ગુજરાતમાં આ જગ્યાઓ પર યોજાશે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, સુરતમાં બાબાને ભેટ આપવા તૈયાર કરાઈ ગદા! જાણો શું છે સમગ્ર કાર્યક્રમ?


  • Published By :
  • Published Date : 2023-05-23 16:04:48

ગુજરાતના અનેક શહેરોમાં બાબા બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે. ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. દિવ્ય દરબારને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. અમદાવાદ, રાજકોટ તેમજ સુરત ખાતે દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં દિવ્ય દરબાર 26 અને 27 મેના આયોજીત કરવામાં આવ્યો છે. 25 મેના રોજ અમદાવાદ ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રી શિવ કથામાં ભાગ લેવા આવવાના છે. જે બાદ તેમનો દિવ્ય દરબાર યોજાવાનો છે. અમદાવાદમાં 29 અને 30 મેના રોજ ચાણક્યપુરી ખાતે દિવ્ય દરબાર યોજાવાનો છે. રાજકોટમાં પણ તેમના દિવ્ય દરબારને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજકોટ ખાતે પહેલી જૂન અને બે જૂનના રોજ દિવ્ય દરબાર યોજાવાનો છે.

Dhirendra Shastri : ભાજપના નેતાઓ સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર  રોડ શોના આયોજનમાં લાગ્યા, bageshwar dham peethadhish dhirendra shastri  visit surat divya darbar road show

ગુજરાતમાં લાગશે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર!

દેશમાં છેલ્લા ઘણા સમયથી બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી અંગે ચર્ચાઓ ચાલી રહી હતી. અનેક વખત બાબા વિવાદોમાં પણ આવ્યા છે. દેશના વિવિધ રાજ્યોમાં તેમનો દિવ્ય દરબાર આયોજીત થઈ ચૂક્યો છે. ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ગુજરાતમાં યોજાવાનો છે. ગુજરાતના અનેક શહેરોમાં બાબાનો દિવ્ય દરબાર યોજાવાનો છે. અમદાવાદ, સુરત અને રાજકોટ ખાતે દિવ્ય દરબાર થવાનો છે. 


ધીરેન્દ્ર શાસ્ત્રીને આપવા ગદા કરાઈ તૈયાર!

સુરત ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર 26 અને 27મેના રોજ યોજાવાનો છે જેને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.  ધીરેન્દ્ર શાસ્ત્રીને ચાંદીની ગદા ભેટમાં આપવામાં આવશે. સુરતના લોકો તરફથી તેમને આ ભેટ આપવામાં આવવાની છે. સુરતના ઉદ્યોગપતિ દ્વારા આ ગદા તૈયાર કરાવામાં આવી છે. સાંકેત ગ્રુપના માલિક દ્વારા આ ગદા તૈયાર કરવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો દરબારમાં ભાગ લેશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 


(બાબાને આપવા માટે તૈયાર કરાઈ ગદા)

અમદાવાદમાં પણ લાગશે બાબાનો દિવ્ય દરબાર!

ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર સુરત બાદ અમદાવાદમાં યોજાવાનો છે. દરબારને લઈ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદમાં 29 મે અને 30 મેના રોજ ચાણક્યપુરી ખાતે દિવ્ય દરબાર યોજાવાનો છે. રાઘવ ફાર્મ ખાતે  દરબાર ભરાવાનો છે. સાંજના પાંચ વાગ્યાથી દિવ્ય દરબાર ભરાશે. અમદાવાદ બાદ રાજકોટમાં પણ બાબાનો દિવ્ય દરબાર ભરાવવાનો છે. પહેલી અને બીજી જૂનના રોજ રાજકોટ ખાતે બાબા પધરામણી કરવાના છે. બાબાના દરબારને લઈ રાજકોટ ખાતે તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. રાજકોટ ખાતે થવાના કાર્યક્રમ દરમિયાન સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે. એક અનુમાન અનુસાર બાબાના દિવ્ય દરબારમાં એક લાખથી વધુ લોકો ઉમટી શકે છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. મહત્વનું છે કે ગુજરાતના પ્રવાસે ધીરેન્દ્ર શાસ્ત્રી આવે તે પહેલા જ તેમને પડકાર ફેંકવામાં આવ્યો હતો. ત્યારે ગુજરાતના પ્રવાસે આવી રહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીને કેવો પ્રતિસાદ મળે છે તે જોવું રહ્યું.      



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.