ST વિભાગના કર્મચારીઓની દિવાળી સુધરી! હડતાળ કરવી પડે એ પહેલા જ પગાર વધ્યો, પગાર વધારા પર Yuvrajsinhએ આપી પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2023-11-08 09:10:20

જ્ઞાન સહાયકનો મુદ્દો ધીરે ધીરે શાંત પડતો ગયો ત્યારે એસટી વિભાગના કર્મચારીઓ લડી લેવાના મૂડમાં આવ્યા. ફિક્સ પેના કર્મચારીના પગારમાં 30 ટકાનો વધારો કરાયો પરંતુ એસટી વિભાગના કર્મચારીઓને આમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. તેમનો પગાર વધારો કરવામાં ન આવ્યો જેને કારણે તેઓ વિરોધ કરી રહ્યા હતા. વિરોધ કરી રહેલા એસટી વિભાગના કર્મચારીઓના સમર્થનમાં યુવરાજસિંહ આવ્યા હતા. સમર્થનમાં હોવાની વાત યુવરાજસિંહ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે ગઈકાલે કર્મચારીઓની માગ સ્વીકારવામાં આવી અને પગાર વધારો કરવામાં આવ્યો. આ નિર્ણય બાદ કર્મચારીઓની ખુશીઓનો પાર ન રહ્યો હતો. સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય બાદ યુવરાજસિંહે આ મામલે પ્રતિક્રિયા આપી હતી.

       

એસટી વિભાગના કર્મચારીઓની સુધરી દિવાળી 

ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી આંદોલનો ચાલી રહ્યા છે. ટેટ-ટાટ પાસ ઉમેદવારોની માગ છે કે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે. ભાવિ શિક્ષકોએ જ્ઞાનસહાયક રદ્દ કરવામાં આવે તેવી માગ સાથે આંદોલન કર્યું હતું. વિવિધ કાર્યક્રમો કરી પોતાનો વિરોધ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ પાર્ટી ઉમેદવારોના સમર્થનમાં આવી. આપે દાંડી યાત્રા 2.0નું આયોજન કર્યું હતું. યાત્રાને અનેક સમય વિતી ગયો પરંતુ હજી સુધી આ મામલે કોઈ અપડેટ નથી. 

યુવરાજસિંહનું વધુ એક આંદોલન સફળ!

ટેટ-ટાટ પાસ ઉમેદવારોની માગ નથી સ્વીકારાઈ પરંતુ એસટી બસ વિભાગના કર્મચારીઓની માગ સરકારે સ્વીકારી લીધી છે. એસટી વિભાગના કર્મચારીઓના સમર્થનમાં યુવરાજસિંહ હતા, આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. એક આંદોલનમાં તો યુવરાજસિંહને સફળતા મળી ત્યારે હવે ટેટ-ટાટ પાસ ઉમેદવારો માટે શરૂ કરવામાં આવેલું આંદોલન રંગ લાવે છે કે તે સમય બતાવશે..!  



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી