દેશની વર્ચ્યુઅલ કરન્સી 'E-Rupee' કાલે મંગળવારે લોન્ચ થશે, RBIનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ


  • Published By :
  • Published Date : 2022-10-31 21:24:44


દેશની ડિજિટલ કરન્સી - 'ડિજિટલ રૂપિયા'નું પ્રથમ પાયલોટ ટેસ્ટિંગ મંગળવાર એટલે કે 1 નવેમ્બરથી શરૂ થશે, જેમાં નવ બેંકો સરકારી સિક્યોરિટીઝમાં ટ્રાન્ઝેક્શન માટે આ ડિજિટલ કરન્સિનો ઉપયોગ કરશે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ સોમવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ડિજિટલ રૂપી  ( હોલસેલ ટ્રાન્ઝેક્શન)નું પ્રથમ પાયલોટ ટ્રાયલ 1 નવેમ્બરથી શરૂ થશે. આ ટેસ્ટિંગ હેઠળ સરકારી સિક્યોરિટીઝમાં સેકન્ડરી માર્કેટ ટ્રાન્ઝેક્શન સેટલ કરવામાં આવશે.



પાયલોટ ટ્રાયલ માટે 9 બેંકની પસંદગી


 RBIએ 'સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી અથવા (central bank digital currency) CBDC' લાવવાની તેની યોજના તરફ એક પગલું ભરતા, ડિજિટલ રૂપિયાનો પાયલોટ ટ્રાયલ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. હોલસેલ ટ્રાન્ઝેક્શન માટે આ ટેસ્ટમાં નવ બેંકો ભાગ લેશે. આ બેંકોની ઓળખ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), બેંક ઓફ બરોડા, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, HDFC બેંક, ICICI બેંક, કોટક મહિન્દ્રા બેંક, યસ બેંક, IDFC ફર્સ્ટ બેંક અને HSBC તરીકે કરવામાં આવી છે. RBIના ડિજિટલ કરન્સીમાં સોદાના સેટલમેન્ટથી સેટલમેન્ટ ખર્ચમાં ઘટાડો થવાની શક્યતા છે.


રિટેલ સેગમેન્ટનો પ્રથમ ટ્રાયલ એક મહિનામાં શરૂ થશે


આ સાથે RBIએ કહ્યું કે ડિજિટલ રૂપિયા (રિટેલ સેગમેન્ટ)નો પ્રથમ પાયલોટ ટ્રાયલ એક મહિનાની અંદર શરૂ કરવાની યોજના છે. ટ્રાયલ ચોક્કસ વપરાશકર્તા જૂથો વચ્ચે પસંદગીના સ્થળોએ હાથ ધરવામાં આવશે, જેમાં ગ્રાહકો અને વેપારીઓનો સમાવેશ થાય છે. રિઝર્વ બેંકના જણાવ્યા મુજબ,ભવિષ્યના પાઇલોટ ટ્રાયલ્સમાં હોલસેલ સ્તર પર થનારા અન્ય સોદા અને ક્રોસ બોર્ડર પેમેન્ટ પર પણ ધ્યાન આપવામાં આવશે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.