Devanshi Joshiએ સમજાવ્યું કે જો ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓના ભાષણો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તો સંસદનું શું થાય?


  • Published By :
  • Published Date : 2023-08-05 16:48:33

ચૂંટણી પ્રચાર દરમિયાન વોટ મેળવવા માટે અનેક વખત નેતાઓ એવા નિવેદનો આપી દેતા હોય છે જે ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે. ગઈકાલે જ સુપ્રીમ કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને રાહત મળી હતી. રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચારમાં મોદી સરનેમને લઈ નિવેદન આપ્યું હતું કે બધા ચોરોની સરનેમ મોદી કેમ હોય છે? આ નિવેદનને લઈ તેમના વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો અને તેમનું સાંસદ પદ પણ જતું રહ્યું હતું. ત્યારે વાત અહીંયા રાહુલ ગાંધીની નથી કરવી. પરંતુ નેતાઓ દ્વારા અપાતા નિવેદનોની કરવી છે. જો દરેક ભાષણો, નિવેદનોને લઈ સજા થવા લાગે તો મોટા ભાગની સંસદ  ખાલી જશે.

જો ચૂંટણી પ્રચાર દરમિયાન અપાયેલા નિવેદનો પર પગલા લેવાય તો.. 

કહેવાય છે કે કમાનમાંથી નીકળેલું બાન અને મોઢામાંથી બોલાયેલા શબ્દો ક્યારેય પાછા આવી શક્તા નથી. કદાચ શરીર પર લાગેલો ઘા સમય સાથે ઠીક થઈ શકે છે પરંતુ તમારા શબ્દો દ્વારા કરવામાં આવતો ઘા જીંદગીભર લોકોને યાદ રહે છે અને તેમને દુખી કરે છે. આજે વાત ચૂંટણી પ્રચારમાં નેતાઓ દ્વારા આપવામાં આવતા નિવેદનોની કરવી છે. જો આપણે વિચારીએ તો આપણા દેશના રાજનેતાઓએ રેલીમાં આપેલા ભાષણોને કારણે સજા થવા માંડે તો આ દેશની સંસદ મોટા ભાગની આજે ખાલી હોત. 


ભાન ભૂલી અનેક વખત નેતાઓ આપતા હોય છે નિવેદનો 

કોઈ પણ સાંસદ પોતાને ત્યાં બેસવા માટે પોતાને સાબિત ન કરી શકે. કારણ કે વારે તહેવારે, ઈચ્છાએ અનિચ્છાએ કોઈ વખત સભાન અવસ્થામાં અથવા તો ભાન  ભૂલેલી અવસ્થામાં નેતાઓ એવા નિવેદનો જાહેર રેલીમાં કરી ચૂક્યા છે જો તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તો દેશની મોટા ભાગની સંસદ ખાલી થઈ જાય. સંસદમાં બેસવા માટે સાંસદો લાયક નથી થતા એ પ્રકારના ભાષણો રેલીમાં, ચૂંટણીમાં પ્રચાર દરમિયાન આપતા હોય છે. રાજનેતાઓ દ્વારા આપવામાં આવેલા નિવેદનોને કારણે એ સમયે તો નેતાની વાહવાહી થાય છે પરંતુ આગામી સમયમાં તેમને જ દુષપરિણામો ભોગવવા પડે છે. અનેક વખત પ્રચાર દરમિયાન એવા એવા નિવેદનો આપવામાં આપવામાં આવતા હોય છે કે તે સાંભળીને આપણને પણ થાય કે શું આ વાક્ય કોઈ રાજનેતાઓને શોભે છે?      



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.