ST વિભાગના કર્મચારીઓની દિવાળી સુધરી! હડતાળ કરવી પડે એ પહેલા જ પગાર વધ્યો, પગાર વધારા પર Yuvrajsinhએ આપી પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2023-11-08 09:10:20

જ્ઞાન સહાયકનો મુદ્દો ધીરે ધીરે શાંત પડતો ગયો ત્યારે એસટી વિભાગના કર્મચારીઓ લડી લેવાના મૂડમાં આવ્યા. ફિક્સ પેના કર્મચારીના પગારમાં 30 ટકાનો વધારો કરાયો પરંતુ એસટી વિભાગના કર્મચારીઓને આમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. તેમનો પગાર વધારો કરવામાં ન આવ્યો જેને કારણે તેઓ વિરોધ કરી રહ્યા હતા. વિરોધ કરી રહેલા એસટી વિભાગના કર્મચારીઓના સમર્થનમાં યુવરાજસિંહ આવ્યા હતા. સમર્થનમાં હોવાની વાત યુવરાજસિંહ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે ગઈકાલે કર્મચારીઓની માગ સ્વીકારવામાં આવી અને પગાર વધારો કરવામાં આવ્યો. આ નિર્ણય બાદ કર્મચારીઓની ખુશીઓનો પાર ન રહ્યો હતો. સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય બાદ યુવરાજસિંહે આ મામલે પ્રતિક્રિયા આપી હતી.

       

એસટી વિભાગના કર્મચારીઓની સુધરી દિવાળી 

ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી આંદોલનો ચાલી રહ્યા છે. ટેટ-ટાટ પાસ ઉમેદવારોની માગ છે કે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે. ભાવિ શિક્ષકોએ જ્ઞાનસહાયક રદ્દ કરવામાં આવે તેવી માગ સાથે આંદોલન કર્યું હતું. વિવિધ કાર્યક્રમો કરી પોતાનો વિરોધ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ પાર્ટી ઉમેદવારોના સમર્થનમાં આવી. આપે દાંડી યાત્રા 2.0નું આયોજન કર્યું હતું. યાત્રાને અનેક સમય વિતી ગયો પરંતુ હજી સુધી આ મામલે કોઈ અપડેટ નથી. 

યુવરાજસિંહનું વધુ એક આંદોલન સફળ!

ટેટ-ટાટ પાસ ઉમેદવારોની માગ નથી સ્વીકારાઈ પરંતુ એસટી બસ વિભાગના કર્મચારીઓની માગ સરકારે સ્વીકારી લીધી છે. એસટી વિભાગના કર્મચારીઓના સમર્થનમાં યુવરાજસિંહ હતા, આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. એક આંદોલનમાં તો યુવરાજસિંહને સફળતા મળી ત્યારે હવે ટેટ-ટાટ પાસ ઉમેદવારો માટે શરૂ કરવામાં આવેલું આંદોલન રંગ લાવે છે કે તે સમય બતાવશે..!  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.