Devanshi Joshiએ સમજાવ્યું કે જો ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓના ભાષણો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તો સંસદનું શું થાય?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-05 16:48:33

ચૂંટણી પ્રચાર દરમિયાન વોટ મેળવવા માટે અનેક વખત નેતાઓ એવા નિવેદનો આપી દેતા હોય છે જે ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે. ગઈકાલે જ સુપ્રીમ કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને રાહત મળી હતી. રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચારમાં મોદી સરનેમને લઈ નિવેદન આપ્યું હતું કે બધા ચોરોની સરનેમ મોદી કેમ હોય છે? આ નિવેદનને લઈ તેમના વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો અને તેમનું સાંસદ પદ પણ જતું રહ્યું હતું. ત્યારે વાત અહીંયા રાહુલ ગાંધીની નથી કરવી. પરંતુ નેતાઓ દ્વારા અપાતા નિવેદનોની કરવી છે. જો દરેક ભાષણો, નિવેદનોને લઈ સજા થવા લાગે તો મોટા ભાગની સંસદ  ખાલી જશે.

જો ચૂંટણી પ્રચાર દરમિયાન અપાયેલા નિવેદનો પર પગલા લેવાય તો.. 

કહેવાય છે કે કમાનમાંથી નીકળેલું બાન અને મોઢામાંથી બોલાયેલા શબ્દો ક્યારેય પાછા આવી શક્તા નથી. કદાચ શરીર પર લાગેલો ઘા સમય સાથે ઠીક થઈ શકે છે પરંતુ તમારા શબ્દો દ્વારા કરવામાં આવતો ઘા જીંદગીભર લોકોને યાદ રહે છે અને તેમને દુખી કરે છે. આજે વાત ચૂંટણી પ્રચારમાં નેતાઓ દ્વારા આપવામાં આવતા નિવેદનોની કરવી છે. જો આપણે વિચારીએ તો આપણા દેશના રાજનેતાઓએ રેલીમાં આપેલા ભાષણોને કારણે સજા થવા માંડે તો આ દેશની સંસદ મોટા ભાગની આજે ખાલી હોત. 


ભાન ભૂલી અનેક વખત નેતાઓ આપતા હોય છે નિવેદનો 

કોઈ પણ સાંસદ પોતાને ત્યાં બેસવા માટે પોતાને સાબિત ન કરી શકે. કારણ કે વારે તહેવારે, ઈચ્છાએ અનિચ્છાએ કોઈ વખત સભાન અવસ્થામાં અથવા તો ભાન  ભૂલેલી અવસ્થામાં નેતાઓ એવા નિવેદનો જાહેર રેલીમાં કરી ચૂક્યા છે જો તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તો દેશની મોટા ભાગની સંસદ ખાલી થઈ જાય. સંસદમાં બેસવા માટે સાંસદો લાયક નથી થતા એ પ્રકારના ભાષણો રેલીમાં, ચૂંટણીમાં પ્રચાર દરમિયાન આપતા હોય છે. રાજનેતાઓ દ્વારા આપવામાં આવેલા નિવેદનોને કારણે એ સમયે તો નેતાની વાહવાહી થાય છે પરંતુ આગામી સમયમાં તેમને જ દુષપરિણામો ભોગવવા પડે છે. અનેક વખત પ્રચાર દરમિયાન એવા એવા નિવેદનો આપવામાં આપવામાં આવતા હોય છે કે તે સાંભળીને આપણને પણ થાય કે શું આ વાક્ય કોઈ રાજનેતાઓને શોભે છે?      



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે