જૂનાગઢમાં દેવાંશી જોષીનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ, બિલ્ડીંગ દુર્ઘટનામાં ભાઈને ગુમાવી દેનાર બહેનના છલકાયા આંસુ,જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-25 17:25:59

એક સ્ત્રી માટે એમ પણ એકલું જીવન વ્યતીત કરવું અઘરૂં હોય છે. અનેક સંઘર્ષો કરવા પડતા હોય છે પોતાના અસ્તીત્વને ટકાવી રાખવા માટે. આવા સમયમાં પરિવારનો સાથ  હોય તો જીવન થોડું જીવવા માટે સહેલું લાગે છે. પરંતુ જો એક જ ક્ષણમાં પરિવાર વેરવિખેર થઈ જાય તો? આ વાત એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે આવી પીડાનો અનુભવ જૂનાગઢમાં રહેતા આ મહિલા કરી રહ્યા છે. 

મકાન ધરાશાયી થતાં થયા ચાર લોકોના મોત

ગઈકાલે જૂનાગઢમાં એક બિલ્ડીંગ ધરાશાયી થયું હતું જેમાં ચાર લોકોના મોત થયા હતા. એકાએક જર્જરિત બિલ્ડીંગ ધરાશાયી થતાં અનેક લોકો કાઠમાળ નીચે ફસાઈ ગયા હતા. અનેક કલાકો સુધી લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. પરંતુ આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા છે. 

મહિલાએ ગુમાવ્યો પોતાનો ભાઈ 

જુનાગઢમાં જ્યારે દેવાંશી જોષીએ ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું હતું ત્યારે જે મહિલાએ દુર્ઘટનામાં પોતાના ભાઈને ગુમાવ્યો હતો તેમનું દર્દ છલકાઈ આવ્યું હતું. ચાની રેકડીમાં કામગીરી કરતા તેઓ દિવસના 130 રુપિયા કમાતા હતા.જર્જરિત મકાન હોવાને કારણે ગમે ત્યારે મકાન ધરાશાયી થઈ શકે છે તેવી ભીતિ તંત્રને હતી. મહિલાના જણાવ્યા મુજબ ઘરને લઈ માત્ર નોટિસ લટાવામાં આવી હતી, ઘર ખાલી કરવા માટે કોઈએ કહ્યું ન હતું.  


આવી દુર્ઘટના સર્જાતા થાય છે અનેક લોકોના મોત

મહત્વનું છે ચોમાસાની સિઝન દરમિયાન અનેક જર્જરિત મકાનો  તેમજ બિલ્ડીંગો ધરાશાયી થઈ હોય તેવા સમાચારો આવતા રહે છે. અનેક લોકો ગંભીર ઈજાગ્રસ્ત થાય છે તો અનેક લોકો દુનિયાને અલવિદા કહી દે છે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે