જૂનાગઢમાં દેવાંશી જોષીનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ, બિલ્ડીંગ દુર્ઘટનામાં ભાઈને ગુમાવી દેનાર બહેનના છલકાયા આંસુ,જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-25 17:25:59

એક સ્ત્રી માટે એમ પણ એકલું જીવન વ્યતીત કરવું અઘરૂં હોય છે. અનેક સંઘર્ષો કરવા પડતા હોય છે પોતાના અસ્તીત્વને ટકાવી રાખવા માટે. આવા સમયમાં પરિવારનો સાથ  હોય તો જીવન થોડું જીવવા માટે સહેલું લાગે છે. પરંતુ જો એક જ ક્ષણમાં પરિવાર વેરવિખેર થઈ જાય તો? આ વાત એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે આવી પીડાનો અનુભવ જૂનાગઢમાં રહેતા આ મહિલા કરી રહ્યા છે. 

મકાન ધરાશાયી થતાં થયા ચાર લોકોના મોત

ગઈકાલે જૂનાગઢમાં એક બિલ્ડીંગ ધરાશાયી થયું હતું જેમાં ચાર લોકોના મોત થયા હતા. એકાએક જર્જરિત બિલ્ડીંગ ધરાશાયી થતાં અનેક લોકો કાઠમાળ નીચે ફસાઈ ગયા હતા. અનેક કલાકો સુધી લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. પરંતુ આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા છે. 

મહિલાએ ગુમાવ્યો પોતાનો ભાઈ 

જુનાગઢમાં જ્યારે દેવાંશી જોષીએ ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું હતું ત્યારે જે મહિલાએ દુર્ઘટનામાં પોતાના ભાઈને ગુમાવ્યો હતો તેમનું દર્દ છલકાઈ આવ્યું હતું. ચાની રેકડીમાં કામગીરી કરતા તેઓ દિવસના 130 રુપિયા કમાતા હતા.જર્જરિત મકાન હોવાને કારણે ગમે ત્યારે મકાન ધરાશાયી થઈ શકે છે તેવી ભીતિ તંત્રને હતી. મહિલાના જણાવ્યા મુજબ ઘરને લઈ માત્ર નોટિસ લટાવામાં આવી હતી, ઘર ખાલી કરવા માટે કોઈએ કહ્યું ન હતું.  


આવી દુર્ઘટના સર્જાતા થાય છે અનેક લોકોના મોત

મહત્વનું છે ચોમાસાની સિઝન દરમિયાન અનેક જર્જરિત મકાનો  તેમજ બિલ્ડીંગો ધરાશાયી થઈ હોય તેવા સમાચારો આવતા રહે છે. અનેક લોકો ગંભીર ઈજાગ્રસ્ત થાય છે તો અનેક લોકો દુનિયાને અલવિદા કહી દે છે. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.