આજે અમદાવાદમાં યોજાશે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર! ઓગણજ ખાતે નહીં પરંતુ આ જગ્યા પર લાગશે દિવ્ય દરબાર!


  • Published By :
  • Published Date : 2023-05-30 09:27:21

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ ગુજરાતના પ્રવાસે છે. ગુજરાતના અનેક શહેરોમાં તેમનો દિવ્ય દરબાર યોજાવાનો છે. સુરત ખાતે દિવ્ય દરબારનું આયોજન થયું હતું. જે બાદ અમદાવાદમાં તેમનો દિવ્ય દરબાર 29મે અને 30મેના રોજ યોજાવાનો હતો. પરંતુ રવિવારે વરસેલા વરસાદને કારણે અમદાવાદના ઓગણજ ખાતે જે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તે રદ્દ કરાયો હતો. એવું લાગતું હતું કે અમદાવાદ ખાતે બાબાનો દિવ્ય દરબાર નહીં યોજાય. એવા પણ સમાચાર સામે આવ્યા હતા કે ગાંધીનગર ખાતે તેમનો દિવ્ય દરબાર ભરાઈ શકે છે. પરંતુ આતુરતાનો અને અટકળોનો અંત આવ્યો છે. અમદાવાદના વટવા ખાતે બાબાનો દિવ્ય દરબાર આજે યોજાવાનો છે.મળતી માહિતી અનુસાર 30મેના રોજ સાંજે 5થી 7 વાગ્યાના સમયગાળા દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ભરાવાનો છે. 


વરસાદને કારણે રદ્દ કરાયો હતો બાબાનો દિવ્ય દરબાર!

સુરત ખાતે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે 29 અને 30મેના રોજ અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાવાનો હતો પરંતુ 29મેના રોજ દિવ્ય દરબારના કાર્યક્રમને રદ્દ કરવામાં આવ્યો હતો. ઓગણજ ખાતે દિવ્ય દરબાર યોજાવાનો હતો પરંતુ રવિવારે પડેલા વરસાદને કારણે ગ્રાઉન્ડ પર પાણી ભરાઈ ગયા હતા. જેને કારણે કાર્યક્રમને કેન્સલ કરવામાં આવ્યો હતો. દરબાર રદ્દ થતાં ભક્તોમાં નિરાશા વ્યાપી ઉઠી હતી. એવું લાગતું હતું કે અમદાવાદ ખાતે તેમનો દિવ્ય દરબાર નહીં યોજાય પરંતુ વટવા ખાતે તેમનો દિવ્ય દરબાર યોજાવાનો છે. 


વટવાના શ્રીરામ મેદાન ખાતે ભરાશે દિવ્ય દરબાર!

ઓગણજ પહેલા ચાણક્યપુરી ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ પોલીસે પરમિશન આપી ન હતી. જેને લઈ કાર્યક્રમનું સ્થળ બદલી ઓગણજ કરવામાં આવ્યું હતું. પરંતુ ઓગણજ ખાતે પણ દિવ્ય દરબારનું આયોજન નથી થવાનું અને વટવા ખાતે દિવ્ય દરબાર ભરાવાનો છે. વટવાના શ્રીરામ મેદાન ખાતે આનું આયોજન કરવામાં આવ્યું છે. 


મોર સાથે નૃત્ય કરતા બાબાનો વીડિયો વાયરલ!

અમદાવાદમાં દિવ્ય દરબાર યોજાય તે પહેલા બાબાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બાબા મોર સાથે નૃત્ય કરતા દેખાય છે. જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં મોર પણ કળા કરતો દેખાય છે જ્યારે બાબા પણ હળવા મૂડમાં દેખાઈ રહ્યા છે. મોરની સાથે ઢેલ પણ દેખાય છે. આ વીડિયોને લઈ લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યારે આ વીડિયો વિશે તમારૂ શું માનવું છે? 

   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.