દેશની વર્ચ્યુઅલ કરન્સી 'E-Rupee' કાલે મંગળવારે લોન્ચ થશે, RBIનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ


  • Published By :
  • Published Date : 2022-10-31 21:24:44


દેશની ડિજિટલ કરન્સી - 'ડિજિટલ રૂપિયા'નું પ્રથમ પાયલોટ ટેસ્ટિંગ મંગળવાર એટલે કે 1 નવેમ્બરથી શરૂ થશે, જેમાં નવ બેંકો સરકારી સિક્યોરિટીઝમાં ટ્રાન્ઝેક્શન માટે આ ડિજિટલ કરન્સિનો ઉપયોગ કરશે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ સોમવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ડિજિટલ રૂપી  ( હોલસેલ ટ્રાન્ઝેક્શન)નું પ્રથમ પાયલોટ ટ્રાયલ 1 નવેમ્બરથી શરૂ થશે. આ ટેસ્ટિંગ હેઠળ સરકારી સિક્યોરિટીઝમાં સેકન્ડરી માર્કેટ ટ્રાન્ઝેક્શન સેટલ કરવામાં આવશે.



પાયલોટ ટ્રાયલ માટે 9 બેંકની પસંદગી


 RBIએ 'સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી અથવા (central bank digital currency) CBDC' લાવવાની તેની યોજના તરફ એક પગલું ભરતા, ડિજિટલ રૂપિયાનો પાયલોટ ટ્રાયલ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. હોલસેલ ટ્રાન્ઝેક્શન માટે આ ટેસ્ટમાં નવ બેંકો ભાગ લેશે. આ બેંકોની ઓળખ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), બેંક ઓફ બરોડા, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, HDFC બેંક, ICICI બેંક, કોટક મહિન્દ્રા બેંક, યસ બેંક, IDFC ફર્સ્ટ બેંક અને HSBC તરીકે કરવામાં આવી છે. RBIના ડિજિટલ કરન્સીમાં સોદાના સેટલમેન્ટથી સેટલમેન્ટ ખર્ચમાં ઘટાડો થવાની શક્યતા છે.


રિટેલ સેગમેન્ટનો પ્રથમ ટ્રાયલ એક મહિનામાં શરૂ થશે


આ સાથે RBIએ કહ્યું કે ડિજિટલ રૂપિયા (રિટેલ સેગમેન્ટ)નો પ્રથમ પાયલોટ ટ્રાયલ એક મહિનાની અંદર શરૂ કરવાની યોજના છે. ટ્રાયલ ચોક્કસ વપરાશકર્તા જૂથો વચ્ચે પસંદગીના સ્થળોએ હાથ ધરવામાં આવશે, જેમાં ગ્રાહકો અને વેપારીઓનો સમાવેશ થાય છે. રિઝર્વ બેંકના જણાવ્યા મુજબ,ભવિષ્યના પાઇલોટ ટ્રાયલ્સમાં હોલસેલ સ્તર પર થનારા અન્ય સોદા અને ક્રોસ બોર્ડર પેમેન્ટ પર પણ ધ્યાન આપવામાં આવશે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.