શું તમને પણ જૂની ગુજરાતી સિરિયલ જોવી ગમતી હતી ?, તો હવે તમે જોઈ શકશો એ સિરિયલો !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 18:30:51

 

ગુજરાત ટેલિવવિઝનના વિતેલા યુગની યાદગાર સિરિયલ ફરી રીલીઝ થશે. "‘OHO ગુજરાતી’ OTT પ્લેટફોર્મ પર એક સમયે ઘરેઘરમાં લોકપ્રિય થઈ પડેલી પાંચ ટેલિવિઝન સિરિયલ ફરીથી આવી રહી છે. 21 ઓક્ટોબરથી દર બીજા દિવસે એક નવી સિરિયલ સ્ટ્રીમ થશે, જે કદાચ દિવાળીના સમયનું બેસ્ટ ફેમિલી એન્ટરટેનમેન્ટ સાબિત થશે.



કઈ કઈ સિરિયલ આવશે ??

આજની પેઢીને કદાચ ખ્યાલ પણ નહીં હોય કે અત્યારે જે કલાકાર-કસબીઓ ગુજરાતી-હિન્દી સિનેમા-ટેલિવિઝન અને તખતા પર ધૂમ મચાવી રહ્યા છે તેમણે એક જમાનામાં એકથી એક ચડિયાતી સિરિયલો આપેલી. આવી 13 ચુનંદા સિરિયલો પૈકી 5 સિરિયલો પહેલા તબક્કામાં ‘ઓહો ગુજરાતી’ પર રિલીઝ થશે. 21 ઓક્ટોબરથી દર એકાંતરા દિવસે સ્ટ્રીમ થઈ રહેલી આ સિરિયલોમાં ‘હુતોહુતી’, ‘કાકા ચાલે વાંકા’, ‘આગંતુક’, ‘શોધ’ અને ‘છેલછબીલો’નો સમાવેશ થાય છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.