ગુજરાતમાં આ જગ્યાઓ પર યોજાશે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, સુરતમાં બાબાને ભેટ આપવા તૈયાર કરાઈ ગદા! જાણો શું છે સમગ્ર કાર્યક્રમ?


  • Published By :
  • Published Date : 2023-05-23 16:04:48

ગુજરાતના અનેક શહેરોમાં બાબા બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે. ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. દિવ્ય દરબારને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. અમદાવાદ, રાજકોટ તેમજ સુરત ખાતે દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં દિવ્ય દરબાર 26 અને 27 મેના આયોજીત કરવામાં આવ્યો છે. 25 મેના રોજ અમદાવાદ ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રી શિવ કથામાં ભાગ લેવા આવવાના છે. જે બાદ તેમનો દિવ્ય દરબાર યોજાવાનો છે. અમદાવાદમાં 29 અને 30 મેના રોજ ચાણક્યપુરી ખાતે દિવ્ય દરબાર યોજાવાનો છે. રાજકોટમાં પણ તેમના દિવ્ય દરબારને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજકોટ ખાતે પહેલી જૂન અને બે જૂનના રોજ દિવ્ય દરબાર યોજાવાનો છે.

Dhirendra Shastri : ભાજપના નેતાઓ સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર  રોડ શોના આયોજનમાં લાગ્યા, bageshwar dham peethadhish dhirendra shastri  visit surat divya darbar road show

ગુજરાતમાં લાગશે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર!

દેશમાં છેલ્લા ઘણા સમયથી બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી અંગે ચર્ચાઓ ચાલી રહી હતી. અનેક વખત બાબા વિવાદોમાં પણ આવ્યા છે. દેશના વિવિધ રાજ્યોમાં તેમનો દિવ્ય દરબાર આયોજીત થઈ ચૂક્યો છે. ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ગુજરાતમાં યોજાવાનો છે. ગુજરાતના અનેક શહેરોમાં બાબાનો દિવ્ય દરબાર યોજાવાનો છે. અમદાવાદ, સુરત અને રાજકોટ ખાતે દિવ્ય દરબાર થવાનો છે. 


ધીરેન્દ્ર શાસ્ત્રીને આપવા ગદા કરાઈ તૈયાર!

સુરત ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર 26 અને 27મેના રોજ યોજાવાનો છે જેને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.  ધીરેન્દ્ર શાસ્ત્રીને ચાંદીની ગદા ભેટમાં આપવામાં આવશે. સુરતના લોકો તરફથી તેમને આ ભેટ આપવામાં આવવાની છે. સુરતના ઉદ્યોગપતિ દ્વારા આ ગદા તૈયાર કરાવામાં આવી છે. સાંકેત ગ્રુપના માલિક દ્વારા આ ગદા તૈયાર કરવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો દરબારમાં ભાગ લેશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 


(બાબાને આપવા માટે તૈયાર કરાઈ ગદા)

અમદાવાદમાં પણ લાગશે બાબાનો દિવ્ય દરબાર!

ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર સુરત બાદ અમદાવાદમાં યોજાવાનો છે. દરબારને લઈ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદમાં 29 મે અને 30 મેના રોજ ચાણક્યપુરી ખાતે દિવ્ય દરબાર યોજાવાનો છે. રાઘવ ફાર્મ ખાતે  દરબાર ભરાવાનો છે. સાંજના પાંચ વાગ્યાથી દિવ્ય દરબાર ભરાશે. અમદાવાદ બાદ રાજકોટમાં પણ બાબાનો દિવ્ય દરબાર ભરાવવાનો છે. પહેલી અને બીજી જૂનના રોજ રાજકોટ ખાતે બાબા પધરામણી કરવાના છે. બાબાના દરબારને લઈ રાજકોટ ખાતે તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. રાજકોટ ખાતે થવાના કાર્યક્રમ દરમિયાન સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે. એક અનુમાન અનુસાર બાબાના દિવ્ય દરબારમાં એક લાખથી વધુ લોકો ઉમટી શકે છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. મહત્વનું છે કે ગુજરાતના પ્રવાસે ધીરેન્દ્ર શાસ્ત્રી આવે તે પહેલા જ તેમને પડકાર ફેંકવામાં આવ્યો હતો. ત્યારે ગુજરાતના પ્રવાસે આવી રહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીને કેવો પ્રતિસાદ મળે છે તે જોવું રહ્યું.      



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.