AAPના ધારાસભ્ય Chaitar Vasava હવે ભાજપમાં જોડાશે અને ચૂંટણી લડશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું!


  • Published By :
  • Published Date : 2024-02-01 13:46:17

આમ આદમી પાર્ટીમાંથી ડેડીયાપાડાથી ચૂંટાઈને આવેલા ધારાસભ્ય ચૈતર વસાવા હાલ ખુબ જ ચર્ચામાં છે. તેમના પર વન વિભાગના કર્મચારીઓને ધમકાવવા સહિતના ઘણા આરોપો લાગ્યા હતા. પછી તે જેલમાં ગયા અને હવે તેમને જામીન મળી ગયા છે. અને તે જેલની બહાર આવી ગયા છે.  આ આદિવાસી ચહેરો આદિવાસી વિસ્તારોમાં ખુબ જ લોકપ્રિય થઇ રહ્યો છે. આગામી સમયમાં લોકસભા ચૂંટણી આવી રહી છે. તેમાં ચૈતર વસાવાએ ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે અને આમ આદમી પાર્ટીએ તેમને ભરૂચથી ચૂંટણી લડાવવાનો નિર્ણય પણ લીધો છે. તો બધાની વચ્ચે એવા સમાચાર વહેતા થયા હતા કે ચૈતર વસાવા ભાજપનો ખેસ ધારણ કરી શકે છે. 


મનસુખ વસાવા ભરૂચ લોકસભા બેઠક પરથી જીતતા આવ્યા છે    

જેલમાંથી છૂટ્યા બાદ ચૈતર વસાવા ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. જેને લઈને ગુજરાતમાં રાજકારણ ગરમાયુ છે. અને ભરૂચની લોકસભા સીટ પર સૌ કોઈ લોકોની નજર છે. આમ આદમી પાર્ટીએ તો જાહેર કરી દીધું છે કે ચૈતર વસાવા આપમાંથી ચૂંટણી લડશે પણ ભાજપ અને કોંગ્રેસ તરફથી કોઈ ઉમેદવાર જાહેર કરવામાં નથી આવ્યા. આ બેઠક પર વર્ષોથી ભાજપના મનસુખ વસાવા જીતે છે પણ આ વખતે એવી પણ ચર્ચા છે કે ભાજપ મનસુખ વસાવાને ટિકિટ નહિ આપે તો સ્વભાવિક છે કે એ વિસ્તારમાં હાલ ટ્રેંડમાં ચાલી રહ્યા છે આદિવાસી નેતા ચૈતર વસાવા....જો ચૈતર વસાવા ભાજપમાં જોડાય તો ભાજપમાંથી ચૈતર ભાઈને ટિકિટ મળશે તેવી વાતો પણ થઇ રહી છે. 


ભાઈ-બહેન આવી શકે છે આમને સામને!

ભરૂચ સીટ પરથી કોંગ્રેસમાં પણ ભાઈ બહેન આમને સામને આવે તેવું લાગી રહ્યું છે કારણ કે કોંગ્રેસના સિનિયર નેતા અહેમદ પટેલના દીકરી મુમતાઝ પટેલ અને અહેમદ પટેલના દીકરાએ પણ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે. એટલે જ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે ભાઈ બહેન આમને સામને આવી શકે છે. 


શું ચૈતર વસાવા કરશે કેસરિયો ધારણ?

હાલ તો ચૈતર વસાવા જેલમાંથી બહાર આવી ગયા છે. જ્યાં મોટી સંખ્યામાં તેમની સાથે આપના કાર્યકરો અને હોદ્દેદાર જોડાયા હતા. અને ચૈતર વસાવાના સમર્થકો પણ મોટી સંખ્યામાં દેખાયા હતા. આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં એક જ મોટો નેતા બચ્યો હોય એમ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો સવારથી જ ચૈતર વસાવાના સમર્થનમાં રાજપીપળા જેલ ખાતે પહોંચી ગયા હતા. તો હવે જોવાનું એ રહ્યું છે કે ચૈતર વસાવા આપનો સાથ છોડી વોશિંગ મશીનમાં ચોખ્ખા થવા જશે કે નહિ



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે