AAPના ધારાસભ્ય Chaitar Vasava હવે ભાજપમાં જોડાશે અને ચૂંટણી લડશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-01 13:46:17

આમ આદમી પાર્ટીમાંથી ડેડીયાપાડાથી ચૂંટાઈને આવેલા ધારાસભ્ય ચૈતર વસાવા હાલ ખુબ જ ચર્ચામાં છે. તેમના પર વન વિભાગના કર્મચારીઓને ધમકાવવા સહિતના ઘણા આરોપો લાગ્યા હતા. પછી તે જેલમાં ગયા અને હવે તેમને જામીન મળી ગયા છે. અને તે જેલની બહાર આવી ગયા છે.  આ આદિવાસી ચહેરો આદિવાસી વિસ્તારોમાં ખુબ જ લોકપ્રિય થઇ રહ્યો છે. આગામી સમયમાં લોકસભા ચૂંટણી આવી રહી છે. તેમાં ચૈતર વસાવાએ ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે અને આમ આદમી પાર્ટીએ તેમને ભરૂચથી ચૂંટણી લડાવવાનો નિર્ણય પણ લીધો છે. તો બધાની વચ્ચે એવા સમાચાર વહેતા થયા હતા કે ચૈતર વસાવા ભાજપનો ખેસ ધારણ કરી શકે છે. 


મનસુખ વસાવા ભરૂચ લોકસભા બેઠક પરથી જીતતા આવ્યા છે    

જેલમાંથી છૂટ્યા બાદ ચૈતર વસાવા ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. જેને લઈને ગુજરાતમાં રાજકારણ ગરમાયુ છે. અને ભરૂચની લોકસભા સીટ પર સૌ કોઈ લોકોની નજર છે. આમ આદમી પાર્ટીએ તો જાહેર કરી દીધું છે કે ચૈતર વસાવા આપમાંથી ચૂંટણી લડશે પણ ભાજપ અને કોંગ્રેસ તરફથી કોઈ ઉમેદવાર જાહેર કરવામાં નથી આવ્યા. આ બેઠક પર વર્ષોથી ભાજપના મનસુખ વસાવા જીતે છે પણ આ વખતે એવી પણ ચર્ચા છે કે ભાજપ મનસુખ વસાવાને ટિકિટ નહિ આપે તો સ્વભાવિક છે કે એ વિસ્તારમાં હાલ ટ્રેંડમાં ચાલી રહ્યા છે આદિવાસી નેતા ચૈતર વસાવા....જો ચૈતર વસાવા ભાજપમાં જોડાય તો ભાજપમાંથી ચૈતર ભાઈને ટિકિટ મળશે તેવી વાતો પણ થઇ રહી છે. 


ભાઈ-બહેન આવી શકે છે આમને સામને!

ભરૂચ સીટ પરથી કોંગ્રેસમાં પણ ભાઈ બહેન આમને સામને આવે તેવું લાગી રહ્યું છે કારણ કે કોંગ્રેસના સિનિયર નેતા અહેમદ પટેલના દીકરી મુમતાઝ પટેલ અને અહેમદ પટેલના દીકરાએ પણ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે. એટલે જ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે ભાઈ બહેન આમને સામને આવી શકે છે. 


શું ચૈતર વસાવા કરશે કેસરિયો ધારણ?

હાલ તો ચૈતર વસાવા જેલમાંથી બહાર આવી ગયા છે. જ્યાં મોટી સંખ્યામાં તેમની સાથે આપના કાર્યકરો અને હોદ્દેદાર જોડાયા હતા. અને ચૈતર વસાવાના સમર્થકો પણ મોટી સંખ્યામાં દેખાયા હતા. આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં એક જ મોટો નેતા બચ્યો હોય એમ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો સવારથી જ ચૈતર વસાવાના સમર્થનમાં રાજપીપળા જેલ ખાતે પહોંચી ગયા હતા. તો હવે જોવાનું એ રહ્યું છે કે ચૈતર વસાવા આપનો સાથ છોડી વોશિંગ મશીનમાં ચોખ્ખા થવા જશે કે નહિ



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.