લ્યો બોલો! ડીસા તાલુકા ભાજપના નેતાને શુરાતન ચઢ્યું, સામાજિક પ્રસંગે જાહેર મંચ પરથી કર્યો ભડાકો, video વાયરલ


  • Published By :
  • Published Date : 2023-12-10 15:00:51

નેતાઓ જ જો છડેચોક કાયદાનો ભંગ કરતા હોય તો પછી સામાન્ય લોકો પાસેથી શિસ્ત અપેક્ષા કેટલી રાખવી? બનાસકાંઠાના ડીસા તાલુકા ભાજપ પ્રમુખ બહાદુરસિંહ વાઘેલાનો ફાયરિંગ કરતો વીડિયો વાયરલ થયા બાદ પંથકમાં ખળભળાટ મચ્યો છે. મળતી જાણકારી અનુસાર, ડીસા તાલુકા ભાજપ પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા એક સામાજિક પ્રસંગે જાહેર મંચ પરથી ફાયરિંગ કર્યું હતું. તેમનો આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જોકે આ ફાયરિંગ એરગન કે અન્ય હથિયારથી કરવામાં આવ્યું છે તેને લઇને અસ્પષ્ટ છે. વાયરલ વીડિયોની જમાવટ પુષ્ટી કરતું નથી.


  નેતાજી સામે કોઈ કાર્યવાહી થશે?


બહાદુરસિંહ વાઘેલા ગુજરાત જાગીદાર ક્ષત્રિય સમાજના પ્રમુખ છે. ભાજપના નેતા દ્વારા જાહેર મંચ પર હવામાં ફાયરીંગ કરવામાં આવતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે. સ્થાનિક લોકોએ એવા સવાલો પણ કર્યા હતા કે જાહેરમાં ફાયરિંગ કરનારા ભાજપના નેતા સામે કોઈ કાર્યવાહી થશે કે પછી આ મામલે પણ ભીનું સંકેલી લેવામાં આવશે.?



અમદાવાદમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનના ભાગ રૂપે ચંડોળામાં આજે પણ ફેઝ 2ની કામગીરી ચાલુ જ છે . ચંડોળા તળાવમાં આવેલી તમામ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ સહીત પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આવો જાણીએ ચંડોળામાં ચાલી રહેલા ફેઝ ૨ના મેગા ડિમોલિશન વિશે.

પાછલા ઘણા સમયથી પાકિસ્તાનમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે . ભારતની વિરુદ્ધમાં જે આતંકીઓએ ભૂતકાળમાં આતંકવાદી હુમલાઓની સાજીશ કરી હતી તે આંતકીઓની હવે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા થઇ રહી છે. આ ક્રમમાં હવે લશ્કરના આતંકી સૈફુલ્લા ખાલિદનો નંબર આવ્યો છે . જેની હત્યા અજાણ્યા હુમલાવરો દ્વારા કરી દેવાઈ છે. તેની પર આરોપ હતો કે ૨૦૦૬માં RSSના નાગપુર સ્થિત મુખ્યાલય પરના અટેકનો તે માસ્ટરમાઈન્ડ હતો . પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ ગનમેન દ્વારા સૈફુલ્લા ખાલિદની હત્યા કર દેવાઈ છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ લઇને આજે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે , ભારતીય સેનાએ સ્પષ્ટ કરી દીધું છે કે , પાકિસ્તાન સાથે DGMO સ્તરની કોઈ પણ વાતચીત આજે નઈ થાય . સીઝફાયર ચાલુ જ રહેશે. બેઉ દેશોના DGMO એટલેકે , ડિરેક્ટોરેટ જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે આજે કોઈ જ સંવાદ નથી થવા જઈ રહ્યો .

રક્ષામંત્રી રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત ગુજરાત પ્રવાસે છે. આજે રક્ષામંત્રી રાજનાથસિંહ ભુજ એરબેઝની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં તેઓ એરફોર્સે , BSF અને આર્મીના અધિકારીઓ - જવાનોને મળીને ચર્ચા કરીને સરહદ પરની સુરક્ષા અંગે સમીક્ષા કરી છે. આ સાથેજ રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુજરાતમાં ભારત - પાકિસ્તાન સરહદના વિવિધ વિસ્તારોની મુલાકાત પણ કરી છે. તો આવો જાણીએ રક્ષામંત્રી રાજનાથ સિંહના પ્રવાસ વિશે.