આજથી દિવાળી નિશાળોમાં વેકેશન... તમેં ક્યાં ફરવા જશો?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 07:13:01

દિવાળી નજીક છે અને બાળકોને દિવાળીનો સમય ઉજવવા માટે દિવાળીના વેકેશનની પણ જાહેરાત થઈ ગઈ છે. ગુજરાત સરકારે આજથી 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરી દીધું છે તો હવે 21 દિવસ બાદ જ શાળાઓ ખુલશે અને બીજા સમાચાર એવા છે કે વેકેશન પૂરું થયા બાદ પરીક્ષાઓની મોસમ આવશે. વેકેશન પૂરું થયા બાદ સ્કૂલોમાં નવા સત્રમાં શૈક્ષણિક કાર્ય શરૂ થશે.



એહેં!!!! દિવાળીનું વેકેશન શરૂ....  

આજથી વિદ્યાર્થીઓનું દિવાળી વેકેશન શરૂ થશે. આ વેકેશન 21 દિવસનું હશે. વિદ્યાર્થીઓનું દિવાળીનું વેકેશન 9 નવેમ્બર સુધી  ચાલશે. ત્યાર બાદ 10 નવેમ્બરથી ફરીથી નિશાળે જવા દફતર તૈયાર કરવું પડશે. દિવાળી વેકેશન પૂરું થતાંની સાથે જ સ્કૂલોમાં નવું સત્ર શરૂ થશે હોં.


છોકરાને ભણાવજો હો! વેકેશન પછી સીધી પરીક્ષા હશે 

ગુજરાતની શાળાઓમાં હમણા જ પહેલા સેમની પરીક્ષા પૂરી થઈ છે. એટલે હવે દિવાળી વેકેશન પૂરું થશે ને ત્યારે સીધું બીજું સત્ર શરૂ થઈ જશે. કોલેજમાં તો દિવાળી વેકેશન પૂરુ થશેને સેમેસ્ટર 5, 3 અને 1ની તબક્કાવાર પરીક્ષા શરૂ થશે. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.