દ્વારિકાનાથના મંદિરમાં ભક્તોએ સોનું-ચાંદી અર્પણ કર્યું


  • Published By :
  • Published Date : 2022-10-23 21:00:36

માગો વીસ અને આપે ત્રીસ... એ દ્વારકાધીશ....

દિપોત્સવનો પર્વ છે ત્યારે લોકો પરિવાર સાથે મળીને ઉત્સવો મનાવી રહ્યા છે. લોકો બહાર ફરવા જઈ રહ્યા છે અમુક લોકો ધાર્મિક સ્થળો પર જઈ રહ્યા છે. આ દિપોત્સવમાં બે ધનતેરસ હતી. આ મુહૂર્ત સોનું ખરીદવા માટે શુભ ગણવામાં આવતું હોય છે માટે લોકો વાર્ષિક જમાપૂંજીમાંથી સોનું ખરીદતા હોય છે ત્યારે દ્વારકાના જગતમંદિરમાં ભક્તોએ સોના-ચાંદીનું દાન કર્યું હતું. 


111 ગ્રામ સોનું, 1 કિલો 100 ગ્રામ ચાંદી દ્વારિકાધિશને અર્પણ 

યાત્રાધામ દ્વારકાના જગત મંદિરમાં આજના દિવસે સોના અને ચાંદીનું દાન કરવામાં આવ્યું હતું. ધનતેરસના પવિત્ર પર્વ પર દ્રારકાના જગતમંદિરમાં ભક્તોએ સોના ચાંદીનું દાન કર્યું હતું. આજે 111 ગ્રામ સોનું અને 1 કિલો 100 ગ્રામ ચાંદી દાન કરવામાં આવ્યું હતું. ભક્તોએ ભગવાનને સોનાના 111 ગ્રામ કુંડળ અને 1 કિલો 100 ગ્રામ ચાંદીનો થાળ અર્પણ કર્યો હતો. દ્રારકામાં જગતના નાથ દ્વારિકાધિશનું મંદિર છે, લોકોની દ્વારિકાધિશમાં અપાર શ્રદ્ધા છે ત્યારે આજે ભક્તો દ્વારિકાના નાથને દાન અર્પણ કર્યું હતું. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.