જૂનાગઢમાં દેવાંશી જોષીનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ, બિલ્ડીંગ દુર્ઘટનામાં ભાઈને ગુમાવી દેનાર બહેનના છલકાયા આંસુ,જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-25 17:25:59

એક સ્ત્રી માટે એમ પણ એકલું જીવન વ્યતીત કરવું અઘરૂં હોય છે. અનેક સંઘર્ષો કરવા પડતા હોય છે પોતાના અસ્તીત્વને ટકાવી રાખવા માટે. આવા સમયમાં પરિવારનો સાથ  હોય તો જીવન થોડું જીવવા માટે સહેલું લાગે છે. પરંતુ જો એક જ ક્ષણમાં પરિવાર વેરવિખેર થઈ જાય તો? આ વાત એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે આવી પીડાનો અનુભવ જૂનાગઢમાં રહેતા આ મહિલા કરી રહ્યા છે. 

મકાન ધરાશાયી થતાં થયા ચાર લોકોના મોત

ગઈકાલે જૂનાગઢમાં એક બિલ્ડીંગ ધરાશાયી થયું હતું જેમાં ચાર લોકોના મોત થયા હતા. એકાએક જર્જરિત બિલ્ડીંગ ધરાશાયી થતાં અનેક લોકો કાઠમાળ નીચે ફસાઈ ગયા હતા. અનેક કલાકો સુધી લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. પરંતુ આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા છે. 

મહિલાએ ગુમાવ્યો પોતાનો ભાઈ 

જુનાગઢમાં જ્યારે દેવાંશી જોષીએ ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું હતું ત્યારે જે મહિલાએ દુર્ઘટનામાં પોતાના ભાઈને ગુમાવ્યો હતો તેમનું દર્દ છલકાઈ આવ્યું હતું. ચાની રેકડીમાં કામગીરી કરતા તેઓ દિવસના 130 રુપિયા કમાતા હતા.જર્જરિત મકાન હોવાને કારણે ગમે ત્યારે મકાન ધરાશાયી થઈ શકે છે તેવી ભીતિ તંત્રને હતી. મહિલાના જણાવ્યા મુજબ ઘરને લઈ માત્ર નોટિસ લટાવામાં આવી હતી, ઘર ખાલી કરવા માટે કોઈએ કહ્યું ન હતું.  


આવી દુર્ઘટના સર્જાતા થાય છે અનેક લોકોના મોત

મહત્વનું છે ચોમાસાની સિઝન દરમિયાન અનેક જર્જરિત મકાનો  તેમજ બિલ્ડીંગો ધરાશાયી થઈ હોય તેવા સમાચારો આવતા રહે છે. અનેક લોકો ગંભીર ઈજાગ્રસ્ત થાય છે તો અનેક લોકો દુનિયાને અલવિદા કહી દે છે. 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.