BTPથી રાજીનામું આપી ગાયબ થયેલા નેતા કેજરીવાલના ઘરે પહોંચ્યા !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 16:35:30

ચુંટણી નજીક આવે છે તેમ રોજ રાજનીતિમાં કઈક ભૂકંપ આવે છે ભારતીય ટ્રાઈબલ પાર્ટીમાં એક સાથે 3 જેટલા મોટા નેતાઓએ રાજીનામાં આપી દીધા છે અને રાજીનામું આપ્યા બાદ ક્યાંક ગાયબ થઈ ગયા હતા. અને હવે તમામ નેતાઓ દિલ્હીમાં કેજરીવાલના ઘરે જઈ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી લીધો હોવાની તસવીર સામે આવી છે.  

 

BTPના ગઢમાં ગાબડું પડ્યું..  

નર્મદા તાલુકામાં BTPની બે સીટો છે, એક ઝઘડિયા અને એક ડેડિયાપાડા. મહેશ વસાવાએ ડોડીયાપાડા મહેશ વસાવાએ ડેડિયાપાડા સીટ પરથી ચેતન વસાવાને લડાવવાનું કમિટમેન્ટ આપ્યું હતું અને પોતે ઝઘડિયાની સીટ પરથી ચૂંટણી લડવાના હતા. જોકે છોટુ વસાવાના અન્ય પુત્ર દિલિપ વસાવા પણ ચૂંટણી લડવા ઈચ્છતા હોઈ તેઓ ડેડિયાપાડાની સીટ પરથી આ વખતે લડે તેમ હતા. એવામાં પોતાને બેઠક મળવાનું મુશ્કેલ લાગતા ચેતન વસાવાએ પાર્ટીને છોડી દીધી હતી.

 

સોશિયલ ના નર્મદા પ્રમુખ મીડિયાથી રાજીનામું ધરી દીધું

BTPના નર્મદા પ્રમુખ ચેતર વસાવા, ડેડીયાપાડા તાલુકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા તથા તાલુક પંચાયતના ઉપપ્રમુખ માધવસિંહ વસાવાએ પણ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું.અને તમામ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. અને તમામ આપમાં જોડાય એવી શક્યતા છે .....

 
ચેતન વસાવા BTP માટે મહત્વના નેતા હતા ?

ચેતન વસાવા ભારતીય ટ્રાઈબલ પાર્ટી ખૂબ મહત્વના નેતા હતા. હાલમાં તેમણે બિરસામુંડાની મૂર્તિનો મુદ્દો, આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રનો મુદ્દો સહિતના મુદ્દાઓ ઉઠાવ્યા હતા. અને તેમણે આદિવાસી સમાજમાં લોકપ્રિય નેતા રહ્યા છે. હવે જો એ આપમાં જોડાય તો BTPને નુકશાન થશે 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.