Air Vistaraને DGCAએ ફટકાર્યો ફટકાર્યો રૂ.70 લાખનો દંડ, આ છે કારણ


  • Published By :
  • Published Date : 2023-02-06 18:33:14

એર વિસ્તારા એરલાઈન્સ પર DGCAએ 70 લાખનો દંડ ફટકાર્યો છે. એર વિસ્તારા પર આ દંડ દેશના પૂર્વોત્તર વિસ્તારમાં ઓછી સેવાવાળા વિસ્તાર માટે અનિવાર્ય ઉડાનોની લઘુત્તમ સંખ્યાનું સંચાલન નહીં કરવા માટે લગાવવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે એર વિસ્તારા પર આ દંડ ગત વર્ષે ઓક્ટોબરમાં નિયમની અવગણના કરવાને લઈ લગાવવામાં આવ્યો છે. એર વિસ્તારાએ દંડ ચૂકવી પણ દીધો છે. 


મીડિયા રિપોર્ટ મુજબ એપ્રિલ 2022 માટે વિસ્તારાની ઉપલબ્ધ સીટ કિલોમીટર(એએસકેએમ) 0.99 ટકા જણાઈ જે પૂર્વોત્તર માર્ગો પર અનિવાર્ય 1 ટકાથી ઓછી હતી. જેના કારણે આ દંડ ફટકારવામાં આવ્યો હતો.


DGCAનો આ નિયમ શું છે?


એરલાઈન કંપનીઓને દરેક રાજ્યોમાં લઘુત્તમ ઉડાનો અંગે જણાવવામાં આવ્યું છે. એર વિસ્તારએ DGCAના આ નિયમની અવગણના કરી છે. એર વિસ્તારાને પૂર્વોત્ત્ર ક્ષેત્રમાં જેટલી લઘુત્તમ ઉડાનો સંચાલિત  કરવાની હતી તેનાથી ઓછી કરી હતી. DGCAએ આ મુદ્દે ખુબ જ કડક વલણ ધરાવે છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.