ધ્રાંગધ્રા કોર્ટે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ વિરુદ્ધ ઈસ્યું કર્યું એરેસ્ટ વોરંટ


  • Published By :
  • Published Date : 2023-02-16 10:47:52

ભાજપના વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ વિરૂદ્ધ ધ્રાંગધ્રા કોર્ટે ધરપકડ વોરંટ ઈસ્યુ કર્યું છે. મળતી માહિતી અનુસાર પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ હતી. જેનો કેસ ધ્રાંગધ્રા કોર્ટમાં ચાલી રહ્યો હતો અને આ અંગે કોર્ટે ચૂકાદો આપ્યો છે. કોર્ટની મુદત દરમિયાન હાર્દિક પટેલ ગેરહાજર રહ્યા હતા. કોર્ટે તેમની વિરુદ્ધ ધરપકડ વોરંટ ઈસ્યુ કર્યું છે.   


આંચાર સંહિતા ભંગ બદલ નોંધાઈ હતી ફરિયાદ 

હાર્દિક પેટલ સહિત અનેક લોકોને પાટીદાર અનામત આંદોલનના મુખ્ય સૂત્રધાર માનવામાં આવે છે. પાટીદાર અનામત આંદોલન સમયે ધ્રાંગધ્રાના હરીપર ગામે એક સભા યોજાઈ હતી. યોજાયેલી પાસની સભા દરમિયાન આચાર સંહિતાનો ભંગ થતાં હાર્દિક પટેલ વિરૂદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી. 


શું પોલીસ હાર્દિક પટેલની ધરપકડ કરશે?

પોલીસ મથકમાં ધ્રાંગધ્રા પાસના પ્રમુખ કૌશીક પટેલ અને હાર્દિક પટેલ ઉપર કેસ નોંધાયો હતો. આ કેસ ધ્રાંગ્રધ્રા પ્રિન્સિપલ સિનિયર સિવિલ કોર્ટમાં ચાલતો હતો પરંતુ મુદત દરમિયાન હાર્દિક પટેલ હાજર ન રહ્યા હતા. જે બાદ કોર્ટે હાર્દિક પટેલ વિરુદ્ધ ધરપકડ વોરંટ ઈસ્યું કર્યું છે. ત્યારે જોવાનું એ રહેશે પોલીસ ભાજપના વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલની ધરપકડ કરે છે કે નહીં? 


ધારાસભ્ય વિરૂદ્ધ ચાલી રહ્યા છે અનેક કેસ 

હાર્દિક પટેલ વિરૂદ્ધ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં પણ કેસ ચાલી રહ્યો છે. નિકોલના વર્ષ 2018માં આ કેસ કરવામાં આવ્યો હતો. જાન્યુઆરીમાં કેસની સુનાવણી દરમિયાન ગેરહાજર રહ્યા હતા. જેને લઈ કોર્ટે સમન્સ પાઠવ્યું હતું. તે બાદ ફેબ્રુઆરીની સુનાવણીમાં પણ તેઓ ગેરહાજર હતા. જે બાદ કોર્ટે હાર્દિક પટેલને ટકોર કરી હતી. મળતી માહિતી અનુસાર હાર્દિક પટેલ વિરુદ્ધ 20 કેસ નોંધાયા છે જેમાં બે રાજદ્રોહના કેસનો સમાવેશ થાય છે.   


  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.