શું તમને પણ જૂની ગુજરાતી સિરિયલ જોવી ગમતી હતી ?, તો હવે તમે જોઈ શકશો એ સિરિયલો !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 18:30:51

 

ગુજરાત ટેલિવવિઝનના વિતેલા યુગની યાદગાર સિરિયલ ફરી રીલીઝ થશે. "‘OHO ગુજરાતી’ OTT પ્લેટફોર્મ પર એક સમયે ઘરેઘરમાં લોકપ્રિય થઈ પડેલી પાંચ ટેલિવિઝન સિરિયલ ફરીથી આવી રહી છે. 21 ઓક્ટોબરથી દર બીજા દિવસે એક નવી સિરિયલ સ્ટ્રીમ થશે, જે કદાચ દિવાળીના સમયનું બેસ્ટ ફેમિલી એન્ટરટેનમેન્ટ સાબિત થશે.



કઈ કઈ સિરિયલ આવશે ??

આજની પેઢીને કદાચ ખ્યાલ પણ નહીં હોય કે અત્યારે જે કલાકાર-કસબીઓ ગુજરાતી-હિન્દી સિનેમા-ટેલિવિઝન અને તખતા પર ધૂમ મચાવી રહ્યા છે તેમણે એક જમાનામાં એકથી એક ચડિયાતી સિરિયલો આપેલી. આવી 13 ચુનંદા સિરિયલો પૈકી 5 સિરિયલો પહેલા તબક્કામાં ‘ઓહો ગુજરાતી’ પર રિલીઝ થશે. 21 ઓક્ટોબરથી દર એકાંતરા દિવસે સ્ટ્રીમ થઈ રહેલી આ સિરિયલોમાં ‘હુતોહુતી’, ‘કાકા ચાલે વાંકા’, ‘આગંતુક’, ‘શોધ’ અને ‘છેલછબીલો’નો સમાવેશ થાય છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.