Devanshi Joshiએ સમજાવ્યું કે જો ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓના ભાષણો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તો સંસદનું શું થાય?


  • Published By :
  • Published Date : 2023-08-05 16:48:33

ચૂંટણી પ્રચાર દરમિયાન વોટ મેળવવા માટે અનેક વખત નેતાઓ એવા નિવેદનો આપી દેતા હોય છે જે ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે. ગઈકાલે જ સુપ્રીમ કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને રાહત મળી હતી. રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચારમાં મોદી સરનેમને લઈ નિવેદન આપ્યું હતું કે બધા ચોરોની સરનેમ મોદી કેમ હોય છે? આ નિવેદનને લઈ તેમના વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો અને તેમનું સાંસદ પદ પણ જતું રહ્યું હતું. ત્યારે વાત અહીંયા રાહુલ ગાંધીની નથી કરવી. પરંતુ નેતાઓ દ્વારા અપાતા નિવેદનોની કરવી છે. જો દરેક ભાષણો, નિવેદનોને લઈ સજા થવા લાગે તો મોટા ભાગની સંસદ  ખાલી જશે.

જો ચૂંટણી પ્રચાર દરમિયાન અપાયેલા નિવેદનો પર પગલા લેવાય તો.. 

કહેવાય છે કે કમાનમાંથી નીકળેલું બાન અને મોઢામાંથી બોલાયેલા શબ્દો ક્યારેય પાછા આવી શક્તા નથી. કદાચ શરીર પર લાગેલો ઘા સમય સાથે ઠીક થઈ શકે છે પરંતુ તમારા શબ્દો દ્વારા કરવામાં આવતો ઘા જીંદગીભર લોકોને યાદ રહે છે અને તેમને દુખી કરે છે. આજે વાત ચૂંટણી પ્રચારમાં નેતાઓ દ્વારા આપવામાં આવતા નિવેદનોની કરવી છે. જો આપણે વિચારીએ તો આપણા દેશના રાજનેતાઓએ રેલીમાં આપેલા ભાષણોને કારણે સજા થવા માંડે તો આ દેશની સંસદ મોટા ભાગની આજે ખાલી હોત. 


ભાન ભૂલી અનેક વખત નેતાઓ આપતા હોય છે નિવેદનો 

કોઈ પણ સાંસદ પોતાને ત્યાં બેસવા માટે પોતાને સાબિત ન કરી શકે. કારણ કે વારે તહેવારે, ઈચ્છાએ અનિચ્છાએ કોઈ વખત સભાન અવસ્થામાં અથવા તો ભાન  ભૂલેલી અવસ્થામાં નેતાઓ એવા નિવેદનો જાહેર રેલીમાં કરી ચૂક્યા છે જો તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તો દેશની મોટા ભાગની સંસદ ખાલી થઈ જાય. સંસદમાં બેસવા માટે સાંસદો લાયક નથી થતા એ પ્રકારના ભાષણો રેલીમાં, ચૂંટણીમાં પ્રચાર દરમિયાન આપતા હોય છે. રાજનેતાઓ દ્વારા આપવામાં આવેલા નિવેદનોને કારણે એ સમયે તો નેતાની વાહવાહી થાય છે પરંતુ આગામી સમયમાં તેમને જ દુષપરિણામો ભોગવવા પડે છે. અનેક વખત પ્રચાર દરમિયાન એવા એવા નિવેદનો આપવામાં આપવામાં આવતા હોય છે કે તે સાંભળીને આપણને પણ થાય કે શું આ વાક્ય કોઈ રાજનેતાઓને શોભે છે?      



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી