દ્વારિકાનાથના મંદિરમાં ભક્તોએ સોનું-ચાંદી અર્પણ કર્યું


  • Published By :
  • Published Date : 2022-10-23 21:00:36

માગો વીસ અને આપે ત્રીસ... એ દ્વારકાધીશ....

દિપોત્સવનો પર્વ છે ત્યારે લોકો પરિવાર સાથે મળીને ઉત્સવો મનાવી રહ્યા છે. લોકો બહાર ફરવા જઈ રહ્યા છે અમુક લોકો ધાર્મિક સ્થળો પર જઈ રહ્યા છે. આ દિપોત્સવમાં બે ધનતેરસ હતી. આ મુહૂર્ત સોનું ખરીદવા માટે શુભ ગણવામાં આવતું હોય છે માટે લોકો વાર્ષિક જમાપૂંજીમાંથી સોનું ખરીદતા હોય છે ત્યારે દ્વારકાના જગતમંદિરમાં ભક્તોએ સોના-ચાંદીનું દાન કર્યું હતું. 


111 ગ્રામ સોનું, 1 કિલો 100 ગ્રામ ચાંદી દ્વારિકાધિશને અર્પણ 

યાત્રાધામ દ્વારકાના જગત મંદિરમાં આજના દિવસે સોના અને ચાંદીનું દાન કરવામાં આવ્યું હતું. ધનતેરસના પવિત્ર પર્વ પર દ્રારકાના જગતમંદિરમાં ભક્તોએ સોના ચાંદીનું દાન કર્યું હતું. આજે 111 ગ્રામ સોનું અને 1 કિલો 100 ગ્રામ ચાંદી દાન કરવામાં આવ્યું હતું. ભક્તોએ ભગવાનને સોનાના 111 ગ્રામ કુંડળ અને 1 કિલો 100 ગ્રામ ચાંદીનો થાળ અર્પણ કર્યો હતો. દ્રારકામાં જગતના નાથ દ્વારિકાધિશનું મંદિર છે, લોકોની દ્વારિકાધિશમાં અપાર શ્રદ્ધા છે ત્યારે આજે ભક્તો દ્વારિકાના નાથને દાન અર્પણ કર્યું હતું. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.