દ્વારિકાનાથના મંદિરમાં ભક્તોએ સોનું-ચાંદી અર્પણ કર્યું


  • Published By :
  • Published Date : 2022-10-23 21:00:36

માગો વીસ અને આપે ત્રીસ... એ દ્વારકાધીશ....

દિપોત્સવનો પર્વ છે ત્યારે લોકો પરિવાર સાથે મળીને ઉત્સવો મનાવી રહ્યા છે. લોકો બહાર ફરવા જઈ રહ્યા છે અમુક લોકો ધાર્મિક સ્થળો પર જઈ રહ્યા છે. આ દિપોત્સવમાં બે ધનતેરસ હતી. આ મુહૂર્ત સોનું ખરીદવા માટે શુભ ગણવામાં આવતું હોય છે માટે લોકો વાર્ષિક જમાપૂંજીમાંથી સોનું ખરીદતા હોય છે ત્યારે દ્વારકાના જગતમંદિરમાં ભક્તોએ સોના-ચાંદીનું દાન કર્યું હતું. 


111 ગ્રામ સોનું, 1 કિલો 100 ગ્રામ ચાંદી દ્વારિકાધિશને અર્પણ 

યાત્રાધામ દ્વારકાના જગત મંદિરમાં આજના દિવસે સોના અને ચાંદીનું દાન કરવામાં આવ્યું હતું. ધનતેરસના પવિત્ર પર્વ પર દ્રારકાના જગતમંદિરમાં ભક્તોએ સોના ચાંદીનું દાન કર્યું હતું. આજે 111 ગ્રામ સોનું અને 1 કિલો 100 ગ્રામ ચાંદી દાન કરવામાં આવ્યું હતું. ભક્તોએ ભગવાનને સોનાના 111 ગ્રામ કુંડળ અને 1 કિલો 100 ગ્રામ ચાંદીનો થાળ અર્પણ કર્યો હતો. દ્રારકામાં જગતના નાથ દ્વારિકાધિશનું મંદિર છે, લોકોની દ્વારિકાધિશમાં અપાર શ્રદ્ધા છે ત્યારે આજે ભક્તો દ્વારિકાના નાથને દાન અર્પણ કર્યું હતું. 




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"