જૂનાગઢમાં દેવાંશી જોષીનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ, બિલ્ડીંગ દુર્ઘટનામાં ભાઈને ગુમાવી દેનાર બહેનના છલકાયા આંસુ,જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-25 17:25:59

એક સ્ત્રી માટે એમ પણ એકલું જીવન વ્યતીત કરવું અઘરૂં હોય છે. અનેક સંઘર્ષો કરવા પડતા હોય છે પોતાના અસ્તીત્વને ટકાવી રાખવા માટે. આવા સમયમાં પરિવારનો સાથ  હોય તો જીવન થોડું જીવવા માટે સહેલું લાગે છે. પરંતુ જો એક જ ક્ષણમાં પરિવાર વેરવિખેર થઈ જાય તો? આ વાત એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે આવી પીડાનો અનુભવ જૂનાગઢમાં રહેતા આ મહિલા કરી રહ્યા છે. 

મકાન ધરાશાયી થતાં થયા ચાર લોકોના મોત

ગઈકાલે જૂનાગઢમાં એક બિલ્ડીંગ ધરાશાયી થયું હતું જેમાં ચાર લોકોના મોત થયા હતા. એકાએક જર્જરિત બિલ્ડીંગ ધરાશાયી થતાં અનેક લોકો કાઠમાળ નીચે ફસાઈ ગયા હતા. અનેક કલાકો સુધી લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. પરંતુ આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા છે. 

મહિલાએ ગુમાવ્યો પોતાનો ભાઈ 

જુનાગઢમાં જ્યારે દેવાંશી જોષીએ ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું હતું ત્યારે જે મહિલાએ દુર્ઘટનામાં પોતાના ભાઈને ગુમાવ્યો હતો તેમનું દર્દ છલકાઈ આવ્યું હતું. ચાની રેકડીમાં કામગીરી કરતા તેઓ દિવસના 130 રુપિયા કમાતા હતા.જર્જરિત મકાન હોવાને કારણે ગમે ત્યારે મકાન ધરાશાયી થઈ શકે છે તેવી ભીતિ તંત્રને હતી. મહિલાના જણાવ્યા મુજબ ઘરને લઈ માત્ર નોટિસ લટાવામાં આવી હતી, ઘર ખાલી કરવા માટે કોઈએ કહ્યું ન હતું.  


આવી દુર્ઘટના સર્જાતા થાય છે અનેક લોકોના મોત

મહત્વનું છે ચોમાસાની સિઝન દરમિયાન અનેક જર્જરિત મકાનો  તેમજ બિલ્ડીંગો ધરાશાયી થઈ હોય તેવા સમાચારો આવતા રહે છે. અનેક લોકો ગંભીર ઈજાગ્રસ્ત થાય છે તો અનેક લોકો દુનિયાને અલવિદા કહી દે છે. 




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.