TET-TATના ઉમેદવારો માટે Devanshi Joshiએ ઉઠાવ્યો અવાજ, સાંભળો પોલીસની ગાડીમાં બેઠેલા ઉમેદવારોની વેદના


  • Published By :
  • Published Date : 2023-08-11 11:29:17

પોલીસની કામગીરી પર અનેક વખત પ્રશ્ન ઉઠતા હોય છે. પોલીસની કામગીરી પર તો ઠીક પરંતુ પોલીસની બેવડી નીતિ પર ચર્ચા કરવી છે. દારૂના અડ્ડા ક્યાં ચાલે છે, દારૂ ક્યાં વેચાય છે તેની ખબર હોય છે છતાંય પોલીસ અંધ બની બધુ જોતી રહેતી હોય છે. ક્યાં શું થઈ રહ્યું છે તેની જાણ હોવા છતાંય કોઈ પગલા લેવામાં નથી આવતા પરંતુ જ્યારે TET-TATના ઉમેદવારો પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા જાય છે ત્યારે અચાનક પોલીસને પોતાની ફરજ, પોલીસને પોતાની નૈતિક્તા યાદ આવે છે, ત્વરિત કામ કરવાની જિજ્ઞાસા અચાનક જાગી જાય છે જ્યારે TET TATના ઉમેદવારો પોતાનો અવાજ ઉઠાવે છે.

TET-TATના ઉમેદવારો કરવા જઈ રહ્યા હતા રજૂઆત 

છેલ્લા ઘણા સમયથી TET-TATના ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીને રદ્દ કરવામાં આવે તેવી તેમની માગ છે. સરકારને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ તેમની માગનું કોઈ નિરાકરણ નથી થયું. સરકાર જાણે તેમની વાત સાંભળવા તૈયાર જ ન હોય તેવું લાગે છે. ગઈકાલે પીએમ મોદીને પત્ર લખી આ અંગેની રજૂઆત કરવા જઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમને પોતાની ગાડીમાં બેસાડી દીધા.


પોલીસનો ડર જ ન રહે ત્યારે... 

પીએમ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે કહ્યું હતું કે જો તમને કોઈ સમસ્યા થાય તો તેમને પત્ર લખી જાણ કરવી. પરંતુ ઉમેદવારો પોતાની રજૂઆત કરવા ગયા ત્યારે તેમને રોકી દેવામાં આવ્યા. એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તે કહી રહ્યા છે કે તે આંદોલન કરવા નથી જઈ રહ્યા. પરંતુ તો પણ પોલીસે તેમને તેમની વાનમાં બેસાડી દીધા. આંદોલન કરવા નિકળેલા ઉમેદવારોના મનમાં જ્યારે પોલીસનો ડર જતો રહેશે તો તે આંદોલન કરવાથી નથી ડરવાનો.   

 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.