ધ્રાંગધ્રા કોર્ટે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ વિરુદ્ધ ઈસ્યું કર્યું એરેસ્ટ વોરંટ


  • Published By :
  • Published Date : 2023-02-16 10:47:52

ભાજપના વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ વિરૂદ્ધ ધ્રાંગધ્રા કોર્ટે ધરપકડ વોરંટ ઈસ્યુ કર્યું છે. મળતી માહિતી અનુસાર પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ હતી. જેનો કેસ ધ્રાંગધ્રા કોર્ટમાં ચાલી રહ્યો હતો અને આ અંગે કોર્ટે ચૂકાદો આપ્યો છે. કોર્ટની મુદત દરમિયાન હાર્દિક પટેલ ગેરહાજર રહ્યા હતા. કોર્ટે તેમની વિરુદ્ધ ધરપકડ વોરંટ ઈસ્યુ કર્યું છે.   


આંચાર સંહિતા ભંગ બદલ નોંધાઈ હતી ફરિયાદ 

હાર્દિક પેટલ સહિત અનેક લોકોને પાટીદાર અનામત આંદોલનના મુખ્ય સૂત્રધાર માનવામાં આવે છે. પાટીદાર અનામત આંદોલન સમયે ધ્રાંગધ્રાના હરીપર ગામે એક સભા યોજાઈ હતી. યોજાયેલી પાસની સભા દરમિયાન આચાર સંહિતાનો ભંગ થતાં હાર્દિક પટેલ વિરૂદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી. 


શું પોલીસ હાર્દિક પટેલની ધરપકડ કરશે?

પોલીસ મથકમાં ધ્રાંગધ્રા પાસના પ્રમુખ કૌશીક પટેલ અને હાર્દિક પટેલ ઉપર કેસ નોંધાયો હતો. આ કેસ ધ્રાંગ્રધ્રા પ્રિન્સિપલ સિનિયર સિવિલ કોર્ટમાં ચાલતો હતો પરંતુ મુદત દરમિયાન હાર્દિક પટેલ હાજર ન રહ્યા હતા. જે બાદ કોર્ટે હાર્દિક પટેલ વિરુદ્ધ ધરપકડ વોરંટ ઈસ્યું કર્યું છે. ત્યારે જોવાનું એ રહેશે પોલીસ ભાજપના વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલની ધરપકડ કરે છે કે નહીં? 


ધારાસભ્ય વિરૂદ્ધ ચાલી રહ્યા છે અનેક કેસ 

હાર્દિક પટેલ વિરૂદ્ધ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં પણ કેસ ચાલી રહ્યો છે. નિકોલના વર્ષ 2018માં આ કેસ કરવામાં આવ્યો હતો. જાન્યુઆરીમાં કેસની સુનાવણી દરમિયાન ગેરહાજર રહ્યા હતા. જેને લઈ કોર્ટે સમન્સ પાઠવ્યું હતું. તે બાદ ફેબ્રુઆરીની સુનાવણીમાં પણ તેઓ ગેરહાજર હતા. જે બાદ કોર્ટે હાર્દિક પટેલને ટકોર કરી હતી. મળતી માહિતી અનુસાર હાર્દિક પટેલ વિરુદ્ધ 20 કેસ નોંધાયા છે જેમાં બે રાજદ્રોહના કેસનો સમાવેશ થાય છે.   


  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.