બોટાદ રેલવે સ્ટેશન પર ડેમુ ટ્રેનમાં આગ ભભૂકી ઉઠી, 3 ડબ્બા આગની ઝપેટમાં


  • Published By :
  • Published Date : 2023-04-17 20:15:09

બોટાદ રેલવે સ્ટેશન પર ઉભેલી ડેમુ ટ્રેનમાં ભીષણ આગ લાગી છે. બોટાદ રેલવે સ્ટેશનના સાત નંબરના પ્લેટફોર્મ પર ઊભેલી ટ્રેનમાં આગ લાગી હતી. આ ઘટનાને પગલે ચારે બાજુ ધુમાડાના ગોટેગોટા ઉડવા લાગતા રેલવે સ્ટેશન પર અફરાતફરી મચી ગઈ હતી. ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ગાડીઓ સ્ટેશન પર પહોંચી હતી. 


ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો 


બોટાદથી સુરેન્દ્રનગર જતી ડેમુ ટ્રેનમાં ભીષણ આગ લાગી હતી. આ ટ્રેનના ત્રણ ડબ્બા આગની ઝપેટમાં આવી ગયા હતા. પેન્ટ્રી સહિત બે પેસેન્જર ડબ્બામાં આગ લાગી હતી. રેલવે સ્ટેશને પહોંચેલી ફાયરવિભાગની ટીમ દ્વારા બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂમાં મેળવી લેવામાં આવ્યો હતો. ફાયરની ટીમના 30 જવાનો સહિત 3 ફાયરની ગાડી દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. સદનસીબે જાનહાનિ ટળી હતી, જો કે આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.