શું તમને પણ જૂની ગુજરાતી સિરિયલ જોવી ગમતી હતી ?, તો હવે તમે જોઈ શકશો એ સિરિયલો !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 18:30:51

 

ગુજરાત ટેલિવવિઝનના વિતેલા યુગની યાદગાર સિરિયલ ફરી રીલીઝ થશે. "‘OHO ગુજરાતી’ OTT પ્લેટફોર્મ પર એક સમયે ઘરેઘરમાં લોકપ્રિય થઈ પડેલી પાંચ ટેલિવિઝન સિરિયલ ફરીથી આવી રહી છે. 21 ઓક્ટોબરથી દર બીજા દિવસે એક નવી સિરિયલ સ્ટ્રીમ થશે, જે કદાચ દિવાળીના સમયનું બેસ્ટ ફેમિલી એન્ટરટેનમેન્ટ સાબિત થશે.



કઈ કઈ સિરિયલ આવશે ??

આજની પેઢીને કદાચ ખ્યાલ પણ નહીં હોય કે અત્યારે જે કલાકાર-કસબીઓ ગુજરાતી-હિન્દી સિનેમા-ટેલિવિઝન અને તખતા પર ધૂમ મચાવી રહ્યા છે તેમણે એક જમાનામાં એકથી એક ચડિયાતી સિરિયલો આપેલી. આવી 13 ચુનંદા સિરિયલો પૈકી 5 સિરિયલો પહેલા તબક્કામાં ‘ઓહો ગુજરાતી’ પર રિલીઝ થશે. 21 ઓક્ટોબરથી દર એકાંતરા દિવસે સ્ટ્રીમ થઈ રહેલી આ સિરિયલોમાં ‘હુતોહુતી’, ‘કાકા ચાલે વાંકા’, ‘આગંતુક’, ‘શોધ’ અને ‘છેલછબીલો’નો સમાવેશ થાય છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે