TET-TATના ઉમેદવારો માટે Devanshi Joshiએ ઉઠાવ્યો અવાજ, સાંભળો પોલીસની ગાડીમાં બેઠેલા ઉમેદવારોની વેદના


  • Published By :
  • Published Date : 2023-08-11 11:29:17

પોલીસની કામગીરી પર અનેક વખત પ્રશ્ન ઉઠતા હોય છે. પોલીસની કામગીરી પર તો ઠીક પરંતુ પોલીસની બેવડી નીતિ પર ચર્ચા કરવી છે. દારૂના અડ્ડા ક્યાં ચાલે છે, દારૂ ક્યાં વેચાય છે તેની ખબર હોય છે છતાંય પોલીસ અંધ બની બધુ જોતી રહેતી હોય છે. ક્યાં શું થઈ રહ્યું છે તેની જાણ હોવા છતાંય કોઈ પગલા લેવામાં નથી આવતા પરંતુ જ્યારે TET-TATના ઉમેદવારો પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા જાય છે ત્યારે અચાનક પોલીસને પોતાની ફરજ, પોલીસને પોતાની નૈતિક્તા યાદ આવે છે, ત્વરિત કામ કરવાની જિજ્ઞાસા અચાનક જાગી જાય છે જ્યારે TET TATના ઉમેદવારો પોતાનો અવાજ ઉઠાવે છે.

TET-TATના ઉમેદવારો કરવા જઈ રહ્યા હતા રજૂઆત 

છેલ્લા ઘણા સમયથી TET-TATના ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીને રદ્દ કરવામાં આવે તેવી તેમની માગ છે. સરકારને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ તેમની માગનું કોઈ નિરાકરણ નથી થયું. સરકાર જાણે તેમની વાત સાંભળવા તૈયાર જ ન હોય તેવું લાગે છે. ગઈકાલે પીએમ મોદીને પત્ર લખી આ અંગેની રજૂઆત કરવા જઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમને પોતાની ગાડીમાં બેસાડી દીધા.


પોલીસનો ડર જ ન રહે ત્યારે... 

પીએમ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે કહ્યું હતું કે જો તમને કોઈ સમસ્યા થાય તો તેમને પત્ર લખી જાણ કરવી. પરંતુ ઉમેદવારો પોતાની રજૂઆત કરવા ગયા ત્યારે તેમને રોકી દેવામાં આવ્યા. એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તે કહી રહ્યા છે કે તે આંદોલન કરવા નથી જઈ રહ્યા. પરંતુ તો પણ પોલીસે તેમને તેમની વાનમાં બેસાડી દીધા. આંદોલન કરવા નિકળેલા ઉમેદવારોના મનમાં જ્યારે પોલીસનો ડર જતો રહેશે તો તે આંદોલન કરવાથી નથી ડરવાનો.   

 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી