દીવ ફરવા જવાનો વિચાર માંડી વાળજો, આ કારણે 3 મહિના સુધી તમામ બીચ રહેશે બંધ


  • Published By :
  • Published Date : 2023-05-30 19:07:59

ગુજરાતના લોકપ્રિય પર્યટન સ્થળ દીવમાં પ્રવાસીઓનો સૌથી વધુ ધસારો રહેતો હોય છે. જો કે સ્થાનિક તંત્રએ મહત્વનો નિર્ણય લેતા દીવના તમામ બીચ પર હરવા-ફરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ચોમાસા દરમિયાન દીવનો દરિયો ખૂબ જ તોફાની બને છે. દરિયામાં કરંટનું પ્રમાણ વધતા ઉંચા મોજા ઉછળે છે. આ સ્થિતીમાં મુસાફરોની જિંદગી પર ખતરો રહે છે. લોકોના જીવને ખતરો ન રહે તે માટે આ આદેશ કરાયો છે.  


3 થી 4 મહિના બીચ બંધ રહેશે


દીવના વહીવટી તંત્રએ તમામ બીચ પર ત્રણ મહિના માટે પ્રતિબંધ લગાવ્યો છે.દીવના તમામ બીચ પર હરવા-ફરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્રણ મહિના માટે બીચ બંધ કરાયા છે. દીવના તમામ બીચ 1 જૂનથી 31 ઓગસ્ટ સુધી બંધ કરાયા છે. સ્પોર્ટ્સ એક્ટિવિટી કરવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. દીવના નાગવા, બ્લુ ફ્લેગ અને ઘોઘલા બીચ બંધ કરાયા છે. ચોમાસામાં દરિયામાં કરન્ટ હોવાના કારણે 3 થી 4 મહિના તમામ બીચ બંધ રહેશે. 


દીવ જવાનો વિચાર માંડી વાળજો


દીવ જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો આ વિચાર માંડી વાળજો. દીવના તમામ બીચ પર હરવા-ફરવા પર ત્રણ મહિના માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં હવે ચોમાસાની મોસમ આવી ગઈ છે. આ દિવસોમાં દરિયો ખૂબ જ તોફાની બને છે. દરિયામાં કરંટનું પ્રમાણ વધતા મોજા ઉછળે છે. આવામાં મુસાફરોની જિંદગી પર ખતરો રહે છે. લોકોના જીવને ખતરો ન રહે તો માટે આ આદેશ કરાયો છે.  



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.