AAPના ધારાસભ્ય Chaitar Vasava હવે ભાજપમાં જોડાશે અને ચૂંટણી લડશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું!


  • Published By :
  • Published Date : 2024-02-01 13:46:17

આમ આદમી પાર્ટીમાંથી ડેડીયાપાડાથી ચૂંટાઈને આવેલા ધારાસભ્ય ચૈતર વસાવા હાલ ખુબ જ ચર્ચામાં છે. તેમના પર વન વિભાગના કર્મચારીઓને ધમકાવવા સહિતના ઘણા આરોપો લાગ્યા હતા. પછી તે જેલમાં ગયા અને હવે તેમને જામીન મળી ગયા છે. અને તે જેલની બહાર આવી ગયા છે.  આ આદિવાસી ચહેરો આદિવાસી વિસ્તારોમાં ખુબ જ લોકપ્રિય થઇ રહ્યો છે. આગામી સમયમાં લોકસભા ચૂંટણી આવી રહી છે. તેમાં ચૈતર વસાવાએ ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે અને આમ આદમી પાર્ટીએ તેમને ભરૂચથી ચૂંટણી લડાવવાનો નિર્ણય પણ લીધો છે. તો બધાની વચ્ચે એવા સમાચાર વહેતા થયા હતા કે ચૈતર વસાવા ભાજપનો ખેસ ધારણ કરી શકે છે. 


મનસુખ વસાવા ભરૂચ લોકસભા બેઠક પરથી જીતતા આવ્યા છે    

જેલમાંથી છૂટ્યા બાદ ચૈતર વસાવા ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. જેને લઈને ગુજરાતમાં રાજકારણ ગરમાયુ છે. અને ભરૂચની લોકસભા સીટ પર સૌ કોઈ લોકોની નજર છે. આમ આદમી પાર્ટીએ તો જાહેર કરી દીધું છે કે ચૈતર વસાવા આપમાંથી ચૂંટણી લડશે પણ ભાજપ અને કોંગ્રેસ તરફથી કોઈ ઉમેદવાર જાહેર કરવામાં નથી આવ્યા. આ બેઠક પર વર્ષોથી ભાજપના મનસુખ વસાવા જીતે છે પણ આ વખતે એવી પણ ચર્ચા છે કે ભાજપ મનસુખ વસાવાને ટિકિટ નહિ આપે તો સ્વભાવિક છે કે એ વિસ્તારમાં હાલ ટ્રેંડમાં ચાલી રહ્યા છે આદિવાસી નેતા ચૈતર વસાવા....જો ચૈતર વસાવા ભાજપમાં જોડાય તો ભાજપમાંથી ચૈતર ભાઈને ટિકિટ મળશે તેવી વાતો પણ થઇ રહી છે. 


ભાઈ-બહેન આવી શકે છે આમને સામને!

ભરૂચ સીટ પરથી કોંગ્રેસમાં પણ ભાઈ બહેન આમને સામને આવે તેવું લાગી રહ્યું છે કારણ કે કોંગ્રેસના સિનિયર નેતા અહેમદ પટેલના દીકરી મુમતાઝ પટેલ અને અહેમદ પટેલના દીકરાએ પણ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે. એટલે જ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે ભાઈ બહેન આમને સામને આવી શકે છે. 


શું ચૈતર વસાવા કરશે કેસરિયો ધારણ?

હાલ તો ચૈતર વસાવા જેલમાંથી બહાર આવી ગયા છે. જ્યાં મોટી સંખ્યામાં તેમની સાથે આપના કાર્યકરો અને હોદ્દેદાર જોડાયા હતા. અને ચૈતર વસાવાના સમર્થકો પણ મોટી સંખ્યામાં દેખાયા હતા. આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં એક જ મોટો નેતા બચ્યો હોય એમ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો સવારથી જ ચૈતર વસાવાના સમર્થનમાં રાજપીપળા જેલ ખાતે પહોંચી ગયા હતા. તો હવે જોવાનું એ રહ્યું છે કે ચૈતર વસાવા આપનો સાથ છોડી વોશિંગ મશીનમાં ચોખ્ખા થવા જશે કે નહિ



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.