કચ્છના માધાપરના દિલીપ આહીર આત્મહત્યા કેસમાં બે આરોપીની ધરપકડ, યુવકને હનીટ્રેપમાં ફસાવનાર દિવ્યા અને અઝીઝ ભુજ LCBના સકંજામાં


  • Published By :
  • Published Date : 2023-06-07 21:51:43

 કચ્છમાં ખળભળાટ મચાવી દેનારા માધાપરના દિલીપ આહીર આત્મહત્યા કેસમાં ભૂજ LCB પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. દિલીપ આહીરને હનીટ્રેપમાં ફસાવનાર દિવ્યા અને અઝીઝ નામના શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. દિલીપ આહીરને હનીટ્રેપમાં ફસાવી આત્મહત્યા કરવા મજબૂર કરવાના કેસમાં પોલીસે મનિષા ગોસ્વામી, ગજુ ગોસ્વામી અને વિકાસ મકવાણા સહિત દુષ્કર્મની ફરિયાદી 3 યુવતી સહિત 9 આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે. આરોપીઓએ દિલીપ આહીરને હનીટ્રેપમાં ફસાવીને 4 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. હાલ પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે મનીષા ગોસ્વામી સામે અગાઉ પણ અમદાવાદમાં હનીટ્રેપનો ગુનો નોંધાયો છે. મનીષા ગૌસ્વામી પૂર્વ MLA જયંતિ ભાનુશાળી હત્યા કેસની મુખ્ય આરોપી છે. 


સમગ્ર મામલો શું છે?


ભુજ તાલુકાના માધાપર ગામે રાજા રેસીડેન્સીમાં રહેતો દિલીપ ભનુભાઈ ગાગલ નામનો 32 વર્ષીય આહીર યુવક ગત અઠવાડિયે અમદાવાદથી ભુજ આવેલી એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો. ભુજ નજીકના સેડાતા પાસેના હાઈલેન્ડ રિસોર્ટમાં અમદાવાદની યુવતી પર કથિત દુષ્કર્મ થયાની પોલીસ ફરિયાદ બાદ યુવતીની તબીબી ચકાસણી તેમજ વિસ્તૃત નિવેદન લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત યુવતી દ્વારા આહીર યુવક સામે દુષ્કર્મનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જો કે, આરોપ મુદ્દે ફરિયાદ નોંધવામાં આવે તે પહેલા જ દિલીપે આત્મહત્યા કરી લેતા તેના પરિવાર તેમજ સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.