દીવ ફરવા જવાનો વિચાર માંડી વાળજો, આ કારણે 3 મહિના સુધી તમામ બીચ રહેશે બંધ


  • Published By :
  • Published Date : 2023-05-30 19:07:59

ગુજરાતના લોકપ્રિય પર્યટન સ્થળ દીવમાં પ્રવાસીઓનો સૌથી વધુ ધસારો રહેતો હોય છે. જો કે સ્થાનિક તંત્રએ મહત્વનો નિર્ણય લેતા દીવના તમામ બીચ પર હરવા-ફરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ચોમાસા દરમિયાન દીવનો દરિયો ખૂબ જ તોફાની બને છે. દરિયામાં કરંટનું પ્રમાણ વધતા ઉંચા મોજા ઉછળે છે. આ સ્થિતીમાં મુસાફરોની જિંદગી પર ખતરો રહે છે. લોકોના જીવને ખતરો ન રહે તે માટે આ આદેશ કરાયો છે.  


3 થી 4 મહિના બીચ બંધ રહેશે


દીવના વહીવટી તંત્રએ તમામ બીચ પર ત્રણ મહિના માટે પ્રતિબંધ લગાવ્યો છે.દીવના તમામ બીચ પર હરવા-ફરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્રણ મહિના માટે બીચ બંધ કરાયા છે. દીવના તમામ બીચ 1 જૂનથી 31 ઓગસ્ટ સુધી બંધ કરાયા છે. સ્પોર્ટ્સ એક્ટિવિટી કરવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. દીવના નાગવા, બ્લુ ફ્લેગ અને ઘોઘલા બીચ બંધ કરાયા છે. ચોમાસામાં દરિયામાં કરન્ટ હોવાના કારણે 3 થી 4 મહિના તમામ બીચ બંધ રહેશે. 


દીવ જવાનો વિચાર માંડી વાળજો


દીવ જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો આ વિચાર માંડી વાળજો. દીવના તમામ બીચ પર હરવા-ફરવા પર ત્રણ મહિના માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં હવે ચોમાસાની મોસમ આવી ગઈ છે. આ દિવસોમાં દરિયો ખૂબ જ તોફાની બને છે. દરિયામાં કરંટનું પ્રમાણ વધતા મોજા ઉછળે છે. આવામાં મુસાફરોની જિંદગી પર ખતરો રહે છે. લોકોના જીવને ખતરો ન રહે તો માટે આ આદેશ કરાયો છે.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.