ધ્રાંગધ્રા કોર્ટે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ વિરુદ્ધ ઈસ્યું કર્યું એરેસ્ટ વોરંટ


  • Published By :
  • Published Date : 2023-02-16 10:47:52

ભાજપના વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ વિરૂદ્ધ ધ્રાંગધ્રા કોર્ટે ધરપકડ વોરંટ ઈસ્યુ કર્યું છે. મળતી માહિતી અનુસાર પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ હતી. જેનો કેસ ધ્રાંગધ્રા કોર્ટમાં ચાલી રહ્યો હતો અને આ અંગે કોર્ટે ચૂકાદો આપ્યો છે. કોર્ટની મુદત દરમિયાન હાર્દિક પટેલ ગેરહાજર રહ્યા હતા. કોર્ટે તેમની વિરુદ્ધ ધરપકડ વોરંટ ઈસ્યુ કર્યું છે.   


આંચાર સંહિતા ભંગ બદલ નોંધાઈ હતી ફરિયાદ 

હાર્દિક પેટલ સહિત અનેક લોકોને પાટીદાર અનામત આંદોલનના મુખ્ય સૂત્રધાર માનવામાં આવે છે. પાટીદાર અનામત આંદોલન સમયે ધ્રાંગધ્રાના હરીપર ગામે એક સભા યોજાઈ હતી. યોજાયેલી પાસની સભા દરમિયાન આચાર સંહિતાનો ભંગ થતાં હાર્દિક પટેલ વિરૂદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી. 


શું પોલીસ હાર્દિક પટેલની ધરપકડ કરશે?

પોલીસ મથકમાં ધ્રાંગધ્રા પાસના પ્રમુખ કૌશીક પટેલ અને હાર્દિક પટેલ ઉપર કેસ નોંધાયો હતો. આ કેસ ધ્રાંગ્રધ્રા પ્રિન્સિપલ સિનિયર સિવિલ કોર્ટમાં ચાલતો હતો પરંતુ મુદત દરમિયાન હાર્દિક પટેલ હાજર ન રહ્યા હતા. જે બાદ કોર્ટે હાર્દિક પટેલ વિરુદ્ધ ધરપકડ વોરંટ ઈસ્યું કર્યું છે. ત્યારે જોવાનું એ રહેશે પોલીસ ભાજપના વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલની ધરપકડ કરે છે કે નહીં? 


ધારાસભ્ય વિરૂદ્ધ ચાલી રહ્યા છે અનેક કેસ 

હાર્દિક પટેલ વિરૂદ્ધ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં પણ કેસ ચાલી રહ્યો છે. નિકોલના વર્ષ 2018માં આ કેસ કરવામાં આવ્યો હતો. જાન્યુઆરીમાં કેસની સુનાવણી દરમિયાન ગેરહાજર રહ્યા હતા. જેને લઈ કોર્ટે સમન્સ પાઠવ્યું હતું. તે બાદ ફેબ્રુઆરીની સુનાવણીમાં પણ તેઓ ગેરહાજર હતા. જે બાદ કોર્ટે હાર્દિક પટેલને ટકોર કરી હતી. મળતી માહિતી અનુસાર હાર્દિક પટેલ વિરુદ્ધ 20 કેસ નોંધાયા છે જેમાં બે રાજદ્રોહના કેસનો સમાવેશ થાય છે.   


  



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.