દીવ ફરવા જવાનો વિચાર માંડી વાળજો, આ કારણે 3 મહિના સુધી તમામ બીચ રહેશે બંધ


  • Published By :
  • Published Date : 2023-05-30 19:07:59

ગુજરાતના લોકપ્રિય પર્યટન સ્થળ દીવમાં પ્રવાસીઓનો સૌથી વધુ ધસારો રહેતો હોય છે. જો કે સ્થાનિક તંત્રએ મહત્વનો નિર્ણય લેતા દીવના તમામ બીચ પર હરવા-ફરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ચોમાસા દરમિયાન દીવનો દરિયો ખૂબ જ તોફાની બને છે. દરિયામાં કરંટનું પ્રમાણ વધતા ઉંચા મોજા ઉછળે છે. આ સ્થિતીમાં મુસાફરોની જિંદગી પર ખતરો રહે છે. લોકોના જીવને ખતરો ન રહે તે માટે આ આદેશ કરાયો છે.  


3 થી 4 મહિના બીચ બંધ રહેશે


દીવના વહીવટી તંત્રએ તમામ બીચ પર ત્રણ મહિના માટે પ્રતિબંધ લગાવ્યો છે.દીવના તમામ બીચ પર હરવા-ફરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્રણ મહિના માટે બીચ બંધ કરાયા છે. દીવના તમામ બીચ 1 જૂનથી 31 ઓગસ્ટ સુધી બંધ કરાયા છે. સ્પોર્ટ્સ એક્ટિવિટી કરવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. દીવના નાગવા, બ્લુ ફ્લેગ અને ઘોઘલા બીચ બંધ કરાયા છે. ચોમાસામાં દરિયામાં કરન્ટ હોવાના કારણે 3 થી 4 મહિના તમામ બીચ બંધ રહેશે. 


દીવ જવાનો વિચાર માંડી વાળજો


દીવ જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો આ વિચાર માંડી વાળજો. દીવના તમામ બીચ પર હરવા-ફરવા પર ત્રણ મહિના માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં હવે ચોમાસાની મોસમ આવી ગઈ છે. આ દિવસોમાં દરિયો ખૂબ જ તોફાની બને છે. દરિયામાં કરંટનું પ્રમાણ વધતા મોજા ઉછળે છે. આવામાં મુસાફરોની જિંદગી પર ખતરો રહે છે. લોકોના જીવને ખતરો ન રહે તો માટે આ આદેશ કરાયો છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.