દેશની વર્ચ્યુઅલ કરન્સી 'E-Rupee' કાલે મંગળવારે લોન્ચ થશે, RBIનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ


  • Published By :
  • Published Date : 2022-10-31 21:24:44


દેશની ડિજિટલ કરન્સી - 'ડિજિટલ રૂપિયા'નું પ્રથમ પાયલોટ ટેસ્ટિંગ મંગળવાર એટલે કે 1 નવેમ્બરથી શરૂ થશે, જેમાં નવ બેંકો સરકારી સિક્યોરિટીઝમાં ટ્રાન્ઝેક્શન માટે આ ડિજિટલ કરન્સિનો ઉપયોગ કરશે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ સોમવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ડિજિટલ રૂપી  ( હોલસેલ ટ્રાન્ઝેક્શન)નું પ્રથમ પાયલોટ ટ્રાયલ 1 નવેમ્બરથી શરૂ થશે. આ ટેસ્ટિંગ હેઠળ સરકારી સિક્યોરિટીઝમાં સેકન્ડરી માર્કેટ ટ્રાન્ઝેક્શન સેટલ કરવામાં આવશે.



પાયલોટ ટ્રાયલ માટે 9 બેંકની પસંદગી


 RBIએ 'સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી અથવા (central bank digital currency) CBDC' લાવવાની તેની યોજના તરફ એક પગલું ભરતા, ડિજિટલ રૂપિયાનો પાયલોટ ટ્રાયલ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. હોલસેલ ટ્રાન્ઝેક્શન માટે આ ટેસ્ટમાં નવ બેંકો ભાગ લેશે. આ બેંકોની ઓળખ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), બેંક ઓફ બરોડા, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, HDFC બેંક, ICICI બેંક, કોટક મહિન્દ્રા બેંક, યસ બેંક, IDFC ફર્સ્ટ બેંક અને HSBC તરીકે કરવામાં આવી છે. RBIના ડિજિટલ કરન્સીમાં સોદાના સેટલમેન્ટથી સેટલમેન્ટ ખર્ચમાં ઘટાડો થવાની શક્યતા છે.


રિટેલ સેગમેન્ટનો પ્રથમ ટ્રાયલ એક મહિનામાં શરૂ થશે


આ સાથે RBIએ કહ્યું કે ડિજિટલ રૂપિયા (રિટેલ સેગમેન્ટ)નો પ્રથમ પાયલોટ ટ્રાયલ એક મહિનાની અંદર શરૂ કરવાની યોજના છે. ટ્રાયલ ચોક્કસ વપરાશકર્તા જૂથો વચ્ચે પસંદગીના સ્થળોએ હાથ ધરવામાં આવશે, જેમાં ગ્રાહકો અને વેપારીઓનો સમાવેશ થાય છે. રિઝર્વ બેંકના જણાવ્યા મુજબ,ભવિષ્યના પાઇલોટ ટ્રાયલ્સમાં હોલસેલ સ્તર પર થનારા અન્ય સોદા અને ક્રોસ બોર્ડર પેમેન્ટ પર પણ ધ્યાન આપવામાં આવશે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે