પાવાગઢમાં શ્રીફળ વધેરવા પર પ્રતિબંધ હોવા છતાંય ભક્તો વધેરી રહ્યા છે નાળિયેર! રસ્તા પર જોવા મળ્યા શ્રીફળના ઢગલા!


  • Published By :
  • Published Date : 2023-03-22 15:42:06

થોડા સમયથી પ્રસાદને લઈ વિવાદ છેડાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. પહેલા અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદને લઈ વિવાદ ચાલ્યો હતો ત્યારે પાવાગઢ મંદિરમાં છોલેલા શ્રીફળ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. મંદિર પરિસરમાં સફાઈ જળવાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે તેવું ટ્રસ્ટનું કહેવું છે. મંદિરમાં શ્રીફળ વધેરવાની ના પાડતા ભક્તો રસ્તા પર શ્રીફળ વધેરી રહ્યા છે. ત્યારે મંદિરમાં શ્રીફળ વધેરવાની મનાઈ હોવાને કારણે ભક્તો રસ્તા પર શ્રીફળ વધેરી રહ્યા છે. 

Pavagadh

માર્ગ પર જ ભક્તો વધેરી રહ્યા છે શ્રીફળ!

આજથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે. વહેલી સવારથી નવરાત્રી હોવાને કારણે માતાજીના મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું છે.શક્તિપીઠ ખાતે ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે. ત્યારે પાવાગઢમાં પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. ત્યારે 20 માર્ચથી પાવાગઢ મંદિરમાં છોલેલા શ્રીફળ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. મંદિરમાં સફાઈ જળવાઈ રહે તે માટે ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે તેવું ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું. પરંતુ એવા અનેક દ્રશ્યો સામે આવ્યા જેમાં ભક્તો જ્યાં જગ્યા મળે ત્યાં શ્રીફળ વધેરી રહ્યા છે. ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે ભક્તો માર્ગ પર શ્રીફળ વધેરતા નજરે પડ્યા હતા. 






શ્રીફળ વધેરવાના મશીનનો કોઈ નથી કરી રહ્યો ઉપયોગ!

શ્રીફળ વધેરવાના મશીન મૂકવામાં આવ્યા છે પરંતુ તે શોભાના ગાંઠીયા સમાન બની ગયા છે. મશીન સૂમસામ જોવા મળ્યા હતા. અનેક ભક્તોએ માર્ગ પર જ શ્રીફળ વધેરી દીધા હતા. મંદિરમાં મનાઈ હોવાને કારણે મંદિર જવાના માર્ગો પર જ શ્રીફળ વધેરતા દેખાયા હતા. મંદિર દ્વારા સ્વચ્છતા જળવાય તે માટે લેવાયેલા નિર્ણયને લઈ વધારે ગંદકી થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. ભક્તોને અગવડ ન પડે તે માટે મંદિર પ્રશાસન તરફથી મશીન મૂકવામાં આવ્યા હતા. પહેલા શ્રીફળ વધેરવાનું મશીન દુધિયા તળાવ પાસે મૂકવામાં આવ્યું હતું પરંતુ હવે આ મશીન માચી ખાતે મૂકવામાં આવ્યું છે. પરંતુ ભક્તો આ મશીનનો ઉપયોગ નથી કરી રહ્યા તેવું લાગી રહ્યું છે.        




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે