કચ્છના માધાપરના દિલીપ આહીર આત્મહત્યા કેસમાં બે આરોપીની ધરપકડ, યુવકને હનીટ્રેપમાં ફસાવનાર દિવ્યા અને અઝીઝ ભુજ LCBના સકંજામાં


  • Published By :
  • Published Date : 2023-06-07 21:51:43

 કચ્છમાં ખળભળાટ મચાવી દેનારા માધાપરના દિલીપ આહીર આત્મહત્યા કેસમાં ભૂજ LCB પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. દિલીપ આહીરને હનીટ્રેપમાં ફસાવનાર દિવ્યા અને અઝીઝ નામના શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. દિલીપ આહીરને હનીટ્રેપમાં ફસાવી આત્મહત્યા કરવા મજબૂર કરવાના કેસમાં પોલીસે મનિષા ગોસ્વામી, ગજુ ગોસ્વામી અને વિકાસ મકવાણા સહિત દુષ્કર્મની ફરિયાદી 3 યુવતી સહિત 9 આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે. આરોપીઓએ દિલીપ આહીરને હનીટ્રેપમાં ફસાવીને 4 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. હાલ પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે મનીષા ગોસ્વામી સામે અગાઉ પણ અમદાવાદમાં હનીટ્રેપનો ગુનો નોંધાયો છે. મનીષા ગૌસ્વામી પૂર્વ MLA જયંતિ ભાનુશાળી હત્યા કેસની મુખ્ય આરોપી છે. 


સમગ્ર મામલો શું છે?


ભુજ તાલુકાના માધાપર ગામે રાજા રેસીડેન્સીમાં રહેતો દિલીપ ભનુભાઈ ગાગલ નામનો 32 વર્ષીય આહીર યુવક ગત અઠવાડિયે અમદાવાદથી ભુજ આવેલી એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો. ભુજ નજીકના સેડાતા પાસેના હાઈલેન્ડ રિસોર્ટમાં અમદાવાદની યુવતી પર કથિત દુષ્કર્મ થયાની પોલીસ ફરિયાદ બાદ યુવતીની તબીબી ચકાસણી તેમજ વિસ્તૃત નિવેદન લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત યુવતી દ્વારા આહીર યુવક સામે દુષ્કર્મનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જો કે, આરોપ મુદ્દે ફરિયાદ નોંધવામાં આવે તે પહેલા જ દિલીપે આત્મહત્યા કરી લેતા તેના પરિવાર તેમજ સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.