ધ્રાંગધ્રા કોર્ટે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ વિરુદ્ધ ઈસ્યું કર્યું એરેસ્ટ વોરંટ


  • Published By :
  • Published Date : 2023-02-16 10:47:52

ભાજપના વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ વિરૂદ્ધ ધ્રાંગધ્રા કોર્ટે ધરપકડ વોરંટ ઈસ્યુ કર્યું છે. મળતી માહિતી અનુસાર પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ હતી. જેનો કેસ ધ્રાંગધ્રા કોર્ટમાં ચાલી રહ્યો હતો અને આ અંગે કોર્ટે ચૂકાદો આપ્યો છે. કોર્ટની મુદત દરમિયાન હાર્દિક પટેલ ગેરહાજર રહ્યા હતા. કોર્ટે તેમની વિરુદ્ધ ધરપકડ વોરંટ ઈસ્યુ કર્યું છે.   


આંચાર સંહિતા ભંગ બદલ નોંધાઈ હતી ફરિયાદ 

હાર્દિક પેટલ સહિત અનેક લોકોને પાટીદાર અનામત આંદોલનના મુખ્ય સૂત્રધાર માનવામાં આવે છે. પાટીદાર અનામત આંદોલન સમયે ધ્રાંગધ્રાના હરીપર ગામે એક સભા યોજાઈ હતી. યોજાયેલી પાસની સભા દરમિયાન આચાર સંહિતાનો ભંગ થતાં હાર્દિક પટેલ વિરૂદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી. 


શું પોલીસ હાર્દિક પટેલની ધરપકડ કરશે?

પોલીસ મથકમાં ધ્રાંગધ્રા પાસના પ્રમુખ કૌશીક પટેલ અને હાર્દિક પટેલ ઉપર કેસ નોંધાયો હતો. આ કેસ ધ્રાંગ્રધ્રા પ્રિન્સિપલ સિનિયર સિવિલ કોર્ટમાં ચાલતો હતો પરંતુ મુદત દરમિયાન હાર્દિક પટેલ હાજર ન રહ્યા હતા. જે બાદ કોર્ટે હાર્દિક પટેલ વિરુદ્ધ ધરપકડ વોરંટ ઈસ્યું કર્યું છે. ત્યારે જોવાનું એ રહેશે પોલીસ ભાજપના વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલની ધરપકડ કરે છે કે નહીં? 


ધારાસભ્ય વિરૂદ્ધ ચાલી રહ્યા છે અનેક કેસ 

હાર્દિક પટેલ વિરૂદ્ધ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં પણ કેસ ચાલી રહ્યો છે. નિકોલના વર્ષ 2018માં આ કેસ કરવામાં આવ્યો હતો. જાન્યુઆરીમાં કેસની સુનાવણી દરમિયાન ગેરહાજર રહ્યા હતા. જેને લઈ કોર્ટે સમન્સ પાઠવ્યું હતું. તે બાદ ફેબ્રુઆરીની સુનાવણીમાં પણ તેઓ ગેરહાજર હતા. જે બાદ કોર્ટે હાર્દિક પટેલને ટકોર કરી હતી. મળતી માહિતી અનુસાર હાર્દિક પટેલ વિરુદ્ધ 20 કેસ નોંધાયા છે જેમાં બે રાજદ્રોહના કેસનો સમાવેશ થાય છે.   


  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.