આજે અમદાવાદમાં યોજાશે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર! ઓગણજ ખાતે નહીં પરંતુ આ જગ્યા પર લાગશે દિવ્ય દરબાર!


  • Published By :
  • Published Date : 2023-05-30 09:27:21

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ ગુજરાતના પ્રવાસે છે. ગુજરાતના અનેક શહેરોમાં તેમનો દિવ્ય દરબાર યોજાવાનો છે. સુરત ખાતે દિવ્ય દરબારનું આયોજન થયું હતું. જે બાદ અમદાવાદમાં તેમનો દિવ્ય દરબાર 29મે અને 30મેના રોજ યોજાવાનો હતો. પરંતુ રવિવારે વરસેલા વરસાદને કારણે અમદાવાદના ઓગણજ ખાતે જે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તે રદ્દ કરાયો હતો. એવું લાગતું હતું કે અમદાવાદ ખાતે બાબાનો દિવ્ય દરબાર નહીં યોજાય. એવા પણ સમાચાર સામે આવ્યા હતા કે ગાંધીનગર ખાતે તેમનો દિવ્ય દરબાર ભરાઈ શકે છે. પરંતુ આતુરતાનો અને અટકળોનો અંત આવ્યો છે. અમદાવાદના વટવા ખાતે બાબાનો દિવ્ય દરબાર આજે યોજાવાનો છે.મળતી માહિતી અનુસાર 30મેના રોજ સાંજે 5થી 7 વાગ્યાના સમયગાળા દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ભરાવાનો છે. 


વરસાદને કારણે રદ્દ કરાયો હતો બાબાનો દિવ્ય દરબાર!

સુરત ખાતે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે 29 અને 30મેના રોજ અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાવાનો હતો પરંતુ 29મેના રોજ દિવ્ય દરબારના કાર્યક્રમને રદ્દ કરવામાં આવ્યો હતો. ઓગણજ ખાતે દિવ્ય દરબાર યોજાવાનો હતો પરંતુ રવિવારે પડેલા વરસાદને કારણે ગ્રાઉન્ડ પર પાણી ભરાઈ ગયા હતા. જેને કારણે કાર્યક્રમને કેન્સલ કરવામાં આવ્યો હતો. દરબાર રદ્દ થતાં ભક્તોમાં નિરાશા વ્યાપી ઉઠી હતી. એવું લાગતું હતું કે અમદાવાદ ખાતે તેમનો દિવ્ય દરબાર નહીં યોજાય પરંતુ વટવા ખાતે તેમનો દિવ્ય દરબાર યોજાવાનો છે. 


વટવાના શ્રીરામ મેદાન ખાતે ભરાશે દિવ્ય દરબાર!

ઓગણજ પહેલા ચાણક્યપુરી ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ પોલીસે પરમિશન આપી ન હતી. જેને લઈ કાર્યક્રમનું સ્થળ બદલી ઓગણજ કરવામાં આવ્યું હતું. પરંતુ ઓગણજ ખાતે પણ દિવ્ય દરબારનું આયોજન નથી થવાનું અને વટવા ખાતે દિવ્ય દરબાર ભરાવાનો છે. વટવાના શ્રીરામ મેદાન ખાતે આનું આયોજન કરવામાં આવ્યું છે. 


મોર સાથે નૃત્ય કરતા બાબાનો વીડિયો વાયરલ!

અમદાવાદમાં દિવ્ય દરબાર યોજાય તે પહેલા બાબાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બાબા મોર સાથે નૃત્ય કરતા દેખાય છે. જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં મોર પણ કળા કરતો દેખાય છે જ્યારે બાબા પણ હળવા મૂડમાં દેખાઈ રહ્યા છે. મોરની સાથે ઢેલ પણ દેખાય છે. આ વીડિયોને લઈ લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યારે આ વીડિયો વિશે તમારૂ શું માનવું છે? 

   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.