પાવાગઢમાં શ્રીફળ વધેરવા પર પ્રતિબંધ હોવા છતાંય ભક્તો વધેરી રહ્યા છે નાળિયેર! રસ્તા પર જોવા મળ્યા શ્રીફળના ઢગલા!


  • Published By :
  • Published Date : 2023-03-22 15:42:06

થોડા સમયથી પ્રસાદને લઈ વિવાદ છેડાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. પહેલા અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદને લઈ વિવાદ ચાલ્યો હતો ત્યારે પાવાગઢ મંદિરમાં છોલેલા શ્રીફળ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. મંદિર પરિસરમાં સફાઈ જળવાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે તેવું ટ્રસ્ટનું કહેવું છે. મંદિરમાં શ્રીફળ વધેરવાની ના પાડતા ભક્તો રસ્તા પર શ્રીફળ વધેરી રહ્યા છે. ત્યારે મંદિરમાં શ્રીફળ વધેરવાની મનાઈ હોવાને કારણે ભક્તો રસ્તા પર શ્રીફળ વધેરી રહ્યા છે. 

Pavagadh

માર્ગ પર જ ભક્તો વધેરી રહ્યા છે શ્રીફળ!

આજથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે. વહેલી સવારથી નવરાત્રી હોવાને કારણે માતાજીના મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું છે.શક્તિપીઠ ખાતે ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે. ત્યારે પાવાગઢમાં પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. ત્યારે 20 માર્ચથી પાવાગઢ મંદિરમાં છોલેલા શ્રીફળ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. મંદિરમાં સફાઈ જળવાઈ રહે તે માટે ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે તેવું ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું. પરંતુ એવા અનેક દ્રશ્યો સામે આવ્યા જેમાં ભક્તો જ્યાં જગ્યા મળે ત્યાં શ્રીફળ વધેરી રહ્યા છે. ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે ભક્તો માર્ગ પર શ્રીફળ વધેરતા નજરે પડ્યા હતા. 






શ્રીફળ વધેરવાના મશીનનો કોઈ નથી કરી રહ્યો ઉપયોગ!

શ્રીફળ વધેરવાના મશીન મૂકવામાં આવ્યા છે પરંતુ તે શોભાના ગાંઠીયા સમાન બની ગયા છે. મશીન સૂમસામ જોવા મળ્યા હતા. અનેક ભક્તોએ માર્ગ પર જ શ્રીફળ વધેરી દીધા હતા. મંદિરમાં મનાઈ હોવાને કારણે મંદિર જવાના માર્ગો પર જ શ્રીફળ વધેરતા દેખાયા હતા. મંદિર દ્વારા સ્વચ્છતા જળવાય તે માટે લેવાયેલા નિર્ણયને લઈ વધારે ગંદકી થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. ભક્તોને અગવડ ન પડે તે માટે મંદિર પ્રશાસન તરફથી મશીન મૂકવામાં આવ્યા હતા. પહેલા શ્રીફળ વધેરવાનું મશીન દુધિયા તળાવ પાસે મૂકવામાં આવ્યું હતું પરંતુ હવે આ મશીન માચી ખાતે મૂકવામાં આવ્યું છે. પરંતુ ભક્તો આ મશીનનો ઉપયોગ નથી કરી રહ્યા તેવું લાગી રહ્યું છે.        




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.