મહીસાગરમાં ખેડૂતો પર આસમાની આફત ખાબકી !!!!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 21:41:11

ગુજરાતમાં વર્ષ 100 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે અને વરસાદને કારણે ખેતને નુકશાનની સમસ્યા સામે આવી છે. અને કાલે પડેલા વરસાદથી ખેડૂતોમાં ચિંતા વધી છે  હવામાન વિભાગની આગાહીના પગલે મહીસાગર જીલ્લામાં ભારે વરસાદ વરસતા ખેતરોમાં રહેલ ઉભા પાકમાં ઘૂંટણસમા પાણી ભરાતા ખેડૂતોના તૈયાર થયેલા પાકને ભારે નુકશાન થયું છે અને ખેડૂતોની હાલત કફોડી બની છે.

 

મહીસાગરમાં કાલે રાતે ગાજવીજ સાથે વરસાદ પડ્યો જેના કારણે પાકમાં ભારે નુકશાન થયું અને તમામ પાક નષ્ટ થઈ ચૂક્યો છે. હવામાન વિભાગની આગાહીને પગલે મહીસાગર જીલ્લાનાં લુણાવાડા, ખાનપુર, સંતરામપુર, કડાણા, વીરપુર, સહીત બાલાસિનોરમા ગત સમી સાંજે ભારે પવન અને ગાજ વિજ સાથે ભારે વરસાદ વરસતા ખેડૂતોનાં તૈયાર થયેલા ઉભા પાકમા ઘૂટણસમા પાણી ભરાતા ખેડુતોનો પાક નિષ્ફળ જવાના આરે છે. 

 

ખેડૂતો માંગી સહાય !!!

ઊભા પાકમાં વરસાદના પાણી ભરાઈ જતાં ખેડૂતોની મેહનત પાણીમાં ફરીવડ્યું છે. જેના કારણે ખેડૂતોને આર્થિક નુકશાન થયું છે. લુણાવાડા તાલુકા વિસ્તારના ગધનપુર ગામે 200 થી ઉપરાંત એકર જમીનમાં ડાંગરના પાક નું વાવેતર કરવામાં આવ્યું હતું. પરંતુ થોડા સમય પહેલા પાક માં જીવતો પડી જવાથી 50 ટકા થી ઉપરાંત પાક નષ્ટ થઇ ગયો હતો અને બચેલા ઉભા પાક માં ગત રોજ વરસાદ વરસતા ખેતરોમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ જવા થઇ તમામ પાક નિષ્ફળ જવાના આરે આવી ગયો છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે