TET-TATના ઉમેદવારો માટે Devanshi Joshiએ ઉઠાવ્યો અવાજ, સાંભળો પોલીસની ગાડીમાં બેઠેલા ઉમેદવારોની વેદના


  • Published By :
  • Published Date : 2023-08-11 11:29:17

પોલીસની કામગીરી પર અનેક વખત પ્રશ્ન ઉઠતા હોય છે. પોલીસની કામગીરી પર તો ઠીક પરંતુ પોલીસની બેવડી નીતિ પર ચર્ચા કરવી છે. દારૂના અડ્ડા ક્યાં ચાલે છે, દારૂ ક્યાં વેચાય છે તેની ખબર હોય છે છતાંય પોલીસ અંધ બની બધુ જોતી રહેતી હોય છે. ક્યાં શું થઈ રહ્યું છે તેની જાણ હોવા છતાંય કોઈ પગલા લેવામાં નથી આવતા પરંતુ જ્યારે TET-TATના ઉમેદવારો પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા જાય છે ત્યારે અચાનક પોલીસને પોતાની ફરજ, પોલીસને પોતાની નૈતિક્તા યાદ આવે છે, ત્વરિત કામ કરવાની જિજ્ઞાસા અચાનક જાગી જાય છે જ્યારે TET TATના ઉમેદવારો પોતાનો અવાજ ઉઠાવે છે.

TET-TATના ઉમેદવારો કરવા જઈ રહ્યા હતા રજૂઆત 

છેલ્લા ઘણા સમયથી TET-TATના ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીને રદ્દ કરવામાં આવે તેવી તેમની માગ છે. સરકારને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ તેમની માગનું કોઈ નિરાકરણ નથી થયું. સરકાર જાણે તેમની વાત સાંભળવા તૈયાર જ ન હોય તેવું લાગે છે. ગઈકાલે પીએમ મોદીને પત્ર લખી આ અંગેની રજૂઆત કરવા જઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમને પોતાની ગાડીમાં બેસાડી દીધા.


પોલીસનો ડર જ ન રહે ત્યારે... 

પીએમ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે કહ્યું હતું કે જો તમને કોઈ સમસ્યા થાય તો તેમને પત્ર લખી જાણ કરવી. પરંતુ ઉમેદવારો પોતાની રજૂઆત કરવા ગયા ત્યારે તેમને રોકી દેવામાં આવ્યા. એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તે કહી રહ્યા છે કે તે આંદોલન કરવા નથી જઈ રહ્યા. પરંતુ તો પણ પોલીસે તેમને તેમની વાનમાં બેસાડી દીધા. આંદોલન કરવા નિકળેલા ઉમેદવારોના મનમાં જ્યારે પોલીસનો ડર જતો રહેશે તો તે આંદોલન કરવાથી નથી ડરવાનો.   

 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.