ડિપ્લોમેટ ઓફ નેશનલ બોર્ડ- ડિપ્લોમા રેસિડન્ટ ડોક્ટરોએ કાળી પટ્ટી બાંધી કરી ન્યાયની માગ, જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2024-01-23 11:37:42

ડિપ્લોમેટ ઓફ નેશનલ બોર્ડ- ડિપ્લોમા રેસિડન્ટ ડોક્ટરોના stipendમાં કાપ મૂકવામાં આવ્યો છે. પહેલા તેમને કહેવામાં આવ્યું કે તેમને stipend તરીકે તેમને 84 હજાર આપવામાં આવશે. પરંતુ હવે તેમના stipendમાં અચાનક ઘટાડો કરવામાં આવ્યો છે. પહેલા 84000 મળવાના હતા પરંતુ એવી માહિતી આપવામાં આવી કે તેમને 63000 આપવામાં આવશે. આ વાતને લઈ રેસિડન્ટ ડોક્ટરોએ વિરોધ કર્યો હતો. બેનરો સાથે રસ્તા પર ડોક્ટરો નિકળ્યા હતા અને ન્યાયની માગ કરી હતી. 


સ્ટાઈપન્ડમાં કરાયો ઘટાડો 

ડિગ્રી ઓફ નેશનલ બોર્ડની ગાઈડલાઈન્સ અનુસાર ડિપ્લોમેટ ઓફ નેશનલ બોર્ડ - ડિપ્લોમા રેસિડન્ટ ડોક્ટરોને 84000 stipend આપવામાં આવે છે. રેસિડન્ટ ડોક્ટરને કહીને લેવામાં આવ્યા. પરંતુ 6-10-2023થી રેસિડન્ટ ડોક્ટરના સ્ટાઈપન્ડમાં ઘટાડો કરવામાં આવ્યો છે. પહેલા 84 હજાર આપવાની વાત કરવામાં આવી હતી પરંતુ પછી તે ઘટીને 63 હજાર થઈ ગઈ. આ વાતની જાણ માત્ર મૌખિક રીતે કરવામાં આવી છે, 


બેનરો સાથે ડોક્ટરોએ કર્યો વિરોધ!

આ અંગેનો પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો નથી. DNB-NMEMS દ્વારા આ અંગેની માહિતી આપવામાં નથી આવી. આવતી કાલથી સ્ટ્રાઈક પર ઉતરશે તેવી માહિતી સામે આવી છે. ત્યારે આજે આ મુદ્દાને લઈ ડોક્ટરોએ વિરોધ નોંધાવ્યો હતો. ન્યાય માગતા બેનરો તે લોકો સાથે લઈને આવ્યા હતા જેમાં લખવામાં આવ્યું હતું પ્રામાણીક ડોક્ટરની એક જ માગ.. સમાન વેતન અને સમાન કામ... તે બીજા બેનરમાં લખ્યું હતું અમને જોઈએ અમારો અધિકાર.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.