લોકસભાની ચૂંટણી માટે પાટીલના 5 લાખ મતોના ટાર્ગેટથી ધોરાજી-ઉપલેટાના MLA ચિંતિત, VIDEO વાયરલ


  • Published By :
  • Published Date : 2024-01-25 21:09:54

દેશમાં યોજાનારી લોકસભાની ચૂંટણીના પડઘમ વાગવાના શરૂ થઈ ગયા છે. તમામ રાજકીય પક્ષો આ ચૂંટણીની તૈયારીમાં લાગી ગય છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે તો લોકસભાની ચૂંટણી માટે પાર્ટીના ધારાસભ્યો, પદાધિકારીઓ અને કાર્યકરોને ટાર્ગેટ પણ આપી દીધું છે. રાજ્યની તમામ 26 લોકસભા સીટો 5 લાખના માર્જિનથી જીતવા માટે તૈયારી કરવાનું  સીઆર પાટીલે કહ્યું છે. જો કે સીઆર પાટીલની આ જાહેરાત ભાજપના કેટલાક ધારાસભ્યો માટે ચિંતાજનક બની છે. ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાએ તો આ અંગે જાહેરમાં ચિંતા વ્યક્ત કરી હતી અને આ અંગે હૈયાવરાળ ઠાલવતો તેમનો વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.


શું કહ્યું મહેન્દ્ર પાડલીયાએ?


ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાએ તાજેતરમાં લોકસભા ચૂંટણી માટે ગોંડલ ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં તેમણે કાર્યકરોને સંબોધ્યા હતા. તેમણે ઉપસ્થિત લોકોને કહ્યું કે 'સી.આર પાટીલે લોકસભા માટે આપેલા 5 લાખની લીડના ટાર્ગેટની વાત કરી રહ્યા છે. તેઓ કહે છે કે, મારે તો થોડુંક અઘરું છે… ધોરાજી ઉપલેટમાં 5 લાખની લીડ કેમ કરવી? પાટીલ સાહેબે કહ્યું 5 લાખની લીડનું ત્યારથી મને ટેન્શન આવી ગયું છે. ધોરાજી-ઉપલેટામાંથી લીડ ના થાય મારાથી, પાટીલ સાહેબે કહ્યું જયેશ રાદડીયા અને જયરાજસિંહને કહેવું પડશે સવા સવા લાખની લીડમાં તમે મદદ કરજો, જયેશભાઇ અને જયરાજસિંહ મદદ કરે તો મારે લીડમાં વાંધો ના આવે.' ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાનો વીડિયો હાલમાં પંથકમાં ખૂબ વાઈરલ થયો છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.