લોકસભાની ચૂંટણી માટે પાટીલના 5 લાખ મતોના ટાર્ગેટથી ધોરાજી-ઉપલેટાના MLA ચિંતિત, VIDEO વાયરલ


  • Published By :
  • Published Date : 2024-01-25 21:09:54

દેશમાં યોજાનારી લોકસભાની ચૂંટણીના પડઘમ વાગવાના શરૂ થઈ ગયા છે. તમામ રાજકીય પક્ષો આ ચૂંટણીની તૈયારીમાં લાગી ગય છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે તો લોકસભાની ચૂંટણી માટે પાર્ટીના ધારાસભ્યો, પદાધિકારીઓ અને કાર્યકરોને ટાર્ગેટ પણ આપી દીધું છે. રાજ્યની તમામ 26 લોકસભા સીટો 5 લાખના માર્જિનથી જીતવા માટે તૈયારી કરવાનું  સીઆર પાટીલે કહ્યું છે. જો કે સીઆર પાટીલની આ જાહેરાત ભાજપના કેટલાક ધારાસભ્યો માટે ચિંતાજનક બની છે. ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાએ તો આ અંગે જાહેરમાં ચિંતા વ્યક્ત કરી હતી અને આ અંગે હૈયાવરાળ ઠાલવતો તેમનો વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.


શું કહ્યું મહેન્દ્ર પાડલીયાએ?


ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાએ તાજેતરમાં લોકસભા ચૂંટણી માટે ગોંડલ ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં તેમણે કાર્યકરોને સંબોધ્યા હતા. તેમણે ઉપસ્થિત લોકોને કહ્યું કે 'સી.આર પાટીલે લોકસભા માટે આપેલા 5 લાખની લીડના ટાર્ગેટની વાત કરી રહ્યા છે. તેઓ કહે છે કે, મારે તો થોડુંક અઘરું છે… ધોરાજી ઉપલેટમાં 5 લાખની લીડ કેમ કરવી? પાટીલ સાહેબે કહ્યું 5 લાખની લીડનું ત્યારથી મને ટેન્શન આવી ગયું છે. ધોરાજી-ઉપલેટામાંથી લીડ ના થાય મારાથી, પાટીલ સાહેબે કહ્યું જયેશ રાદડીયા અને જયરાજસિંહને કહેવું પડશે સવા સવા લાખની લીડમાં તમે મદદ કરજો, જયેશભાઇ અને જયરાજસિંહ મદદ કરે તો મારે લીડમાં વાંધો ના આવે.' ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાનો વીડિયો હાલમાં પંથકમાં ખૂબ વાઈરલ થયો છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.