લોકકલાકાર દેવાયત ખવડે સરદાર પટેલ અંગેની કોમેન્ટને લઈ ફરી માંફી માગી, પ્રાયશ્ચિત માટે કરી આ મોટી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-11-01 16:35:23

જાણીતા લોકકલાકાર દેવાયત ખવડ ફરી ચર્ચામાં છે, તેમણે સરદાર પટેલ પર કરેલી કોમેન્ટ મુદ્દે પાટીદાર સમાજની માફી માગી છે. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગામમાં સરદાર પટેલને સમર્પિત એક કાર્યક્રમમાં હાજર રહેલા દેવાયત ખવડે જાહેરમાં માફી હતી તે સાથે જ તેમણે  સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે ફ્રીમાં લોક ડાયરો કરવાની પણ જાહેરાત કરી હતી. ઉલ્લેખનિય છે કે ચમારડી ગામના " સરદાર પ્રેમી " ઉદ્યોગપતિ ગોપાલ વસ્તરપરા દ્વારા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 148મી જન્મ જયંતિની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. ચમારડી ગામ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં વલ્લભ નામ ધરાવતા 148 વ્યક્તિઓને વિશિષ્ટ રીતે સન્માનિત કરી સરદારને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ચમારડી ખાતે આયોજિત કાર્યક્રમમાં લોક સાહિત્યકાર દેવાયત ખવડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ સાંસદ કાછડીયા, ધારાસભ્ય જનક તળાવીયા, જીલ્લા પંચાયતના પ્રમુખ સહિતના મહાનુભાવો અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.


દેવાયત ખવડે શું કહ્યું?


ગુજરાતી લોક સાહિત્યકાર દેવાયત ખવડે સરદાર પટેલ જ્યંતીના કાર્યક્રમમાં જાહેરમાં માફી માંગી હતી. આ કાર્યક્રમમાં માફી માગતા જણાવ્યુ કે, મેં ભૂલ જાહેરમાં કરી હતી તેથી માફી પણ જાહેરમાં જ માંગવી પડે. મને મારી ભૂલનું પ્રાયશ્ચિત કરવું છે. લોકસાહિત્યકાર દેવાયત ખવડે કહ્યું કે, આજથી વર્ષો પહેલા મે કરેલી ભૂલ..વાલ્મીકિએ કરેલ ભૂલનું પ્રાયશ્ચિત કર્યું તો વાલિયા લૂંટારામાંથી વાલ્મીકિ બની ગયા. મને એમ લાગ્યું કે, ક્યાંક મારી ભૂલ હશે. મારે ભૂલને સ્વીકારવી પડે. જેમને દેશ માટે બલિદાન આપ્યું અને હું દરેક સમાજ માટે હિન્દુત્વની વાત કરતો હોય તો મારી ભૂલનું પ્રાયશ્ચિત મારે કરવું પડે. પાટીદાર નવરાત્રીમાં મારા મિત્રોએ મને આમંત્રિત આપ્યું અને મને કીધું ખાલી વિડીયો બનાવો... પણ મે કીધું એમ વિડીયો નહીં, ભૂલ જાહેરમાં કરી છે તો ખવડ એની માફી જાહેરમાં માંગે. અમરેલીના ચમારડીમાં સરદાર જ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી. ચમારડીના કાર્યક્રમમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડને હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં દેવાયત ખવડે સ્ટેજ પર જાહેરમાં માફી માંગી હતી. ઉપરાંત દેવાયત ખવડે જાહેરાત કરી કે, હું ગુજરાત અને દુનિયાના દરેક ખૂણે જીવનભર સરદાર પટેલ જ્યંતી નિમિતે પૈસા લીધા વિના ડાયરા કરીશ.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી