અમદાવાદમાં નહીં યોજાય ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર! દરબાર ન યોજાવાનું આ છે કારણ?


  • Published By :
  • Published Date : 2023-05-29 12:40:24

ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ ગુજરાતના પ્રવાસે છે. રાજ્યના અનેક શહેરોમાં બાબાનો દિવ્ય દરબાર યોજાવાનો છે. સુરત ખાતે દિવ્ય દરબાર યોજાયો હતો જ્યારે આજે અમદાવાદ ખાતે તેમનો દરબાર યોજાવાનો હતો. પરંતુ ગઈકાલે પડેલા વરસાદને કારણે બાબાનો દિવ્ય દરબાર રદ્દ થયો છે. ઓગણજ ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો હતો પરંતુ ગઈકાલે પડેલા વરસાદને કારણે આ કાર્યક્રમ રદ્ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે આજે અને આવતી કાલે અમદાવાદમાં તેમનો દિવ્ય દરબાર યોજાવાના હતા.  


29 અને 30મેના રોજ અમદાવાદમાં યોજાવાનો હતો દરબાર! 

બાગેશ્વરધામના શાસ્ત્રી ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાના નિવેદનને લઈ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. બાબા હાલ ગુજરાતના પ્રવાસે છે. અનેક શહેરોમાં તેમના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ પહેલા સુરત ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાયો હતો. ત્યારે આજે અને આવતી કાલે અમદાવાદમાં તેમનો દિવ્ય દરબાર થવાનો હતો પરંતુ વરસાદને કારણે આ કાર્યક્રમ રદ્દ થયો છે. ત્યારે મહત્વનું છે કે અમદાવાદ બાદ રાજકોટમાં પણ દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. પહેલી અને બીજી જૂનના રોજ દરબારનું આયોજન કરવામાં આવ્યું છે.  


દિવ્ય દરબારની જગ્યા પણ બદલવામાં આવી! 

વરસાદને ધ્યાનમાં રાખી દરબારની જગ્યા બદલવામાં આવી હતી. પહેલા ચાણક્યપુરી ખાતે દરબાર યોજાવાનો હતો પરંતુ વરસાદને કારણે જગ્યા બદલવામાં આવી હતી. ઓગણજ ખાતે દરબાર યોજાવાનો હતો પરંતુ ત્યાં પણ હવે દરબાર નહીં યોજાય.વરસાદને કારણે દિવ્ય દરબાર રદ્દ થયો છે. જે જગ્યાએ દરબાર ભરાવાનો હતો તે જગ્યા પર પાણીના ખાબોચિયાં ભરાઈ ગયા હતા. ગઈકાલે ધીરેન્દ્ર શાસ્ત્રી શક્તિપીઠ અંબાજીના દર્શને ગયા હતા. ત્યારે બાબાના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.  



થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?