ધીરેન્દ્ર શાસ્ત્રી આ પાર્ટી સાથે જોડાવા માગે છે? સુરતમાં દિવ્ય દરબાર પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ આપ્યો જવાબ!


  • Published By :
  • Published Date : 2023-05-26 17:19:03

બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ ગુજરાતના પ્રવાસે છે. ગુજરાતના અનેક શહેરોમાં તેમનો દિવ્ય દરબાર યોજાવાનો છે. પોતાના નિવેદનને કારણે ધીરેન્દ્ર શાસ્ત્રી ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે સુરતમાં દિવ્ય દરબાર પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ મીડિયા સાથે વાતચીત કરી હતી. મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે મારૂં એક જ લક્ષ્ય સનાતન ધર્મ છે, સૌને કર્મથી હિન્દુ બનાવવા માગું છું. હું કોઈ પણ રાજકીય પાર્ટીનો નથી, બધી રાજકીય પાર્ટીના નેતાઓ મારા શિષ્ય છે. મને એક જ પાર્ટીથી જોડવામાં આવે અને એ છે બજરંગબલી. 


બધી રાજકીય પાર્ટીના નેતા મારા શિષ્ય છે - ધીરેન્દ્ર શાસ્ત્રી

ગુજરાતના વિવિધ શહેરોમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે. આજે સુરત ખાતે તેમનો દિવ્ય દરબાર થવાનો છે ત્યારે દરબાર પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે મારૂં એક જ લક્ષ્ય સનાતન ધર્મ છે, સૌને કર્મથી હિન્દુ બનાવવા માગું છું. હું કોઈ પણ રાજકીય પાર્ટીનો નથી, બધી રાજકીય પાર્ટીના નેતાઓ મારા શિષ્ય છે. મને એક જ પાર્ટીથી જોડવામાં આવે અને એ છે બજરંગબલી. 


સિક્યોરિટી અંગે બાબાએ આપ્યો જવાબ!   

મીડિયા સાથેની વાતચીત દરમિયાન ધર્મ પરિવર્તન મુદ્દે પણ તેમણે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આગામી દિવસોમાં હું આ વિષયને જાણીને આદિવાસી વિસ્તારમાં કથા કરવાનું ચોક્કસપણે આયોજન કરીશ. હું જંગલોમાં આદિવાસી વિસ્તારોમાં કથા કરી રહ્યો છું. આપણે માત્ર મોબાઈલ અને ટીવી સુધી સિમિત છીએ, આપણે સનાતન સંસ્કૃતિનો પ્રચાર હવે દિલો સુધી કરવો પડશે. ષડયંત્રો થઈ રહ્યા છે. સનાતન વિરોધી તાકતો પણ લાગે છે, એટલા માટે મને સિક્યોરિટી આપવામાં આવી રહી છે.    


અમદાવાદ અને રાજકોટમાં યોજાવાનો છે દિવ્ય દરબાર!     

મહત્વનું છે સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના સ્વાગતમાં ભવ્ય રંગોળી કરવામાં આવી હતી. દરબારમાં ભાગ લેવા દૂર દૂરથી લોકો આવ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રીને ભેટ આપવા ખાસ ગદા તૈયાર કરવામાં આવી છે. સાળંગપૂરથી સુરતમાં હનુમાનજીની ગદા આવી છે. સુરત બાદ અમદાવાદ તેમજ રાજકોટમાં પણ તેમનો દિવ્ય દરબાર લાગવાનો છે. તેમના દરબારને લઈ ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે અને લાખોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે તેવું અનુમાન હાલ લગાવામાં આવી રહ્યું છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.