પાવાગઢમાં શ્રીફળ વધેરવા પર પ્રતિબંધ હોવા છતાંય ભક્તો વધેરી રહ્યા છે નાળિયેર! રસ્તા પર જોવા મળ્યા શ્રીફળના ઢગલા!


  • Published By :
  • Published Date : 2023-03-22 15:42:06

થોડા સમયથી પ્રસાદને લઈ વિવાદ છેડાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. પહેલા અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદને લઈ વિવાદ ચાલ્યો હતો ત્યારે પાવાગઢ મંદિરમાં છોલેલા શ્રીફળ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. મંદિર પરિસરમાં સફાઈ જળવાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે તેવું ટ્રસ્ટનું કહેવું છે. મંદિરમાં શ્રીફળ વધેરવાની ના પાડતા ભક્તો રસ્તા પર શ્રીફળ વધેરી રહ્યા છે. ત્યારે મંદિરમાં શ્રીફળ વધેરવાની મનાઈ હોવાને કારણે ભક્તો રસ્તા પર શ્રીફળ વધેરી રહ્યા છે. 

Pavagadh

માર્ગ પર જ ભક્તો વધેરી રહ્યા છે શ્રીફળ!

આજથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે. વહેલી સવારથી નવરાત્રી હોવાને કારણે માતાજીના મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું છે.શક્તિપીઠ ખાતે ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે. ત્યારે પાવાગઢમાં પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. ત્યારે 20 માર્ચથી પાવાગઢ મંદિરમાં છોલેલા શ્રીફળ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. મંદિરમાં સફાઈ જળવાઈ રહે તે માટે ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે તેવું ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું. પરંતુ એવા અનેક દ્રશ્યો સામે આવ્યા જેમાં ભક્તો જ્યાં જગ્યા મળે ત્યાં શ્રીફળ વધેરી રહ્યા છે. ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે ભક્તો માર્ગ પર શ્રીફળ વધેરતા નજરે પડ્યા હતા. 






શ્રીફળ વધેરવાના મશીનનો કોઈ નથી કરી રહ્યો ઉપયોગ!

શ્રીફળ વધેરવાના મશીન મૂકવામાં આવ્યા છે પરંતુ તે શોભાના ગાંઠીયા સમાન બની ગયા છે. મશીન સૂમસામ જોવા મળ્યા હતા. અનેક ભક્તોએ માર્ગ પર જ શ્રીફળ વધેરી દીધા હતા. મંદિરમાં મનાઈ હોવાને કારણે મંદિર જવાના માર્ગો પર જ શ્રીફળ વધેરતા દેખાયા હતા. મંદિર દ્વારા સ્વચ્છતા જળવાય તે માટે લેવાયેલા નિર્ણયને લઈ વધારે ગંદકી થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. ભક્તોને અગવડ ન પડે તે માટે મંદિર પ્રશાસન તરફથી મશીન મૂકવામાં આવ્યા હતા. પહેલા શ્રીફળ વધેરવાનું મશીન દુધિયા તળાવ પાસે મૂકવામાં આવ્યું હતું પરંતુ હવે આ મશીન માચી ખાતે મૂકવામાં આવ્યું છે. પરંતુ ભક્તો આ મશીનનો ઉપયોગ નથી કરી રહ્યા તેવું લાગી રહ્યું છે.        




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.