આજથી દિવાળી નિશાળોમાં વેકેશન... તમેં ક્યાં ફરવા જશો?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 07:13:01

દિવાળી નજીક છે અને બાળકોને દિવાળીનો સમય ઉજવવા માટે દિવાળીના વેકેશનની પણ જાહેરાત થઈ ગઈ છે. ગુજરાત સરકારે આજથી 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરી દીધું છે તો હવે 21 દિવસ બાદ જ શાળાઓ ખુલશે અને બીજા સમાચાર એવા છે કે વેકેશન પૂરું થયા બાદ પરીક્ષાઓની મોસમ આવશે. વેકેશન પૂરું થયા બાદ સ્કૂલોમાં નવા સત્રમાં શૈક્ષણિક કાર્ય શરૂ થશે.



એહેં!!!! દિવાળીનું વેકેશન શરૂ....  

આજથી વિદ્યાર્થીઓનું દિવાળી વેકેશન શરૂ થશે. આ વેકેશન 21 દિવસનું હશે. વિદ્યાર્થીઓનું દિવાળીનું વેકેશન 9 નવેમ્બર સુધી  ચાલશે. ત્યાર બાદ 10 નવેમ્બરથી ફરીથી નિશાળે જવા દફતર તૈયાર કરવું પડશે. દિવાળી વેકેશન પૂરું થતાંની સાથે જ સ્કૂલોમાં નવું સત્ર શરૂ થશે હોં.


છોકરાને ભણાવજો હો! વેકેશન પછી સીધી પરીક્ષા હશે 

ગુજરાતની શાળાઓમાં હમણા જ પહેલા સેમની પરીક્ષા પૂરી થઈ છે. એટલે હવે દિવાળી વેકેશન પૂરું થશે ને ત્યારે સીધું બીજું સત્ર શરૂ થઈ જશે. કોલેજમાં તો દિવાળી વેકેશન પૂરુ થશેને સેમેસ્ટર 5, 3 અને 1ની તબક્કાવાર પરીક્ષા શરૂ થશે. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.