TET-TATના ઉમેદવારો માટે Devanshi Joshiએ ઉઠાવ્યો અવાજ, સાંભળો પોલીસની ગાડીમાં બેઠેલા ઉમેદવારોની વેદના


  • Published By :
  • Published Date : 2023-08-11 11:29:17

પોલીસની કામગીરી પર અનેક વખત પ્રશ્ન ઉઠતા હોય છે. પોલીસની કામગીરી પર તો ઠીક પરંતુ પોલીસની બેવડી નીતિ પર ચર્ચા કરવી છે. દારૂના અડ્ડા ક્યાં ચાલે છે, દારૂ ક્યાં વેચાય છે તેની ખબર હોય છે છતાંય પોલીસ અંધ બની બધુ જોતી રહેતી હોય છે. ક્યાં શું થઈ રહ્યું છે તેની જાણ હોવા છતાંય કોઈ પગલા લેવામાં નથી આવતા પરંતુ જ્યારે TET-TATના ઉમેદવારો પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા જાય છે ત્યારે અચાનક પોલીસને પોતાની ફરજ, પોલીસને પોતાની નૈતિક્તા યાદ આવે છે, ત્વરિત કામ કરવાની જિજ્ઞાસા અચાનક જાગી જાય છે જ્યારે TET TATના ઉમેદવારો પોતાનો અવાજ ઉઠાવે છે.

TET-TATના ઉમેદવારો કરવા જઈ રહ્યા હતા રજૂઆત 

છેલ્લા ઘણા સમયથી TET-TATના ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીને રદ્દ કરવામાં આવે તેવી તેમની માગ છે. સરકારને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ તેમની માગનું કોઈ નિરાકરણ નથી થયું. સરકાર જાણે તેમની વાત સાંભળવા તૈયાર જ ન હોય તેવું લાગે છે. ગઈકાલે પીએમ મોદીને પત્ર લખી આ અંગેની રજૂઆત કરવા જઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમને પોતાની ગાડીમાં બેસાડી દીધા.


પોલીસનો ડર જ ન રહે ત્યારે... 

પીએમ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે કહ્યું હતું કે જો તમને કોઈ સમસ્યા થાય તો તેમને પત્ર લખી જાણ કરવી. પરંતુ ઉમેદવારો પોતાની રજૂઆત કરવા ગયા ત્યારે તેમને રોકી દેવામાં આવ્યા. એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તે કહી રહ્યા છે કે તે આંદોલન કરવા નથી જઈ રહ્યા. પરંતુ તો પણ પોલીસે તેમને તેમની વાનમાં બેસાડી દીધા. આંદોલન કરવા નિકળેલા ઉમેદવારોના મનમાં જ્યારે પોલીસનો ડર જતો રહેશે તો તે આંદોલન કરવાથી નથી ડરવાનો.   

 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.