અમદાવાદમાં નહીં યોજાય ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર! દરબાર ન યોજાવાનું આ છે કારણ?


  • Published By :
  • Published Date : 2023-05-29 12:40:24

ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ ગુજરાતના પ્રવાસે છે. રાજ્યના અનેક શહેરોમાં બાબાનો દિવ્ય દરબાર યોજાવાનો છે. સુરત ખાતે દિવ્ય દરબાર યોજાયો હતો જ્યારે આજે અમદાવાદ ખાતે તેમનો દરબાર યોજાવાનો હતો. પરંતુ ગઈકાલે પડેલા વરસાદને કારણે બાબાનો દિવ્ય દરબાર રદ્દ થયો છે. ઓગણજ ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો હતો પરંતુ ગઈકાલે પડેલા વરસાદને કારણે આ કાર્યક્રમ રદ્ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે આજે અને આવતી કાલે અમદાવાદમાં તેમનો દિવ્ય દરબાર યોજાવાના હતા.  


29 અને 30મેના રોજ અમદાવાદમાં યોજાવાનો હતો દરબાર! 

બાગેશ્વરધામના શાસ્ત્રી ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાના નિવેદનને લઈ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. બાબા હાલ ગુજરાતના પ્રવાસે છે. અનેક શહેરોમાં તેમના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ પહેલા સુરત ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાયો હતો. ત્યારે આજે અને આવતી કાલે અમદાવાદમાં તેમનો દિવ્ય દરબાર થવાનો હતો પરંતુ વરસાદને કારણે આ કાર્યક્રમ રદ્દ થયો છે. ત્યારે મહત્વનું છે કે અમદાવાદ બાદ રાજકોટમાં પણ દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. પહેલી અને બીજી જૂનના રોજ દરબારનું આયોજન કરવામાં આવ્યું છે.  


દિવ્ય દરબારની જગ્યા પણ બદલવામાં આવી! 

વરસાદને ધ્યાનમાં રાખી દરબારની જગ્યા બદલવામાં આવી હતી. પહેલા ચાણક્યપુરી ખાતે દરબાર યોજાવાનો હતો પરંતુ વરસાદને કારણે જગ્યા બદલવામાં આવી હતી. ઓગણજ ખાતે દરબાર યોજાવાનો હતો પરંતુ ત્યાં પણ હવે દરબાર નહીં યોજાય.વરસાદને કારણે દિવ્ય દરબાર રદ્દ થયો છે. જે જગ્યાએ દરબાર ભરાવાનો હતો તે જગ્યા પર પાણીના ખાબોચિયાં ભરાઈ ગયા હતા. ગઈકાલે ધીરેન્દ્ર શાસ્ત્રી શક્તિપીઠ અંબાજીના દર્શને ગયા હતા. ત્યારે બાબાના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.