ડિપ્લોમેટ ઓફ નેશનલ બોર્ડ- ડિપ્લોમા રેસિડન્ટ ડોક્ટરોએ કાળી પટ્ટી બાંધી કરી ન્યાયની માગ, જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2024-01-23 11:37:42

ડિપ્લોમેટ ઓફ નેશનલ બોર્ડ- ડિપ્લોમા રેસિડન્ટ ડોક્ટરોના stipendમાં કાપ મૂકવામાં આવ્યો છે. પહેલા તેમને કહેવામાં આવ્યું કે તેમને stipend તરીકે તેમને 84 હજાર આપવામાં આવશે. પરંતુ હવે તેમના stipendમાં અચાનક ઘટાડો કરવામાં આવ્યો છે. પહેલા 84000 મળવાના હતા પરંતુ એવી માહિતી આપવામાં આવી કે તેમને 63000 આપવામાં આવશે. આ વાતને લઈ રેસિડન્ટ ડોક્ટરોએ વિરોધ કર્યો હતો. બેનરો સાથે રસ્તા પર ડોક્ટરો નિકળ્યા હતા અને ન્યાયની માગ કરી હતી. 


સ્ટાઈપન્ડમાં કરાયો ઘટાડો 

ડિગ્રી ઓફ નેશનલ બોર્ડની ગાઈડલાઈન્સ અનુસાર ડિપ્લોમેટ ઓફ નેશનલ બોર્ડ - ડિપ્લોમા રેસિડન્ટ ડોક્ટરોને 84000 stipend આપવામાં આવે છે. રેસિડન્ટ ડોક્ટરને કહીને લેવામાં આવ્યા. પરંતુ 6-10-2023થી રેસિડન્ટ ડોક્ટરના સ્ટાઈપન્ડમાં ઘટાડો કરવામાં આવ્યો છે. પહેલા 84 હજાર આપવાની વાત કરવામાં આવી હતી પરંતુ પછી તે ઘટીને 63 હજાર થઈ ગઈ. આ વાતની જાણ માત્ર મૌખિક રીતે કરવામાં આવી છે, 


બેનરો સાથે ડોક્ટરોએ કર્યો વિરોધ!

આ અંગેનો પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો નથી. DNB-NMEMS દ્વારા આ અંગેની માહિતી આપવામાં નથી આવી. આવતી કાલથી સ્ટ્રાઈક પર ઉતરશે તેવી માહિતી સામે આવી છે. ત્યારે આજે આ મુદ્દાને લઈ ડોક્ટરોએ વિરોધ નોંધાવ્યો હતો. ન્યાય માગતા બેનરો તે લોકો સાથે લઈને આવ્યા હતા જેમાં લખવામાં આવ્યું હતું પ્રામાણીક ડોક્ટરની એક જ માગ.. સમાન વેતન અને સમાન કામ... તે બીજા બેનરમાં લખ્યું હતું અમને જોઈએ અમારો અધિકાર.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.