ધીરેન્દ્ર શાસ્ત્રી આ પાર્ટી સાથે જોડાવા માગે છે? સુરતમાં દિવ્ય દરબાર પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ આપ્યો જવાબ!


  • Published By :
  • Published Date : 2023-05-26 17:19:03

બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ ગુજરાતના પ્રવાસે છે. ગુજરાતના અનેક શહેરોમાં તેમનો દિવ્ય દરબાર યોજાવાનો છે. પોતાના નિવેદનને કારણે ધીરેન્દ્ર શાસ્ત્રી ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે સુરતમાં દિવ્ય દરબાર પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ મીડિયા સાથે વાતચીત કરી હતી. મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે મારૂં એક જ લક્ષ્ય સનાતન ધર્મ છે, સૌને કર્મથી હિન્દુ બનાવવા માગું છું. હું કોઈ પણ રાજકીય પાર્ટીનો નથી, બધી રાજકીય પાર્ટીના નેતાઓ મારા શિષ્ય છે. મને એક જ પાર્ટીથી જોડવામાં આવે અને એ છે બજરંગબલી. 


બધી રાજકીય પાર્ટીના નેતા મારા શિષ્ય છે - ધીરેન્દ્ર શાસ્ત્રી

ગુજરાતના વિવિધ શહેરોમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે. આજે સુરત ખાતે તેમનો દિવ્ય દરબાર થવાનો છે ત્યારે દરબાર પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે મારૂં એક જ લક્ષ્ય સનાતન ધર્મ છે, સૌને કર્મથી હિન્દુ બનાવવા માગું છું. હું કોઈ પણ રાજકીય પાર્ટીનો નથી, બધી રાજકીય પાર્ટીના નેતાઓ મારા શિષ્ય છે. મને એક જ પાર્ટીથી જોડવામાં આવે અને એ છે બજરંગબલી. 


સિક્યોરિટી અંગે બાબાએ આપ્યો જવાબ!   

મીડિયા સાથેની વાતચીત દરમિયાન ધર્મ પરિવર્તન મુદ્દે પણ તેમણે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આગામી દિવસોમાં હું આ વિષયને જાણીને આદિવાસી વિસ્તારમાં કથા કરવાનું ચોક્કસપણે આયોજન કરીશ. હું જંગલોમાં આદિવાસી વિસ્તારોમાં કથા કરી રહ્યો છું. આપણે માત્ર મોબાઈલ અને ટીવી સુધી સિમિત છીએ, આપણે સનાતન સંસ્કૃતિનો પ્રચાર હવે દિલો સુધી કરવો પડશે. ષડયંત્રો થઈ રહ્યા છે. સનાતન વિરોધી તાકતો પણ લાગે છે, એટલા માટે મને સિક્યોરિટી આપવામાં આવી રહી છે.    


અમદાવાદ અને રાજકોટમાં યોજાવાનો છે દિવ્ય દરબાર!     

મહત્વનું છે સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના સ્વાગતમાં ભવ્ય રંગોળી કરવામાં આવી હતી. દરબારમાં ભાગ લેવા દૂર દૂરથી લોકો આવ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રીને ભેટ આપવા ખાસ ગદા તૈયાર કરવામાં આવી છે. સાળંગપૂરથી સુરતમાં હનુમાનજીની ગદા આવી છે. સુરત બાદ અમદાવાદ તેમજ રાજકોટમાં પણ તેમનો દિવ્ય દરબાર લાગવાનો છે. તેમના દરબારને લઈ ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે અને લાખોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે તેવું અનુમાન હાલ લગાવામાં આવી રહ્યું છે.  



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .