Air Vistaraને DGCAએ ફટકાર્યો ફટકાર્યો રૂ.70 લાખનો દંડ, આ છે કારણ


  • Published By :
  • Published Date : 2023-02-06 18:33:14

એર વિસ્તારા એરલાઈન્સ પર DGCAએ 70 લાખનો દંડ ફટકાર્યો છે. એર વિસ્તારા પર આ દંડ દેશના પૂર્વોત્તર વિસ્તારમાં ઓછી સેવાવાળા વિસ્તાર માટે અનિવાર્ય ઉડાનોની લઘુત્તમ સંખ્યાનું સંચાલન નહીં કરવા માટે લગાવવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે એર વિસ્તારા પર આ દંડ ગત વર્ષે ઓક્ટોબરમાં નિયમની અવગણના કરવાને લઈ લગાવવામાં આવ્યો છે. એર વિસ્તારાએ દંડ ચૂકવી પણ દીધો છે. 


મીડિયા રિપોર્ટ મુજબ એપ્રિલ 2022 માટે વિસ્તારાની ઉપલબ્ધ સીટ કિલોમીટર(એએસકેએમ) 0.99 ટકા જણાઈ જે પૂર્વોત્તર માર્ગો પર અનિવાર્ય 1 ટકાથી ઓછી હતી. જેના કારણે આ દંડ ફટકારવામાં આવ્યો હતો.


DGCAનો આ નિયમ શું છે?


એરલાઈન કંપનીઓને દરેક રાજ્યોમાં લઘુત્તમ ઉડાનો અંગે જણાવવામાં આવ્યું છે. એર વિસ્તારએ DGCAના આ નિયમની અવગણના કરી છે. એર વિસ્તારાને પૂર્વોત્ત્ર ક્ષેત્રમાં જેટલી લઘુત્તમ ઉડાનો સંચાલિત  કરવાની હતી તેનાથી ઓછી કરી હતી. DGCAએ આ મુદ્દે ખુબ જ કડક વલણ ધરાવે છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.