સફેદ રણ માટે વિખ્યાત કચ્છના ધોરડોનો UNWTOની ઉત્કૃષ્ટ 54 પ્રવાસન ગામોની યાદીમાં થયો સમાવેશ


  • Published By :
  • Published Date : 2023-10-20 13:37:10

સફેદ રણની વાત નિકળે એટલે કચ્છનું ધોરડોનું અફાટ રણ આંખો સમક્ષ તરવરવા લાગે છે. કચ્છના ધોરડો ખાતે દર વર્ષે હજારોની સંખ્યામાં  પ્રવાસીઓ ઉમટી પડે છે. સહેલાણીઓનું આ પ્રિય સ્થળ  વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન (UNWTO) એ તેના ઉત્કૃષ્ટ પ્રવાસન ગામોની 2023ની યાદીમાં સ્થાન પામ્યું છે. વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન (UNWTO)એ તેના 54 શ્રેષ્ઠ પ્રવાસન ગામોની યાદીમાં ધોરડોનો પણ સમાવેશ કર્યો છે. ઉલ્લેખનિય છે કે 2011ની વસ્તી ગણતરી મુજબ ધોરડો ગામની 600 લોકોની છે.


શા માટે ધોરડો બન્યું ઉત્કૃષ્ટ પ્રવાસન ગામ?


વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન (UNWTO)એ તેના ઉત્કૃષ્ટ પ્રવાસન ગામોની 2023ની યાદી જાહેરાત કરતા તેની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે આ સન્માન એવા ગામોને આપવામાં આવે છે જે ગ્રામીણ વિસ્તારોના વિકાસ અને લેન્ડસ્કેપ્સ, સાંસ્કૃતિક વિવિધતા, સ્થાનિક મૂલ્યો અને ખાદ્ય પરંપરાઓના જાળવણીમાં અગ્રેસર છે. વિશ્વ સંસ્થાએ નિવેદનમાં કહ્યું છે કે 2021માં શરૂ કરવામાં આવેલી આ પહેલ UNWTOના ગ્રામીણ વિકાસ પ્રવાસન કાર્યક્રમનો એક ભાગ છે. આ કાર્યક્રમ ગ્રામીણ વિસ્તારોમાં વિકાસ અને સમાવેશને પ્રોત્સાહન આપવા, વસ્તીમાં ઘટાડા સામે લડવા, એડવાન્સ ઈનોવેશનને પ્રોત્સાહન આપવા અને પર્યટન દ્વારા મૂલ્ય સાંકળ એકીકરણ અને ટકાઉ પ્રક્રિયાઓને પ્રોત્સાહિત કરવા માટે કામ કરે છે. મેડ્રિડ સ્થિત સંસ્થાએ જણાવ્યું હતું કે એવોર્ડની ત્રીજી આવૃત્તિમાં લગભગ 260 અરજીઓમાંથી તમામ પ્રદેશોમાંથી 54 ગામોની પસંદગી કરવામાં આવી છે.


ધોરડો રણોત્સવ માટે છે જગવિખ્યાત


કચ્છનો રણ તેના સફેદ મીઠાની રેતી માટે જાણીતું  છે. અને તે વિશ્વનો સૌથી મોટું  મીઠું રણ તરીકે ગણાય છે. કચ્છના રણની મોટા ભાગની વસ્તી હિન્દુઓ, મુસ્લિમો,  અને શીખોનો સમાવેશ થાય છે. કચ્છ ક્ષેત્રનો રણ પારિસિૃથતિક રીતે સમૃદ્ધ વન્ય જીવન જેમ કે ફ્લેમિંગોસ અને જંગલી ગાધેડોનો માટે પ્રાકૃતીક આશ્રય સ્થાન છે. જે ઘણીવાર રણની આસપાસ જોવા મળે છે. રણનો  થોડા વિસ્તાર વન્ય જીવન જેમ કે ભારતીય જંગલી ગાધેડો અભ્યારણ્ય, કચ્છ રણ વન્યજીવન અભયારણ્યનો ભાગ છે.  તે વન્યજીવન ફોટોગ્રાફરો અને પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે. ગુજરાત સરકારે દર વર્ષે નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી દર વર્ષે 'રણોત્સવ'નુ આયોજન કરે છે. જેમા મુલાકાતીઓને સ્થાનિક વાનગીઓ, કલા અને કચ્છની સંસ્કૃતિ અને હોસ્પિટાલિટી પરોસવામા આવે છે. જેને જોવા અને માણવા માટે વિશ્વભરના મુલાકાતીઓને આ સૃથળની મુલાકાત માટે આવે છે. આસપાસના સ્થાનિક લોકો માટે આ જ આવકનો મુખ્ય સ્રોત છે.


આ ગામોને પણ મળ્યું સ્થાન


વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન (UNWTO) એ તેના ઉત્કૃષ્ટ પ્રવાસન ગામોની 2023ની યાદીમાં  ધોરડો સિવાય, જે ગામોને આ યાદીમાં સ્થાન મળ્યું છે તેમાં ચિલીના બેરાંકાસ, જાપાનમાં બેય, સ્પેનમાં કાન્તાવેજા, ઇજિપ્તમાં દશૂર, કોરિયાના રિપબ્લિકમાં ડોંગબીક, લેબનોનનું ડુમા, પોર્ટુગલના એરિકેરાનો સમાવેશ થાય છે. અને કોલંબિયામાં ફિલેન્ડિયાનો સમાવેશ થાય છે.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.