેનો બચાવ કરતા, આરબીઆઈના વરિષ્ઠ વકીલ જયદીપ ગુપ્તાએ જસ્ટિસ એસ અબ્દુલ નઝીરની આગેવાની હેઠળની પાંચ જજોની બેંચ સમક્ષ રજૂઆત કરી હતી. સુનાવણી દરમિયાન આરબીઆઈ તરફથી હાજર થયેલા અગ્રણી વકીલ જયદીપ ગુપ્તાએ સર્વોચ્ચ અદાલતને નકલી ચલણને નિયંત્રિત કરવા માટે નોટબંધીની નિતીને વાકેફ કરાવી હતી. લગભગ પાંચ કલાક ચાલેલી સુનાવણીમાં કોર્ટે તે મજુરો અને ઘરના નોકરોનું પણ ધ્યાન રાખ્યું જેમણે 500 રૂપિયા અને 1000 રૂપિયાની નોટો પાછી આપવા માટે તેમને બેંકમાં લાંબી કતારોમાં ઉભું રહેવું પડ્યું હતું. 


RBIના વકીલોએ શું કહ્યું?


આરબીઆઈનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ ઓન રેકોર્ડ એચએસ પરિહાર અને એડવોકેટ કુલદીપ પરિહાર અને ઈક્ષિતા પરિહાર દ્વારા પણ કરવામાં આવ્યું હતું, એક વધારાના સોગંદનામામાં જણાવ્યું છે કે ભારતીય રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા જનરલ રેગ્યુલેશન્સ, 1949 સાથે વાંચવામાં આવેલા આરબીઆઈ એક્ટની કલમ 26 ની જોગવાઈઓના પાલનમાં, આરબીઆઈના સેન્ટ્રલ બોર્ડની બેઠક 8મી નવેમ્બર 2016ના રોજ યોજાઈ હતી અને વિગતવાર ચર્ચા-વિચારણા કર્યા બાદ બોર્ડે તારણ કાઢ્યું હતું કે મોટા જાહેર હિતમાં હાલમાં રૂ. 500 અને રૂ. 1000ની ચલણી નોટોની કાયદેસરની ટેન્ડરની સ્થિતિ પાછી ખેંચી લેવું તે યોગ્ય રહેશે. આરબીઆઈએ તેની એફિડેવિટમાં કહ્યું કે ઠરાવ પસાર થયા બાદ, 8 નવેમ્બર 2016ના દિવસે સરકારને તે અંગે જાણ કરવામાં આવી હતી.


ચિદમ્બરમ પણ કોર્ટમાં હાજર રહ્યા


અરજદાર વતી હાજર રહેલા, વરિષ્ઠ વકીલ ચિદમ્બરમે મુદ્દો ઉઠાવ્યો હતો કે સંસદસભ્યોએ નોટબંધીની નીતિને અટકાવી દીધી હોત પરંતુ સરકારે કાયદાકીય માર્ગને અનુસર્યો ન હતો.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.